Categories
Amadavad Blog

અમદાવાદ માધવપુરા D સ્ટાફ ઉંઘ માં ?? ઝોન 2 ડીસીપી ની સફળ રેડ..

0 0
Read Time:3 Minute, 27 Second

અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર જી.એસ. મલિક સાહેબ જ્યાર થી આવ્યા છે ત્યાર થી અમદાવાદ શહેરના પોલીસ કર્મીઓ અને બૂટલેગરો તથા અનેક બે નંબર ના ધંધા કરતા લોકો માં ડર ઊભો થઈ જવા પામ્યો છે કારણકે સ્વરછ છબી ધરાવતા પોલીસ કમિશ્નર જી.એસ.મલિક સાહેબ ને આ બધું પસંદ નથી અને જે વિસ્તારમાં આવું ચાલતું હોય તે વિસ્તારમાં પોતાની ટીમ પી.સી.બી દ્વારા રેડ કરી કાયદાકીય કાર્યવાહી કરી ને અનેક બૂટલેગરો ને પાસા હેઠળ ધકેલી દેવામાં આવ્યા છે.

પરંતુ અહી આજે વાત કરવામાં આવે તો માધવપુરા પોલીસ સ્ટેશનમાં બિરાજમાન પી.આઇ.શ્રી ને પોતાના વિસ્તારમાં ચાલુ થયેલા દારૂના અડ્ડાઓ ની માહિતી નથી કે શું ??

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ માધવપુરા પોલીસ સ્ટેશનમાં વહીવટદારો દ્વારા અનેક દેશી દારૂના અડ્ડાઓ ચલાવવા ની મંજુરી આપી દીધી હોવાની માહિતી મળી રહી છે.

આજે નાયબ પોલીસ કમિશનર શ્રી, ઝોન-૨ ના સીધા સુપરવિઝન હેઠળ ઝોન-૨ એલ.સી.બી સ્કોડના પો.સ.ઈ.એસ.આર.રાજપૂત તેમજ એલ.સી.બી. સ્ટાફના માણસો સાથે તા.૦૧/૦૬/૨૦૨૪ ના રોજ પેટ્રોલીંગમાં હતા, દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે માધવપુરા દુધેશ્વર સ્મશાનગુહની અંદર આવેલ સ્નાનાગારના બાથરૂમમાં સંતાડી રાખેલ પરપ્રાંતિય ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની મોટી બોટલો કુલ નંગ-૩૪૨ જેની કુલ્લે કિ.રૂ.૪૭,૭૩૦/- નો વિદેશી દારૂનો જથ્થો પકડી લીધો છે આ વિદેશી દારૂ મંગાવનાર અને હદપાર થયેલ આરોપીને પકડી લઈ તેની વિરુધ્ધમાં માધવપુરા પોલીસ સ્ટેશન ખાતે પાર્ટ સી ગુ.ર.ન.૧૧૧૯૧૦૧૦૨૪૦૩૬૩/૨૦૨૪ ધી ધી પ્રોહી એક્ટ કલમ-1/3૬૬(૧)(બી), ૬૫(એ)(ઈ),૧૧૬(બી) મુજબનો ગુનો દાખલ કરી પ્રોહીબીશન અંગેનો ગણનાપાત્ર કેશ શોધી કાઢી તેમજ આરોપી તડીપાર થયેલ હોય તેની વિરુધ્ધમાં જી.પી.એક્ટ કલમ ૧૪૨ હેઠળ ફરીયાદ દાખલ કરાવી પ્રસંશનીય કામગીરી એલ.સી.બી ઝોન-૨ સ્ક્વોડ દ્વારા કરવામાં આવેલ છે.

માધવપુરા પોલીસ સ્ટેશન વિસ્તાર મા અનેકો વાર ઝોન 2 ડીસીપી, અમદાવાદ શહેર PCB, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રેડ કરવાના આવી છે અને મસ મોટા મુદ્દામાલ સાથે કેસ કરવામાં આવ્યો છે પરંતું માધવપુરા પોલીસ સ્ટેશન ના કર્મચારીઓ માત્ર 2 ,5 લીટર ના દેશી દારૂ ના કેસ કરીને. સંતોષ માની લેછે અને ઉપલા અઘિકારીઓ આખ આડા કાન કરે છે કોઈ એક્શન કેમ લેવામાં આવતું નથી એક મોટો સવાલ છે….

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Blog

હિંમતનગરમાં નિવૃત્તિ પોલીસકર્મીને ધોળે દિવસે ઘરમાં ઘૂસીને તિક્ષ્ણ હથિયાર વડે હત્યા

0 0
Read Time:2 Minute, 22 Second

હિંમતનગરમાં નિવૃત્તિ પોલીસકર્મીને ધોળે દિવસે ઘરમાં ઘૂસીને તિક્ષ્ણ હથિયાર વડે હત્યા હિંમતનગરસાંબરકાઠામાં રહેતા નિવૃત પોલીસકર્મીના ઘરે બપોરે પતિ અને પત્નીને બપોરના સમયે ઘરમાં કોઈ હત્યા કરી ભાગી ગયો હતો. અને તેના ઘરમાં તીક્ષ્ણ હથિયારો મળી આવ્યા હતા. અને જ્યારે લોકો ઘરની અંદર ગયા ત્યારે નિવૃત્ત પોલીસકર્મી પતિ અને પત્ની લોહીલુહાણ હાલતમાં જમીન તેમની લાશ પડેલી હતી. આ વાતની જાણ પોલીસને થઈ ત્યારે પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. અને સમગ્ર મામલાની તપાસ હાથ ધરી હતી.સાંબરકાઠામાં ભરબપોરે દંપતીનું મર્ડર થઈ જાય છે.

અને કોઈને ખબર પડતી નથી. બસ આવી હિંમતનગરમાં મોટકોટડા ગામમાંના વતની અને હાલ હિંમતનગરમાં રામનગરમાં રહેતા વિક્રસિંહ ભાટી અને તેમના પત્ની મીનાકુમારીનું આજરોજ બપોરે તેમના ઘરમાં ઘૂસીને કોઈ અજાણ્યા શખ્સે તેમનું હત્યા કરી નાખી છે. જ્યારે સોસાયટીના સભ્યોને ખબર પડી ત્યારે સોસાયટીમાં એક ભયનો માહોલ જોવા મળી રહ્યો હતો. અને મર્ડર થવાની વાત પોલીસને ખબર પડી ત્યારે તાત્કાલિક પોલીસ ઘટના સ્થળ પર આવી તપાસ ચાલુ કરી લીધી છે.જ્યારે દંપતીની હત્યા થઈ ત્યારે સોસાયટીના લોકો ઘરની અંદર ગયા ત્યારે દંપતી ઘરના અંદર જમીન ઉપર લુહીલુહાણમાં તેમની લાશ પડેલી હતી. અને તેમના ઘરમાંથી તીક્ષ્ણ હથિયારો તેમના ઘરમાંથી મળી આવેલા હતા. જ્યારે આ મર્ડરની વાત સમગ્ર હિંમતનગમાં ચર્ચાનો વિષય બન્યો છે. અને આસપાસના વિસ્તારોમાં એક ચર્ચાનો વિષય છે. અને અજાણ્યા વિરુદ્ધ સામે મર્ડરનો ગુનો નોધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. એક નિવૃત્તિ પોલીસક્રમીને દિવસ દરમિયાન ઘરમાં ઘૂસીને તેમનું મર્ડર થઈ જાય તે એ ખુબ જ દુખની વાત છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %