Categories
Amadavad

12 વર્ષથી નીચેનાના બાળકોને પ્રવેશના આપતા ખેલૈયાઓમાં રોષ જોવા મળ્યો

0 0
Read Time:2 Minute, 43 Second

12 વર્ષથી નીચેનાના બાળકોને પ્રવેશના આપતા ખેલૈયાઓમાં રોષ જોવા મળ્યો


– પાસ હોવા છતા પ્રવેશ ના આપતા પોલીસ બોલાવાની ફરજ પડી
અમદાવાદ


અમદાવાદમાં ગરબાનું આયોજન ઠેર ઠેર કરવામાં આવી રહ્યુ છે. તેવામાં ઘર્ષણ પણ જોવા મળી રહ્યુ છે. તેવામાં સાયન્સ સીટી ઉપર શેરી ગરબાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. તેવામાં કાલે ખેલૈયાઓ ગરબા રમવા ગયા હતા. ત્યારે 12 વર્ષના બાળકોને પ્રવેશના આપતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો હતો. અને લોકોમાં ગુસ્સો જોતા પોલીસ બોલાવાની ફરજ પડી હતી.
જે દિવસથી નવરાત્રિઓ ચાલુ થઈ છે. તેવામાં ગુજરાતમાં અમૂક જગ્યા પર લોકોમાં પ્રવેશને લઈને અનેક જગ્યાએ રોષ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં આવેલા સાયન્સ સીટી રોડ પર મધુબન પાર્ટી પ્લોટમાં લોકોનો રોષ જોવા મળી રહ્યો હતો. જ્યારે લોકો ગરબા રમવા આવ્યા ત્યારે 12 વર્ષથી નાના બાળકોને પ્રવેશના આપતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો હતો. અને પોલીસ બોલાવવાનો વારો આવ્યો હતો.
ત્યારે ખેલૈયાઓનું કહેવુ છે. કે અમે અહી પાર્ટી પ્લોટમાં ગરબા રમવા માટે ઓનલાઈન પાસ ખરીદ્યા હતા. અમારા બાળકોના પણ પાસ છે. તેવામાં જ્યારે આજે અમે ગરબા રમવા આવ્યા ત્યારે આયોજકોએ પાસ હોવા છતા 12 વર્ષથી નાના બાળકોને પ્રવેશના આપ્યો હતો. આયોજક ઉપર એક્શન લેવાની વાત કરી હતી. અને પોલીસને પણ બોલાવામાં આવી હતી. પોલીસ ઘટના સ્થળ પર પહોંચી અને મામલો શાંત પાડવાની કોશિક કરી રહ્યા હતા. પણ આયોજકોએ કહ્યુ હતુ. કે ગરબાતો નિયમ પ્રમાણે જ થશે.
થોડા દિવસ પહેલા જ આ પાર્ટી પ્લોયમાં 3 દિવસ પહેલા જ નાના બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. પણ અચાનક આ ફેસલો બદલીને કહેવામાં આવ્યુ કે 12 વર્ષથી નીચેનાના બાળકોને પ્રવેશ આપવામાં નહી આવે તેવામાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો હતો. ત્યાના ખેલૈયાઓએ કહ્યુ હતુ. કે આ આયોજકોનો ખોટો નિર્ણય છે. નાના બાળકોને પ્રવેશ જ આપવો જોઈએ. જેથી કરીને ખેલૈયાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad

નવરાત્રીને લઈને બજરંગદળ દ્વાર ખાસ મેરા ભાઈ હેલ્પ લાઈન ચાલુ કરવામાં આવી

1 0
Read Time:2 Minute, 18 Second

નવરાત્રીને લઈને બજરંગદળ દ્વાર ખાસ મેરા ભાઈ હેલ્પ લાઈન ચાલુ કરવામાં આવી

– હેલ્પલાઈન દ્વારા ફક્ત 10 મિનિટમાં બજરંગદળ દ્વારા સુરક્ષા પુરી પાડશે

અમદાવાદ

ગુજરાતમાં આજથી નવરાત્રિ ચાલુ થઈ ગઈ છે. રાત્રે ગરબા ગાવા જતા છોકરીઓ માટે બજરંગદળ દ્વારા એક ખાસ નંબર જાહેર કરવામાં આવ્યો છે. તે નંબરમાં બેને રાત્રના સમયમાં મુશ્કેલીમાં મુકાશે તો તેમને મદદ માટે ફક્ત 10 મિનીટમાં બંજરગદળના લોકો તે ઘટના સ્થળ પર પહોંચીને તેમની મદદ કરશે.ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદમાં નવરાત્રિને લઈને જોરદાર તૈયારીઓ ચાલી રહી છે. અને રાત્રના મોટા સુધી ગરબા ચાલુ રહેવાના છે. જેથી લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત પણ આપણને જોવા મળશે જેથી કરીને લોકોમાં ભય મુક્ત રીતે ગરબા રમી શકે. તેવમાં બજરંગદળ દ્વારા એક ખાસ કરીને પહેલા ચાલુ કરાવમાં આવી છે. જે બેંનો અને દિકરીઓ માટે હેલ્પ લાઈન નંબર બહાર પાડવામાં આવ્યો છે. જેનું નામ છે. મેરા ભાઈતેવુ નામ આપવામાં આવ્યું છે. જે નંબર છે. 8735873595 છે. આ નંબર ઉપર રાત્રે બેનો દિકરીઓ જ્યારે કોઈપણ મુસીબતમાં હશે. તો તેમને આ નંબર ઉપર ડાયલ કરશે. તો તેને ફક્ત 10 મિનિટના અંદર જ તેમને હેલ્પ પહોંચી જશે. ગરબાને લઈને ખાસ કરીને બેને દિકરીઓ દ્વારા ખાસ સુરક્ષા આપવામાં આવે છે. જેથી પોલીસ દ્વારા ખાસ કરીને સુરક્ષા આપવામાં આવે છે. આજથી 9 દિવસ સુધી જ્યા પણ ગરબાનું આયોજન કરવામાં આવે છે. ત્યા પોલીસ સાદા ડ્રેસમાં લોકો ઉપર નજર રાખશે. અને જ્યા પણ અચુકતુ દેખાય કે અસામાજિક તત્વો નજરે પડે તો તેને તાત્કાલિક ઝડપીને જેલ ભેગો કરી શકાય

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad

ચાંદખેડામાં કાપડના ગોડાઉનમાં આગ લાગી, કોઈ જાનહાની નથી

0 0
Read Time:1 Minute, 36 Second

ચાંદખેડામાં કાપડના ગોડાઉનમાં આગ લાગી, કોઈ જાનહાની નથી


અમદાવાદ


અમદાવાદમાં આજે સવારે ચાંદખેડા વિસ્તારમાં આગનો બનાવ બન્યો છે. કપડાના ગોડાઉનમાં આગ લાગી હતી. આ આગ એટલી વિકરાળ હતી. કે તેના ધુમાળા દૂર દૂર સુધી જોઈ શકાતા હતા. આગ લાગવાની સાથે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. અને ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચીને આગ પર કાબૂ મેળવી લીધો હતો. અને લાખો રૂપિયાનો નુકસાન થવાનું અનુમાન છે.


આજે સવારે 7 વાગ્યાની આસપાસના ચાંદખેડા વિસ્તારમાં આવેલા ડી માર્ડની પાછળ UNITED 18નું કાપડનું ગોડાઉન આવેલુ છે. ત્યા કોક કારણ સર ત્યા આગ લાગી હતી. આગ લાગતાની સાથે જ ગોડાઉનમાં રહેલો માલ બળીને ખાખ થઈ ગયો હતો. આગ લાગતાની સાથે જ આસપાસના લોકો ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.


જ્યારે આગ લાગી ત્યારે ત્યાના સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. અને ફાયર વિભાગની ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. અને બે – ત્રણ કલાક બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. પણ આગ ક્યા કારણ સર લાગી છે. તે હજુ ચોક્કસ કારણ બહાર આવ્યુ નથી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad

સાબરમતી નદીમાં આત્મહત્યાનો કરવા જઈ રહેલા યુવાને ફાયર વિભાગના જવાને બચાવ્યો

0 0
Read Time:1 Minute, 16 Second

👆👆સાબરમતી નદીમાં આત્મહત્યાનો કરવા જઈ રહેલા યુવાને ફાયર વિભાગના જવાને બચાવ્યો


અમદાવાદ
અમદાવાદમાં આજે સવારે સાબરમતી નદીમાં એક યુવાન આત્મહત્યા કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ત્યારે ફાયર વિભાગના એક જવાનો તે યુવાનનો જીવ બચાવ્યો હતો. યુવાન ક્યા કારણ સર પોતાનો જીવ આપી રહ્યો હતો. તેની તપાસ ચાલુ છે.
આજકાલના યુવાનો નાની નાની વાત ઉપર આત્મહત્યા કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. બસ આવો એક બનાવ અમદાવાદમાં આવેલા ગાંધીનગર સેક્ટરમાં 30માં સાબરમતી નદી ઉપર થી પોતાનો જીવ આપવા જઈ રહ્યો હતો. ત્યારે સ્થાનિક લોકોએ ફાયર વિભાગને જાણ કરતા તાત્કાલિક ફાયર વિભાગના જવાનો સમય સૂચકતા તે યુવાનને બચાવી લીધો હતો. અને તેને સાબરમતી નદીની બહાર લાવી દીધો હતો. ત્યારે તે યુવાન વધુ તપાસ કરતા કલોલનો ખોરજ ગામનો છે. તે આત્મહત્યા કેમ કરી રહ્યો હતો. તેની પોલીસ દ્વારા તપાસ હાલ ચાલુ છે.
.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad

અમદાવાદમાં સ્કુલની બહાર પોલીસ દ્વારા સરપ્રાઈસ ડ્રાઈવ કરવામાં આવી

0 0
Read Time:2 Minute, 0 Second

અમદાવાદમાં સ્કુલની બહાર પોલીસ દ્વારા સરપ્રાઈસ ડ્રાઈવ કરવામાં આવી

– રાજસ્થા સ્કુલની બહાર જ 50 હજાર કરતા વધારે દંડ વસૂલ કર્યોઅમદાવાદઅમદાવાદ ગ્રામ્ય DEO તથા શહેર DEO દ્વારા સ્કૂલોની બહાર સરપ્રાઇઝ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામ્ય DEO દ્વારા બિનઅધિકૃત રીતે સ્કૂલે વાહન લઈને આવતા વિદ્યાર્થીઓ માટે ડ્રાઈવ યોજવામાં આવી હતી. જ્યારે શહેર DEO દ્વારા ફાયર સેફ્ટી, માર્ગ સલામતી તથા સાયબર અવરનેસ અંગે સ્કૂલે કરેલી કામગીરી બાબતે તપાસ કરવા માટેની ડ્રાઈવ યોજવામાં આવી હતી. સવારથી શરૂ થયેલી ડ્રાઈવમાં શાહીબાગ રાજસ્થાન સ્કૂલ બહારથી RTO અને પોલીસ દ્વારા વાહનચાલકો પાસેથી નિયમ ભંગ બદલ 50 હજાર કરતાં વધુનો દંડ કરવામાં આવ્યો હતો.અમદાવાદ ગ્રામ્ય DEO દ્વારા થોડા દિવસ અગાઉ જ ગ્રામ્યની સ્કૂલોમાં બિનઅધિકૃત વાહન લઈને આવતા વિદ્યાર્થીઓ તથા વાલીઓ સામે કાર્યવાહી કરવાની જાહેરાત કરી હતી. જે બાદ આજથી સ્કૂલ બહાર ડ્રાઈવ શરૂ કરવામાં આવી હતી. જે દરમિયાન ગ્રામ્ય DEO કૃપા ઝા, ટ્રાફિક વિભાગ તથા RTO વિભાગ હાજર રહ્યું હતું. ઈસરો સામે આવેલી નારાયણગુરુ વિદ્યાલય બહાર ડ્રાઈવ યોજવામાં આવી હતી. જે દરમિયાન કાર્યવાહી કરવામાં આવી હતી. આ ડ્રાઈવ દરમિયાન અનેક વિદ્યાર્થીઓ લાઇસન્સ કે હેલ્મેટ વિના ઝડપાયા હતા. જેમની સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad

અમિત શાહ 3-4 તારીખે ગુજરાત પ્રવાસે

0 0
Read Time:1 Minute, 8 Second

👆👆અમિત શાહ 3-4 તારીખે ગુજરાત પ્રવાસે

અમદાવાદઅમદાવાદમાં નવરાત્રિ ચાલુ થતાની સાથેજ અમિત શાહ ગુજરાત પ્રવાસે આવશે તા 3-4 ઓક્ટોબરે ગુજરાત પ્રવાસે આવશે. અને અમિત શાહ પોતાની પરિવાર સાથે પોતાના ગામે માણસા ખાતે મંદિરે જઈને દર્શન કરશે. અને ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે.અમિત શાહ નવરાત્રિ ચાલુ થવાની સાથે જ દર વર્ષની જેમ નવરાત્રિમાં ગુજરાતના પ્રવાસે આવે છે. ખાસ કરીને નવરાત્રિમાં પોતાના ગામે માણસા ખાતે પરિવાર સાથે માણસા ખાતે બહુચર માતાના મંિદર જઈને પુજા અર્ચાના કરે છે. આ વખતે પણ તા 3-4 તારીખે અમિત શાહ ગુજરાત પ્રવાસે આવશે. અને પોતાના ગામે જશે. પછી ગાંધીનગર ખાતે વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે. અને અડાલડમાં આરોગ્ય ધામનું લોકાર્પણ કરશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad

અમદાવાદના ડોક્ટર પાસે ઓનલાઈન શેર બજારમાં રોકાણના નામે 10 લાખ ની છેતરપીડી કરવામાં આવી

1 0
Read Time:2 Minute, 27 Second

. અમદાવાદના ડોક્ટર પાસે ઓનલાઈન શેર બજારમાં રોકાણના નામે 10 લાખ ની છેતરપીડી કરવામાં આવી
અમદાવાદ
અમદાવાદના ડોક્ટર જયવીર સિંહ ઝાલા પાસેથી શેર બજારમાં રોકાણ કરવાના બહાને ડોક્ટરો પાસેથી 10 લાખ રૂપિયાનું રોકાણ કરવાવ્યુ હતુ. જ્યારે ડોક્ટર પૈસા પાછા ના આવતા તેમના જોડે છેતરપિંડી થઈ હતી. તેવુ લાગતા તેમને તેથી ડોક્ટરે સાઈબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી.
આજ કાલ લોકો ઓનલાઈન છેતરિપંડી વધારે કરતા હોય છે. જેમાં ભણેલા લોકો પણ ફસાઈ જાય છે. બસ આવો એક બનાવ અમદાવાદમાં રહેતા ડોક્ટર જયવીરસિંહ ઝાલા ઉ. 68 છે. આંબાવાડી ખાતે પોતાના પરિવાર સાથે રહે છે. અને મેમનગરમાં પોતાની એક હોસ્પિટલ ધરાવે છે. તેવામાં 04-04-2024ના તેવો ઘરે હતા. ત્યારે તેમના ઉપર એક અજાણ્યા નંબર પરથી વોટ્સએપ આવે છે. અને તેમને કહેવામાં આવે છે. કે તમારે શેર બજારમાં રોકાણ છે કે નહી. તેમને હા પાડતા જો તમારે વધારે પૈસાનું રોકાણ કરવુ હોય તો તે માટે વિવિધ પ્રકારના મેસસ હતા. અને ડોક્ટર જયવીર સિંહને એક વોટ્સએપ ગ્રુપમાં એડ કરી દીધા હતા. અને તેના અંદર વિવિધ શેર બજારના શેરો વિષે જાણકારી આપવામાં આવી હતી.
જેથી ડોક્ટર જયવીરસિંહે ઝાલાએ વોટ્સએપ પર થી જે શેરોમાં રોકાણ કરવુ હોય તે લીંક ઉપર ક્લિક કરતા તેમના કહેવામાં આવ્યુ હતુ. પોતાનું એકાઉન્ડ નંબર નાખ્યુ હતુ. અને થોડા થોડા કરીને 10 લાખ રૂપિયા જેટલુ રોકાણ કર્યુ હતુ. તેવામાં જ્યારે પોતાના પૈસા પાછા લેવા ગયા હતા. ત્યારે પૈસા પાછા ના આવતા તેમને જે વોટ્સએપ ગ્રુપ પર મેસસ આવ્યો હતો. તે નંબર ઉપર ફોન કરતા ફોન સ્વીચ ઓફ થઈ ગયો હતો. તેથી તેમને વિશ્વાસધાત થયો હોય તેવુ લાગતા તેમને તરત જ સાઈબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad

147 રથયાત્રાના અમદાવાદમાં દિવસે 1100 થી વધારે પોલીસ કર્મી, 1500 થી વધારે સીસીટીવી કેમેરા દ્વારા બાજ નજર રખાશે

1 0
Read Time:2 Minute, 10 Second

147 રથયાત્રાના અમદાવાદમાં દિવસે 1100 થી વધારે પોલીસ કર્મી, 1500 થી વધારે સીસીટીવી કેમેરા દ્વારા બાજ નજર રખાશે

અમદાવાદ

અમદાવાદમાં 147ની રથયાત્રા નિકળવાની છે. તે તૈયારીના ભાગરૂપે પોલીસ દ્વારા 1100 પોલીસ કર્મી, 3ડી મેપિગ, એઆઈ, 1500 થી વધારે સીસીટીવી દ્વારા રથયાત્રા ઉપર નજર રાખવામાં આવશે. અને જે પણ વ્યક્તિ સંવેદનશીલ તરીકે દેખાશે.તેની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.અમદાવાદમાં 7 જુલાઈઅ જગન્નાથ મંદિરની 147ની રથયાત્રા નિકળવાની છે. તેનો લાભ લેવા માટે અમદાવાદાના લોકો પણ નહી પણ સમગ્ર દેશ અને વિદેશથી લોકો આ રથયાત્રાને જોવા અને દર્શન કરવામાં આવતા હોય છે. હજારોની સંખ્યામાં લોકો રથયાત્રાના દર્શન કરે છે. તે ભાગ રૂપે અમદાવાદમાં કોઈ પણ પ્રકારની અસુવિધાના થાય તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે.અમદાવાદમાં રથયાત્રાના દિવસે 1500 થી વધારે પોલીસ કર્મી ખડે પગે રહેશે. અને 1500થી વધારે સીસીટીવી દ્વારા નજર રાખવામાં આવશે. અને 3ડી મેપિગ દ્વારા દરેક રસ્તા ઉપર દેખરેખ રાખવામાં આવશે. અને ટેકનોલોજીનો વધુ ઉપયોગ કરતા એઆઈની પણ મદદ લેવામાં આવશે. અને મોટા ભાગના પોલીસ જનવાનોના જોડે પોકેટ કેમેરો લગાવામાં આવશે. જેથી રથયાત્રાના નાનામાં નાની ગતિવીધી પર નજર રાખવામાં આવે. અને જ સંવેદનશીલ વિસ્તારમાં છે. તેના ઉપર ખાસ પોલીસ દ્વારા ડ્રોન કેમેરાથી દેખરેખ રાખવામાં આવશે. અને જે પણ વ્યક્તિ સંવેદનશીલ દેખાશે. તેને પોલીસ ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad Blog

અમદાવાદ માધવપુરા D સ્ટાફ ઉંઘ માં ?? ઝોન 2 ડીસીપી ની સફળ રેડ..

0 0
Read Time:3 Minute, 27 Second

અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર જી.એસ. મલિક સાહેબ જ્યાર થી આવ્યા છે ત્યાર થી અમદાવાદ શહેરના પોલીસ કર્મીઓ અને બૂટલેગરો તથા અનેક બે નંબર ના ધંધા કરતા લોકો માં ડર ઊભો થઈ જવા પામ્યો છે કારણકે સ્વરછ છબી ધરાવતા પોલીસ કમિશ્નર જી.એસ.મલિક સાહેબ ને આ બધું પસંદ નથી અને જે વિસ્તારમાં આવું ચાલતું હોય તે વિસ્તારમાં પોતાની ટીમ પી.સી.બી દ્વારા રેડ કરી કાયદાકીય કાર્યવાહી કરી ને અનેક બૂટલેગરો ને પાસા હેઠળ ધકેલી દેવામાં આવ્યા છે.

