bookmyshow પર કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટનું ફરી વેચાણ શરૂ
:અમદાવાદઅમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આગામી 25 અને 26 જાન્યુઆરી 2025ના રોજ યોજાનારા કોલ્ડપ્લે કોન્સર્ટને લઈને વધુ એક અજુગતી બાબત સામે આવી છે. થોડા દિવસ અગાઉ bookmyshow પર કોન્સર્ટની બંને દિવસની ટિકિટો સોલ્ડ આઉટ બતાવતી હતી. ગઈકાલે સાંજથી ફરી bookmyshow પર ટિકિટ બુકિંગ માટેના 6500 અને 25000ના બે સ્લોટ ખુલ્લા બતાવી રહ્યા છે, એટલે કે જે લોકો આ કોન્સર્ટંમાં જવા ઈચ્છતા હોય તેઓ આ બંને સ્લોટમાંથી એકમાં ટિકિટ બુક કરીને કોન્સર્ટની મજા માણી શકે છે.જોકે આ કોન્સર્ટને લઈને અગાઉ અનેક પ્રકારના વિવાદ સર્જાઈ ચૂક્યા છે. ટિકિટ વેચાણ કરતાં પ્લેટફોર્મ bookmyshow દ્વારા કોન્સર્ટમાં આવનારા પ્રેક્ષકોને પાર્કિંગ માટે સુવિધા મળશે નહિ એવું જણાવાયું હતું. જોકે, બીજી તરફ આ બ્રિટિશ બેન્ડની પબ્લિક રિલેશન કંપનીએ એવું જાહેર કર્યું હતું કે, જે લોકો પોતાના ફોર વ્હીલર અથવા ટુ વ્હીલર વાહન લાવવાનું ઇચ્છે છે, તેમના માટે ‘શો માય પાર્કિંગ’ એપ્લિકેશન પર સ્થળ નજીકના નિર્ધારિત પાર્કિંગ પ્લોટમાં પાર્કિંગ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. સ્ટેડિયમ પર સાઇટ પર કોઈ પાર્કિંગ ઉપલબ્ધ નથી, પરંતુ કોન્સર્ટમાં હાજરી આપનારા માટે અનુકૂળ વ્યવસ્થા કરવામાં આવશે. ‘શો માય પાર્કિંગ’ એપ્લિકેશન મારફતે તેમના પાર્કિંગ સ્લોટ બુક કરશે, તેઓ માટે સ્ટેડિયમ સુધી જવા માટે મફત શટલ સેવાનું પણ આયોજન કરાયું છે. ઓફિશિયલ માહિતી છે જેમાં ‘શો માય પાર્કિંગ’ એપ્લિકેશન પર તમારું પાર્કિંગ બુક કરવાની લિંક પણ શામેલ છે. 11 જાન્યુઆરીએ બુકમાય શો લાઇવના અધિકૃત સોશિયલ મીડિયા ચેનલ્સ પર શેર કરવામાં આવશે. કોલ્ડપ્લે કોન્સર્ટમાં આવનારા તમામ લોકોને આગ્રહ કરીએ છીએ કે તેઓ પોતાનું પાર્કિંગ બુક કરી લે.અઠવાડિયા અગાઉ bookmyshow પરથી પેઈજ જ ગાયબ હતુંતદુપરાંત અઠવાડિયા અગાઉ જ bookmyshow પર આ કોન્સર્ટને લગતી માહિતીનું પેજ જ ગાયબ થઈ ગયું હતું. શોની તમામ માહિતી જ ડિલિટ થઈ ગઈ હતી. ત્યારે શોના 10 દિવસ અગાઉ bookmyshow પર ટિકિટ બુકિંગ શરૂ બતાવતાં લોકો પણ મૂંઝવણમાં મુકાયા છે કે આ કોન્સર્ટમાં જવું કે ન જવું? ટિકિટ બુક કરવી કે ન કરવી?
અમદાવાદમાં ફલાવર શો ચાલી રહ્યો છે. હજારોની સંખ્યામાં ફલાવરો શો જોવા લોકો પહોંચી રહ્યા છે. તેને લઈને અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કે ફલાવર શોના દિવસોમાં વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અમદાવાદમાં ફલાવર શો ચાલી રહ્યો છે. અને રોજની સંખ્યામાં લોકો હજારોની સંખ્યામાં લોકો ફલાવર શો જોવા આવી રહ્યા છે. તે ભાગરૂપે અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા મહત્તવનો નિર્ણય લેવામાં આવ્યો છે. કે જે ફલાવર શો 22 જાન્યુઆરીએ સંમાપ્ત થવાનો હતો. તે હવે બે દિવસ એટલે 24મી જાન્યુઆરીએ છેલ્લો દિવસ હશે. બે દિવસ વધારી દેવામાં આવ્યો છે. અને ફલાવર શોથી અમદાવાદ મહાનગર પાલિકાને લાખો રૂપિયાની આવક ઉભી થઈ છે.
ફલાવર શો લોકોનો પ્રતિસાદ વધુ મળી રહ્યો છે. જેના કારણે ફલાવર શોમાં પ્રિ-વેન્ડિંગ શૂટ કરવામાં આવશે. જે સવારે 7 થી 8 વાગ્યોનો હશે. જેનું કિંમત 25 હજાર નક્કી કરવામાં આવી છે. અને જે ફિલ્મ શૂટિંગ માટે એક લાખ રૂપિયાની ફિ નક્કી કરવામાં આવી છે. જેથી મહાનગર પાલિકામાં ફલાવરશોના લીધે લાખો રૂપિયાની આવક ઉભી થશે.
અમદાવાદની ઝેબર સ્કૂલમાં 8 વર્ષની વિદ્યાર્થિનીનું મોત, CCTV :ધો-3માં અભ્યાસ કરતી બાળકીને છાતીમાં દુખાવો થતાં ચેર પર બેઠી ને ઢળી પડી, અમદાવાદ અમદાવાદના થલતેજમાં આવેલી જાણીતી ઝેબર સ્કૂલમાં ગાર્ગી રાણપરા નામની 8 વર્ષની બાળકીનું મોત થયું છે. સવારના 8 વાગ્યે સીડી ચઢીને આવી રહી હતી ત્યારે તેને છાતીમાં દુખાવો થયો હતો, જેથી તે લોબીની ચેર પર બેસી ગઈ અને પછી થોડી ક્ષણમાં જ ઢળી પડી હતી. ત્યાર બાદ વિદ્યાર્થિનીને ઝાયડસ હોસ્પિટલમાં ખસેડી સારવાર શરૂ કરાઈ હતી, જોકે હોસ્પિટલે વિદ્યાર્થિનીને મૃત જાહેર કરી હતી. કાર્ડિયાક એરેસ્ટ હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. અસારવા સિવિલ હોસ્પિટલમાં મૃત બાળકીનું પીએમ કરવામાં આવ્યું છે. પોલીસે શાળાએ પહોંચી સીસીટીવી મેળવી તપાસ શરૂ કરી છે. વિદ્યાર્થિનીનાં પેરેન્ટ્સ હાલ મુંબઈ છે તેમજ સ્કૂલમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને બોડકદેવ પોલીસે ડોગ-સ્ક્વોડ સાથે તપાસ કરી હતી.
ઝેબર સ્કૂલ ફોર ચિલ્ડ્રનનાં પ્રિન્સિપાલ શર્મિષ્ઠા સિન્હાએ જણાવ્યું હતું કે ગાર્ગી તુષાર રાણપરા ધોરણ 3માં અભ્યાસ કરતી બાળકીને છાતીમાં દુખાવો શરૂ થયો હતો. છાતીમાં દુખાવો થતાં બાળકી અચાનક બેસી ગઈ હતી તેમજ શ્વાસ લેવામાં તકલીફ થતાં તાત્કાલિક સારવાર માટે 108ને ફોન કર્યો હતો. એમ્બ્યુલન્સ આવવામાં વિલંબ થતો હોવાથી સ્ટાફની ગાડીમાં સારવાર માટે ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.
કાર્ડિયાક એરેસ્ટના કારણે સારવાર દરમિયાન બાળકીનું મોત થયું હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. આ બાળકી અમદાવાદમાં તેનાં દાદા અને દાદી સાથે રહેતી હતી, જ્યારે તેનાં માતા-પિતા અત્યારે મુંબઇ છે અને તેમને જાણ કરવામાં આવી છે. એડમિશન લેતા સમયે કોઈપણ બીમારી નહોતી તેમજ એડમિશન સમયે અમે બાળકીને કોઈપણ બીમારી ન હોવાના ડોક્યુમેન્ટ લીધેલા છે. અન્ય કોઈપણ બીમારી ન હોવા છતાં અચાનક બાળકીને છાતીમાં દુખાવો ઊપડ્યો હતો.
એરપોર્ટ ઉપર પોલીસ કર્મી અને વાહન ચાલક સામે મારામારી નો વીડિયો ફરતો થયો
અમદાવાદ
અમદાવાદ એરપોર્ટ ઉપર પોલીસ કર્મી અને વાહન ચાલક સામે મારામારીનો વિડીયો બાહર આવ્યો છે. પાર્કિગને લઈને માથાકૂટ થઈ હતી. અને પોલીસ દ્વારા 5 હજાર રૂપિયા માગવાનો વિડીયો બહાર આવ્યો હતો. સરદાર પટેલ સ્ટેચ્યુ પાસે પોલીસ કર્મી અને વાહન ચાલક મારામારી વિડીયો બહાર આવ્યો હતો. અને ઓનલાઈન મેમો આપવાની માથાકુટ હતી. અને પોલીસ દ્વારા 5 હજાર માંગવાની વાત વિડીયો પર માંગતો જોવા મળી રહ્યો છે. જેથી પોલીસ દ્વારા સમગ્ર ગુનો દાખલ કર્યો હતો.
આ સમગ્ર મામલો 4 જાન્યુઆરીનો છે. આ સમગ્ર મામલો પોલીસ દ્વારા તપાસ કરાવામાં આવશે અને તેની સામે જે ગુનેગાર હશે. તેને સખત કાયદેસરની કાર્યવાહી થશે.પોલીસે પણ ગુનો નોંધ્યો છે. ગીરીશ પટેલ, મનીષ પટેલ પ્રિન્સ પટેલ સામે ફરીયાદ નોંધાવી છે. અને જી ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના કર્મચારી ફરિયાદી બન્યા છે,આમ પણ એયરપોર્ટ રોડ પર લોકો ગમે ત્યાં અને ગમે તે રીતે વાહન પાર્ક કરતા હોય છે ત્યારે આવી ઘટનાઓ બનતી હોય છે પોલીસ તેમની ફરજ બજાવે છે અને આવા લોકો પોતાની જાતને હોશિયાર માની અન્યને નુકસાન પહોંચાડે છે.
:વસ્ત્રાપુરના 80 વર્ષના વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો,
મેમનગરની સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ.
સાબરકાંઠા (હિંમતનગર)10 મિનિટ પેહલાચીનમાં હ્યુમન મેટાન્યુમોવાઇરસ (HMPV)ના કેસોમાં વધારો થતાં દુનિયાભરમાં ખળભળાટ મચ્યો હતો. ત્યારે સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના એક ગામના 7 વર્ષના બાળકનો શંકાસ્પદ HMPV વાઇરસનો રિપોર્ટ આવ્યા બાદ આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું હતું. સેમ્પલ લઈને તપાસ માટે મોકલી આપ્યો છે, જેનોં રિપોર્ટ આવતીકાલે આવી શકે છે. જો કે હાલ બાળક વૅન્ટિલેટર પર છે પરંતુ પ્રથમ દિવસ કરતાં સ્થિતિ સુધરા પર છે.ગુજરાત સહિત ભારતના ચાર રાજ્યમાં આ વાઇરસના કેસ નોંધાયા છે. આ વાઇરસના તમામ દર્દી બાળક છે. HMPVની સંભવિત સ્થિતિને પહોંચી વળવા માટે ગુજરાતનો આરોગ્ય વિભાગ સતર્ક બન્યો છે અને રાજ્યની અલગ અલગ હોસ્પિટલમાં જરૂરી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.અમદાવાદમાં 80 વર્ષના વૃદ્ધનો HMPV રિપોર્ટ પોઝિટિવ આવ્યોઅમદાવાદ શહેરમાં HMPV વાઇરસનો વધુ એક કેસ નોંધાયો છે. વસ્ત્રાપુર વિસ્તારમાં રહેતા 80 વર્ષના વૃદ્ધને સારવાર અર્થે મેમનગરની સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 8 જાન્યુઆરીના રોજ વૃદ્ધને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમનો રિપોર્ટ આજે પોઝિટિવ આવ્યો છે. દર્દીને છેલ્લા કેટલાય સમયથી અસ્થમાની બીમારી હોવાનું જાણવા મળ્યું છે. તેમની વિદેશ કે અન્ય કોઇ સ્થળે ટ્રાવેલ હિસ્ટ્રી જોવા મળી નથી. દર્દીના સેમ્પલને ચકાસવાની પ્રક્રિયા આગામી દિવસોમાં હાથ ધરવામાં આવશે.દર્દીના સેમ્પલ ગાંધીનગર લેબોરેટરીમાં મોકલાશેઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના વડા ડો. ભાવિન સોલંકીએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, HMPV પોઝિટિવ આવેલા દર્દીની હાલત હાલ સ્થિર છે. તેમના સેમ્પલને સિવિલ હોસ્પિટલમાં તેમજ જીનોમ સીકવન્સ માટે ગાંધીનગર લેબોરેટરીમાં મોકલી આપવામાં આવશે. અગાઉ ચાંદખેડામાં પોઝિટિવ આવેલા બે મહિનાના બાળકના સેમ્પલને પણ ગાંધીનગર લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે.7 વર્ષના બાળકને શંકાસ્પદ HMPVમળતી વિગત મુજબ, બે દિવસ પહેલાં પ્રાંતિજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના એક ગામના ખેતરમાં મજૂરી કરતા શ્રમિક પરિવારના 7 વર્ષીય પુત્રને તાવ, શરદી, ઉધરસને લઈને હિંમતનગરની બેબીકેર હોસ્પિટલમાં નિદાન માટે લાવ્યા હતા. જ્યાં તબીબે નિદાનમાં એક્સરે કરતા તેને ન્યુમોનિયાની અસર દેખાતા ખાનગી લેબોરેટરીમાં સેમ્પલ લેવડાવ્યા હતા. જેનો રિપોર્ટ ગઈકાલે સાંજે આવ્યો હતો, જેમાં HMPV વાઇરસ આવ્યો હતો. જેને લઈને જિલ્લા આરોગ્ય વિભાગને જાણ કરી હતી.
1) કલ્યાણસિંહ શિવસિંહ દ્વારા સને ૨૦૧૯ ની સાલમાં રાણીપ પોલીસ સ્ટેશનમાં ડી-સ્ટાફમાં નોકરી કરતા હતા તે દરમ્યાન મારી એક બ્રેઝા ગાડી ઈંગ્લીશ દારૂ ૪૧ પેટી પકડેલ હતી અને તે ગાડી મારી ન હોવા છતાં મારી પાસેથી ૧૨ લાખ પુરા રોકડા લઈ ૧૦ બોટલનો કેસ મારા નામે બનાવી અમારો તોડ કરેલ હતો.:: ભૂપેન્દ્ર ઉર્ફે ભૂપી પ્રેમાજી ભાટી
(2) કલ્યાણસિંહ શિવસિંહ રાણીપ પોલીસ સ્ટેશનમાં ડી-સ્ટાફમાં નોકરી કરતા હતા તે દરમ્યાન રાણીપ હદ વિસ્તારમાં અલગ અલગ દારૂના વેપારી સાથે ધંધો કરવા માટે સંપર્ક કરાવી તેઓને દેશી દારૂ પરો પાડીએ આપવાન સેટીંગ કરવા – અને કેસો નહી કરવા માટે દર ૬ માસે ૨(બે) લાખ માસીક ભરણ પેટે લેતા હતા. સને ૨૦૧૯ થી સને ૨૦૨૪ સુધી અમોને દારૂના ધંધામાં અમારા નામે વેપાર કરાવતો હતો અને ૨૦૨૪ સુધી એક પણ કેરા કે ફરીયાદ અમારી સામે કરતા ન હતા કારણ કે અમો તેઓને રેગ્યુલર ભરવાની રકમ ચુકવીદેતા હતા :: ભૂપેન્દ્ર ઉર્ફે ભૂપી પ્રેમાજી ભાટી
(3) ત્યારબાદ કલ્યાણસિંહ શિવસિંહ રાણીપ પોલીસ સ્ટેશનમાંથી ઝોન-૨ માં બદલી થતા તેઓ ઝોન -૨ ડી.સી.પી. સાહેબશ્રી તથા સેક્ટર -૧ સાહેબના નામનો વહીવટદાર તરીકે ઝોન-૨ સાહેબના નામે દર માસે રૂા.૨,૫૦,૦૦૦/- તથા સેકટર-૧ સાહેબના નામે દર માસે રૂા. ૧,૫૦,૦૦૦/- અમો તેઓને રેગ્યુલર ભરમણની રકમ ચુકવી આપતા હતા. :: ભૂપેન્દ્ર ઉર્ફે ભૂપી પ્રેમાજી ભાટી
(4)કલ્યાણસિંહ ઝોન-૨ માંથી પી.સી.બી માં બદલી થતા પી.સી.બી ના વહીવટદાર હોવાનું જણાવી અમોને કહેલ કે જો તારે દારૂનો ધંધો કરવો હોય તો પી.સી.બીમાં બધા સાહેબોનુ મળીને કુલ દર માસે રૂા.૭,૫૦,૦૦૦/- ચુકવવા પડશે અને આખા અમદાવાદમાં જો પી.સી.બીમાં કોઈ રોકે તો ફકત મારું નામ આપવાનુ કે કલ્યાણસિંહ નો માણસ છું. તે મુજબ અમો દર માસે રૂા.૭,૫૦,૦૦૦/- અમો તેઓને રેગ્યુલર ભરણની રકમ ચુકવી આપતા હતા. :: ભૂપેન્દ્ર ઉર્ફે ભૂપી પ્રેમાજી ભાટી
(5) ઉપર જણાવ્યા મુજબ ની ભરણ(લાંચ) ની રકમ આ કલ્યાણસિંહ શિવસિંહ સુભાષબ્રિજ સર્કલ પાસે પોલીસ ચોકીની બાજુમાં એચ.ડી.એફ.સી બેંકની બાજુમાં લેવા પોતે આવતા હતા. અને અમુક સમયે સાબરમતી રેલ્વે સ્ટેશન બહાર ઉભા રહી અમોને ફોનથી અથવા અન્ય માણસો મોકલી અમોને જણાવે કે કલ્યાણસિંહ આ જગ્યા ઉપર તમોને બોલાવે છે અને અમો ત્યાં જઈને તેઓની નકિક કર્યા મુજબનુ ભરણ ચુકવી આપતા હતા અને ભરણના બદલામાં આખા અમદાવાદમાં દેશી દારૂના છુટક વેચાણ કરનારાઓ સાથે અમારો સંપર્ક કરાવી હઅને તેઓની સાથે અમારી ઓળખાણ કરાવી આપતો હતો અને દેશીઠારૂ અમારી પાસેથી જ લેવાનુ નકિક કરી આપતો હતો. સતત અમો સાથે વોટસએપ કોલ તથા ડમી નંબરોથી કોન્ટેકટ રાખતા હતા. :: ભૂપેન્દ્ર ઉર્ફે ભૂપી પ્રેમાજી ભાટી
(6) ગત તા. ૨૪/૦૧/૨૦૨૪ નારોજ કણભા પો.સ્ટે.ગુ.૨.નં.૧૧૧૯૨૦૩૦૨૪૦૦૪૮/૨૦૨૪ ઈ.પી.કો.કલમ ૩૦૨, ૩૦૭,૩૩૩, ૨૭૯, ૧૧૪ મુજબનો ગુનો દાખલ થતા અમો જેલમાં જતા રહેલ હતા જેથી ૨૦૨૪ ના જાન્યુઆરી મહિનાની ભરણ ની રકમ રૂા.૭,૫૦,૦૦૦/- અમો કલ્યાણસિંહ ને ચુકવી શકેલ નહી. જેથી તેઓ અમોને તેઓના મળતીયા માણસો ઘ્વારા મારા ઘરે મોકલી જણાવતા હતા કેજાન્યુઆરી મહિનાની ભરણ ની રકમ રૂા.૭,૫૦,૦૦૦/- ચુકવી આપો નહી તો મજા નહી આવે કલ્યાણસિંહ તમને કોઈને છોડશે નહી તેવી ધમકી મારા ઘરે આપવા આવતા હતા. :: ભૂપેન્દ્ર ઉર્ફે ભૂપી પ્રેમાજી ભાટી
(7) કણભા પોલીસ સ્ટેશનમાં કણભા પો.સ્ટે.ગુ.ર.નં.૧૧૧૯૨૦૩૦૨૪૦૦૪૮/૨૦૨૪ ઈ.પી.કો.કલમ.૩૦૨, ૩૦૭,૩૩૩, ૨૭૯, ૧૧૪ મુજબના કામે સાબરમતી જેલમાં મારી પુછપરછ માટે સ્ટેટ વીજીલન્સ ના ડી.વાય.એસ.પી સાહેબશ્રી કે.ટી.કામરીયા સાહેબ મારી પુછપરછ કરવા આવેલ કે હુ દારૂના ધંધમાં કોને કોને કેટલા પૈસા (ભરણ) ચુકવતો હતો અને કોની કોની મદદથી હુ દારૂનો વેપાર પોલીસની રહેમ નજર હેઠળ ચલાવતો હતો તે દરમ્યાન મે. અમદાવાદ શહેરના તમામ પોલીસ કર્મચારીઓના નામ આપેલ અને આ કલ્યાણસિંહનુ નામ પણ કે.ટી.કામરીયા સાહેબને આપેલ. અને તે સંધર્ભે અમદાવાદ શહેરમાંથી ૧૦ થી ૧૫ પોલીસ કર્મચારીઓ મારી સાથે સંકળાયેલા હોવાનુ કોલ ડીટેઈલ અને મારા મોબાઈલમાં વોટસએપ ચેટ મળી આવેલ જે આધારે આપ સાહેબશ્રી ની કચેરી ધ્વારા તમામ પોલીસ માણસોને અલગ અલગ જીલ્લામાં બદલી કરેલી :: ભૂપેન્દ્ર ઉર્ફે ભૂપી પ્રેમાજી ભાટી
.(8) આ કલ્યાણસિંહ શિવસિંહ હાલ અમદાવાદ પી.સી.બીના વહીવટદાર તરીકેનીઓળખ આપે છે. અને તમામ દારૂ જુગાર ના ધંધાવાળા પાસેથી રેગ્યુલર ભરણની રકમ નકિક કરીતેઓને ગેરકાયદેસર ધંધા ચલાવવા માટે પરમીશન આપી તેઓની સામે કોઈ કેસ ન થાય તેવીતકેદારીઓ રાખી અધધ રકમ ભરલ પેટે મેળવી હાલ આખા અમદાવાદમાં ગેરકાયદેસર ધંધાઓ કરાવે છે. :: ભૂપેન્દ્ર ઉર્ફે ભૂપી પ્રેમાજી ભાટી
(9) આ કલ્યાણસિંહ શિવસિંહ સને ૨૦૨૪ ના જાન્યુઆરી મહિનાની ભરણ ની રકમ રૂા.૭,૫૦,૦૦૦/- કલ્યાણસિંહ ને ચુકવી શકેલ નહી. જેથી અમો તથા પરિવારમાં મારો સાળો ઝાકીર ઈસ્માઈલ શેખ તથા અન્ય માણસો સામે ખાલી ગાડીઓ રોડ ઉપરથી ઉભી રખાવી લઈ લે છે અને બહારથી દારૂ મંગાવી તેઓને વોન્ટેડ આરોપી બતાવી ખોટા ખોટા કેસો ઉભા કરે છે અને મારા ઘરે માણસો મોકલે છે અને જણાવે છે કે જયાં સુધી ૨૦૨૪ ના જાન્યુઆરી મહિનાની ભરણ ની રકમ રૂા.૭,૫૦,૦૦૦/- મને નહી આપો ત્યાં સુધી આવા કેસો કરવાનુ ચાલુ જ રહેશે. જેથી વિચારી લો કે તમારે શું કરવું છે.:: ભૂપેન્દ્ર ઉર્ફે ભૂપી પ્રેમાજી ભાટી
(10) ગત. તા. ૧૪/૧૦/૨૦૨૪ નારોજ વચગાળાના જામીન ઉપર આવતા મને માલુમ પડેલ છે. તા.૨૫/૦૯/૨૦૨૪ નારોજ સાબરમતી પોલીસ સ્ટેશનમાં ગુરનં ૧૧૧૯૧૦૩૯૨૪૦૫૯૦/૨૦૨૪ થી એક આઈ-૧૦ ગાડી તથા એકટીવા સાથે દેશીદારૂનો કેસ કરેલ છે જેમાં આરોપી નં. ૨ તરીકે મારો ભત્રીજો નામે હર્ષલ અમોપ્રકાશ ભાટી ને વોન્ટેડ બતાવી કોઈ આરોપી પકડાયેલ ન હોવા છતાં ખોટુ નામ લખી દીધેલ છે. અને આ મારો ભત્રીજો સગીર ઉંમરનો છે તેનો આજદિન સુધી કોઈ ગુનાહિત ભૂતકાળ નથી. અને કોઈપણ ગેરકાયદેસર ધંધા સાથે કોઈ લેવા દેવા ન હોવા છતાં તેનુ નામ વોન્ટેડ તરીકે નાંખી દીધેલ છે. અનેકલ્યાણસિંહ શિવસિંહ ના માણસો મારા ઘરે આવી જણાવેલ છે કે આ શરૂઆત છે ધીરે ધીરે આખા ઘરના તમામ સભ્યોની સામે કેસો કરીશ તેના પહેલા બાકી ભરણનીરકમ રૂા.૭,૫૦,૦૦૦/- ચુકવી આપો નહી તો હજ ઘરની સ્ત્રીઓને પણ વોન્ટેડ બતાવવાનુ ચાલુ કરી દઈશ. તેવું આ કલ્યાણસિંહના અલગ અલગ માણસો મારા ઘરે આવી જણાવે છે.આમ હાલ હુ જાન્યુઆરી મહિનાથી જેલમાં છુ કોઈપણ દારૂનો ધંધો હુ કે મારો પરિવાર ચલાવતો નથી. અને તેમ છતાં ફકત જાન્યુઆરી મહિનાના ભરણની રકમ રૂા.૭,૫૦,૦૦૦/- નહી ચુકવેલ હોવાથી મારા પરિવારના સભ્યો જેમાં સગીર બાળકો વિરૂધ્ધ ખોટા કેસો કરે છે. અને હાલ હુ વચગાળાના જામીન ઉપર બહાર આવેલ હોવાથી વિગતવાર મને તમામ બાબતો જાણેલ જેથી મારે હાલની ફરીયાદ કરવાની જરૂર પડેલ છે.આ કલ્યાણસિંહ શિવસિંહ એ સાબરમતી પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. ૧૧૧૯૧૦૩૯૨૪૦૫૯૦/૨૦૨૪ થી મારા સગીર ભત્રીજા ઉપર જે ખોટો કેસ કરેલ હોઈ જેથી અમોએ તેની સામે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં F/SCR.A/40518/2024 થી કવોશીંગ પીટીશન કરેલ છે. જે હાલ પેન્ડીંગ છે.આ કલ્યાણસિંહ શિવસિંહ એ સને ૨૦૧૯ થી ૨૦૨૪ ના જાન્યુઆરી મહિના સુધી મારી કે મારા પરિવાર ઉપર એક પણ કેસ કરેલ નથી. કારણ કે હુ તેમને નકિક કર્યા મુજબનુ નિયમિત ભરણ ચુકવતો હતો પરંતુ જેલમાં જવાથી હુ દારૂનો ધંધો કરતો ન હોવાથી સાડા સાત લાખ એક માસનુ ભરણચુકવી આપેલ નહી જેથી તેનો દૂષભાવ રાખી મારા પરિવારના સભ્યો સગીર બાળકો સામે ખોટા પ્રોહીબીશનના કેસો કરી હેરાનગતિ કરી સતત નાંણાની માંગણીમળતીયા માણસો ધ્વારા કરાવાનું ચાલુ રાખેલ હોઈ જેથી અમો હાલ તેઓનો કોઈપણ શરતોને સ્વિકારી શકીએ તેમ ન હોઈ અને મારા પરિવારને દારૂના ધંધામાં ખોટી રીતે આ કલ્યાણસિં સંડોવી રહેલ હોઈ તેઓની સામે મારી કાયદેસરની ફરીયાદ છે.આ કલ્યાશસિંહ શિવસિંહ હાલ સમગ્ર અમદાવાઠના કારૂ જુગાર નો ધંધા વાળાઓને ગેરકાયદેસર ધંધો ચલાવવા માટે પી.સી.બી તરફથી પરમીશન આપી મોટી રકમ ભરણપેટે મેળવી ધંધા ચલાવે છે. તેઓની નોકરીમાં જોડાવા ત્યારની અને અત્યારની ચલ-અચલ સંપતિ ની તપાસ કરવામાં આવે તો ઘણ બધુ બહાર નિકળી આવે તેમ છે. અને અમો પાસેથી રૂ.૩.૫૦,૦૦૦/- બરણની રકમ બાકી હોવાથી અમારા ઘરના તમામ સભ્યોની સામે ખોટા દારૂના કેસો કરે છે અને હજુ પણ અન્ય કેસો કરી કસાવવાન કામ કરી રહેલ હોઈ આ કલ્યાણસિંહ શિવસિંહ ની સામે કાયદેસર પગલાં લઈ કાયદેસરની કાર્યવાહી કરી મારા પરિવારના સભ્યોની સામે ખોટા કેસો ન કરે તેવુ રક્ષણ આપવા મારી આપ સાહેબશ્રીને વિનંતિ છે. :: ભૂપેન્દ્ર ઉર્ફે ભૂપી પ્રેમાજી બાટી
*| Ahemdavad Breking news | પીસીપી માં ફરજ બજાવતા કલ્યાણસિંહ પર બુટલેગર દ્વારા મોટા આક્ષેપ…**Good day Gujarat News*
12 વર્ષથી નીચેનાના બાળકોને પ્રવેશના આપતા ખેલૈયાઓમાં રોષ જોવા મળ્યો
– પાસ હોવા છતા પ્રવેશ ના આપતા પોલીસ બોલાવાની ફરજ પડી અમદાવાદ
અમદાવાદમાં ગરબાનું આયોજન ઠેર ઠેર કરવામાં આવી રહ્યુ છે. તેવામાં ઘર્ષણ પણ જોવા મળી રહ્યુ છે. તેવામાં સાયન્સ સીટી ઉપર શેરી ગરબાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. તેવામાં કાલે ખેલૈયાઓ ગરબા રમવા ગયા હતા. ત્યારે 12 વર્ષના બાળકોને પ્રવેશના આપતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો હતો. અને લોકોમાં ગુસ્સો જોતા પોલીસ બોલાવાની ફરજ પડી હતી. જે દિવસથી નવરાત્રિઓ ચાલુ થઈ છે. તેવામાં ગુજરાતમાં અમૂક જગ્યા પર લોકોમાં પ્રવેશને લઈને અનેક જગ્યાએ રોષ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં આવેલા સાયન્સ સીટી રોડ પર મધુબન પાર્ટી પ્લોટમાં લોકોનો રોષ જોવા મળી રહ્યો હતો. જ્યારે લોકો ગરબા રમવા આવ્યા ત્યારે 12 વર્ષથી નાના બાળકોને પ્રવેશના આપતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો હતો. અને પોલીસ બોલાવવાનો વારો આવ્યો હતો. ત્યારે ખેલૈયાઓનું કહેવુ છે. કે અમે અહી પાર્ટી પ્લોટમાં ગરબા રમવા માટે ઓનલાઈન પાસ ખરીદ્યા હતા. અમારા બાળકોના પણ પાસ છે. તેવામાં જ્યારે આજે અમે ગરબા રમવા આવ્યા ત્યારે આયોજકોએ પાસ હોવા છતા 12 વર્ષથી નાના બાળકોને પ્રવેશના આપ્યો હતો. આયોજક ઉપર એક્શન લેવાની વાત કરી હતી. અને પોલીસને પણ બોલાવામાં આવી હતી. પોલીસ ઘટના સ્થળ પર પહોંચી અને મામલો શાંત પાડવાની કોશિક કરી રહ્યા હતા. પણ આયોજકોએ કહ્યુ હતુ. કે ગરબાતો નિયમ પ્રમાણે જ થશે. થોડા દિવસ પહેલા જ આ પાર્ટી પ્લોયમાં 3 દિવસ પહેલા જ નાના બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. પણ અચાનક આ ફેસલો બદલીને કહેવામાં આવ્યુ કે 12 વર્ષથી નીચેનાના બાળકોને પ્રવેશ આપવામાં નહી આવે તેવામાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો હતો. ત્યાના ખેલૈયાઓએ કહ્યુ હતુ. કે આ આયોજકોનો ખોટો નિર્ણય છે. નાના બાળકોને પ્રવેશ જ આપવો જોઈએ. જેથી કરીને ખેલૈયાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો.
નવરાત્રીને લઈને બજરંગદળ દ્વાર ખાસ મેરા ભાઈ હેલ્પ લાઈન ચાલુ કરવામાં આવી
– હેલ્પલાઈન દ્વારા ફક્ત 10 મિનિટમાં બજરંગદળ દ્વારા સુરક્ષા પુરી પાડશે
અમદાવાદ
ગુજરાતમાં આજથી નવરાત્રિ ચાલુ થઈ ગઈ છે. રાત્રે ગરબા ગાવા જતા છોકરીઓ માટે બજરંગદળ દ્વારા એક ખાસ નંબર જાહેર કરવામાં આવ્યો છે. તે નંબરમાં બેને રાત્રના સમયમાં મુશ્કેલીમાં મુકાશે તો તેમને મદદ માટે ફક્ત 10 મિનીટમાં બંજરગદળના લોકો તે ઘટના સ્થળ પર પહોંચીને તેમની મદદ કરશે.ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદમાં નવરાત્રિને લઈને જોરદાર તૈયારીઓ ચાલી રહી છે. અને રાત્રના મોટા સુધી ગરબા ચાલુ રહેવાના છે. જેથી લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત પણ આપણને જોવા મળશે જેથી કરીને લોકોમાં ભય મુક્ત રીતે ગરબા રમી શકે. તેવમાં બજરંગદળ દ્વારા એક ખાસ કરીને પહેલા ચાલુ કરાવમાં આવી છે. જે બેંનો અને દિકરીઓ માટે હેલ્પ લાઈન નંબર બહાર પાડવામાં આવ્યો છે. જેનું નામ છે. મેરા ભાઈતેવુ નામ આપવામાં આવ્યું છે. જે નંબર છે. 8735873595 છે. આ નંબર ઉપર રાત્રે બેનો દિકરીઓ જ્યારે કોઈપણ મુસીબતમાં હશે. તો તેમને આ નંબર ઉપર ડાયલ કરશે. તો તેને ફક્ત 10 મિનિટના અંદર જ તેમને હેલ્પ પહોંચી જશે. ગરબાને લઈને ખાસ કરીને બેને દિકરીઓ દ્વારા ખાસ સુરક્ષા આપવામાં આવે છે. જેથી પોલીસ દ્વારા ખાસ કરીને સુરક્ષા આપવામાં આવે છે. આજથી 9 દિવસ સુધી જ્યા પણ ગરબાનું આયોજન કરવામાં આવે છે. ત્યા પોલીસ સાદા ડ્રેસમાં લોકો ઉપર નજર રાખશે. અને જ્યા પણ અચુકતુ દેખાય કે અસામાજિક તત્વો નજરે પડે તો તેને તાત્કાલિક ઝડપીને જેલ ભેગો કરી શકાય
ચાંદખેડામાં કાપડના ગોડાઉનમાં આગ લાગી, કોઈ જાનહાની નથી
અમદાવાદ
અમદાવાદમાં આજે સવારે ચાંદખેડા વિસ્તારમાં આગનો બનાવ બન્યો છે. કપડાના ગોડાઉનમાં આગ લાગી હતી. આ આગ એટલી વિકરાળ હતી. કે તેના ધુમાળા દૂર દૂર સુધી જોઈ શકાતા હતા. આગ લાગવાની સાથે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. અને ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચીને આગ પર કાબૂ મેળવી લીધો હતો. અને લાખો રૂપિયાનો નુકસાન થવાનું અનુમાન છે.
આજે સવારે 7 વાગ્યાની આસપાસના ચાંદખેડા વિસ્તારમાં આવેલા ડી માર્ડની પાછળ UNITED 18નું કાપડનું ગોડાઉન આવેલુ છે. ત્યા કોક કારણ સર ત્યા આગ લાગી હતી. આગ લાગતાની સાથે જ ગોડાઉનમાં રહેલો માલ બળીને ખાખ થઈ ગયો હતો. આગ લાગતાની સાથે જ આસપાસના લોકો ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
જ્યારે આગ લાગી ત્યારે ત્યાના સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. અને ફાયર વિભાગની ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. અને બે – ત્રણ કલાક બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. પણ આગ ક્યા કારણ સર લાગી છે. તે હજુ ચોક્કસ કારણ બહાર આવ્યુ નથી.
અમદાવાદ અમદાવાદમાં આજે સવારે સાબરમતી નદીમાં એક યુવાન આત્મહત્યા કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ત્યારે ફાયર વિભાગના એક જવાનો તે યુવાનનો જીવ બચાવ્યો હતો. યુવાન ક્યા કારણ સર પોતાનો જીવ આપી રહ્યો હતો. તેની તપાસ ચાલુ છે. આજકાલના યુવાનો નાની નાની વાત ઉપર આત્મહત્યા કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. બસ આવો એક બનાવ અમદાવાદમાં આવેલા ગાંધીનગર સેક્ટરમાં 30માં સાબરમતી નદી ઉપર થી પોતાનો જીવ આપવા જઈ રહ્યો હતો. ત્યારે સ્થાનિક લોકોએ ફાયર વિભાગને જાણ કરતા તાત્કાલિક ફાયર વિભાગના જવાનો સમય સૂચકતા તે યુવાનને બચાવી લીધો હતો. અને તેને સાબરમતી નદીની બહાર લાવી દીધો હતો. ત્યારે તે યુવાન વધુ તપાસ કરતા કલોલનો ખોરજ ગામનો છે. તે આત્મહત્યા કેમ કરી રહ્યો હતો. તેની પોલીસ દ્વારા તપાસ હાલ ચાલુ છે. .