0
0
Read Time:43 Second
અમારી સરકાર ગાંધીના આદર્શો પર ચાલી રહી છે: આશ્રમ ભૂમિ વંદના કાર્યક્રમમાં પીએમ મોદી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, “આ બાપુનો આશ્રમ નહીં માનવજાતની ઐતિહાસિક ધરોહર છે. આઝાદી બાદ આ ધરોહર સાથે અન્યાય થયો છે. બાપુનો આશ્રમ પહેલા 120 એકરમાં ફેલાયેલો હતો, સમયાંતરે આશ્રમ ઘટીને 5 એકરમાં બચ્યો છે.” વધુમાં કહ્યું કે, આશ્રમમાં નવા મકાનો બનાવવાની જરૂર પડશે તો બનાવીશું. અમારી સરકાર ગાંધીના આદર્શો પર ચાલી રહી છે. ખાદીની તાકાત પણ ખૂબ વધી છે.