પરંતુ અહી આજે વાત કરવામાં આવે તો માધવપુરા પોલીસ સ્ટેશનમાં બિરાજમાન પી.આઇ.શ્રી ને પોતાના વિસ્તારમાં ચાલુ થયેલા દારૂના અડ્ડાઓ ની માહિતી નથી કે શું ??

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ માધવપુરા પોલીસ સ્ટેશનમાં વહીવટદારો દ્વારા અનેક દેશી દારૂના અડ્ડાઓ ચલાવવા ની મંજુરી આપી દીધી હોવાની માહિતી મળી રહી છે.

આજે નાયબ પોલીસ કમિશનર શ્રી, ઝોન-૨ ના સીધા સુપરવિઝન હેઠળ ઝોન-૨ એલ.સી.બી સ્કોડના પો.સ.ઈ.એસ.આર.રાજપૂત તેમજ એલ.સી.બી. સ્ટાફના માણસો સાથે તા.૦૧/૦૬/૨૦૨૪ ના રોજ પેટ્રોલીંગમાં હતા, દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે માધવપુરા દુધેશ્વર સ્મશાનગુહની અંદર આવેલ સ્નાનાગારના બાથરૂમમાં સંતાડી રાખેલ પરપ્રાંતિય ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની મોટી બોટલો કુલ નંગ-૩૪૨ જેની કુલ્લે કિ.રૂ.૪૭,૭૩૦/- નો વિદેશી દારૂનો જથ્થો પકડી લીધો છે આ વિદેશી દારૂ મંગાવનાર અને હદપાર થયેલ આરોપીને પકડી લઈ તેની વિરુધ્ધમાં માધવપુરા પોલીસ સ્ટેશન ખાતે પાર્ટ સી ગુ.ર.ન.૧૧૧૯૧૦૧૦૨૪૦૩૬૩/૨૦૨૪ ધી ધી પ્રોહી એક્ટ કલમ-1/3૬૬(૧)(બી), ૬૫(એ)(ઈ),૧૧૬(બી) મુજબનો ગુનો દાખલ કરી પ્રોહીબીશન અંગેનો ગણનાપાત્ર કેશ શોધી કાઢી તેમજ આરોપી તડીપાર થયેલ હોય તેની વિરુધ્ધમાં જી.પી.એક્ટ કલમ ૧૪૨ હેઠળ ફરીયાદ દાખલ કરાવી પ્રસંશનીય કામગીરી એલ.સી.બી ઝોન-૨ સ્ક્વોડ દ્વારા કરવામાં આવેલ છે.

માધવપુરા પોલીસ સ્ટેશન વિસ્તાર મા અનેકો વાર ઝોન 2 ડીસીપી, અમદાવાદ શહેર PCB, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રેડ કરવાના આવી છે અને મસ મોટા મુદ્દામાલ સાથે કેસ કરવામાં આવ્યો છે પરંતું માધવપુરા પોલીસ સ્ટેશન ના કર્મચારીઓ માત્ર 2 ,5 લીટર ના દેશી દારૂ ના કેસ કરીને. સંતોષ માની લેછે અને ઉપલા અઘિકારીઓ આખ આડા કાન કરે છે કોઈ એક્શન કેમ લેવામાં આવતું નથી એક મોટો સવાલ છે….

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad

નિકોલમાંથી વેપારીનું અપહરણ કરનાર પોલીસે ગણતરી કલાકોમાં ભેદ ઉકેલ્યો

1 0
Read Time:3 Minute, 28 Second

☝️☝️નિકોલમાંથી વેપારીનું અપહરણ કરનાર પોલીસે ગણતરી કલાકોમાં ભેદ ઉકેલ્યો

નિકોલમાં ધંધાકીય અદાવતમાં છ શખ્સોએ વેપારીનું BMW કારમાં અપહરણ કરીને રૂ.૩.૮૫ લાખની લૂંટ ચલાવી મારી માર્યો હતો. સુરતની કંપનીમાંથી નોકરી છોડ્યા બાદ અન્ય કંપનીમાં નોકરી પર લાગ્યો તેની અદાવત રાખીને વેપારી માલ ડિલિવરી આપીને ઘરે પરત જતોહતો તે સમયે બે બાઈક અને એક BMW કારચાલક આવ્યા અને વેપારીને માર મારીને BMW ગાડીમાં ગોંધી નીકળી ગયા હતા.

આ મામલે પોલીસે ૬ આરોપીની ધરપકડ કરીને તમામ મુદ્દામાલ રિકવર કર્યો છે.
નિકોલમાં કૃષ્ણધામ સોસાયટીમાં સંજય બાલધા (ઉ.વ.૪૯) પરિવાર સાથે રહે છે. સુરતની ખાનગી કંપનીમાં ફ્રેન્ચાઈઝી લઈને ધંધો કરે છે. બુધવારે સંજય ધંધાના કામ અર્થે નીકળ્યા હતા. થોડા વર્ષ અગાઉ સંજય સુરતની જે કંપનીમાં કામ કરતા હતા તે કંપનીમાં બીજા બે માણસોની નિમણૂક તેમના જ વિસ્તારમાં કરવા આવી હતી. તેથી સંજયને ધંધામાં તકલીફ પડી રહી હતી. તેથી તેને નોકરી છોડી દીધી હતી. બીજી તરફ જૂની કંપનીની ગાડી સંજય પાસે હતી પરંતુ તેના હપતા તેઓ રેગ્યુલર ભરપાઈ કરતા હતા તેમ છતાંય અદાવત રાખીને સુરતના ચેતન ધાનાણીએ અપહરણ કરીને તેને માર માર્યો હતો. અને તેની સાથે રાખેલા રોકડા પણ લઈ લીધા હતા.
બુધવારે સંજય તેમની કંપનીનો માલ-સામાન વેચીને ઘરે જવા નીકળતા હતા તે સમયે સાંજે નિકોલમાં આવેલી એક સોસાયટીની બહાર ત્રણ વ્યક્તિ આવ્યા હતો. જેમાં દિવ્યાંગ ખોખરિયા અને ચેતન ધાનાણી હતા. દિવ્યાંગે સંજયને લાફો મારીને ટેમ્પામાંથી ઉતારી દીધા હતા.

આ દરમિયાન ચેતન અને અક્ષય બન્નેએ ભેગા મળીને સંજયને બળજબરીપૂર્વક BMW ગાડીમાં બેસાડી દીધા હતો. ગાંધીનગરમાં રહેતો શખ્સ સંજયને ગાળો બોલવા લાગ્યો હતો. ગાડીમાં બેસાડ્યા બાદ પાછળની સીટમાં યશ ભટ્ટ અને ચેતન ધાનાણી અને ડ્રાઈવર સીટ પર ભાવિન જે સુરતના રહેવાસી છે તેણે સંજયનું અપહરણ કરીને તેમની પાસે રહેલા રોકડા રૂપિયા 1.20 લાખ અને તેમના ટેમ્પામાં રહેલો સામાન આશરે રૂ. ૩૫ હજાર અને ટેમ્પો એમ કુલ મળીને ૩.૮૫ લાખની લૂંટ ચલાવીને સંજયને ખોડિયારનગર ચાર રસ્તા પાસે નીચે ઉતારી દીધો હતો. બાદમાં સંજયે પોલીસે ફોન કરી સંપૂર્ણ હકીકત જાણ પોલીસને કરી હતી. અને પોલીસે ગણતરી કલાકોમાં છ આરોપીને ચેતન ધાનાણી (રહે. સુરત), અક્ષય ડોબરિયા, દિવ્યાંગ ખોખરિયા (રહે. ન્યૂ રાણીપ), યશ ભટ્ટ (રહે. ગાંધીનગર), ભાવિન (રહે. સુરત) અને સંદીપ ભટ્ટ (રહે. ગાંધીનગર) ધરપકડ કરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %