Categories
Banaskatha

અંબાજી નજીક લકઝરીનો અકસ્માત થતા 4ના મોત, 15 થી વધારે ધાયલ

0 0
Read Time:2 Minute, 30 Second

અંબાજી નજીક લકઝરીનો અકસ્માત થતા 4ના મોત, 15 થી વધારે ધાયલ


અંબાજી
અંબાજી નજીક આવેલા ત્રિશૂલિયા ઘાટ પાસે આજે સવારે લકઝરી બસનું જોરદાર અકસ્માત થયો છે. આ અકસ્માતમાં 4 લાકોના મોત થયા છે. અને 15 જેટલા લોકો ઈજા પહોંચી છે. તમામને પાલનપુર ખાતે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે અકસ્માત થયો ત્યારે પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી. અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
નવરાત્રિના દિવસો ચાલી રહ્યા છે. ત્યારે લોકો દર્શન કરવા માટે લોકો ગામડે કાંતો મંદિરે જતા હોય છે. તેવામાં આજે સવારે એક લકઝરી જે યાત્રીકોને લઈને અંબાજી નજીક ત્રિશૂલિયા ઘાટ પાસે પસાર થઈ ગઈ હતી. ત્યારે તે ફૂલ સ્પીડમાં હતી. તેવામાં ડ્રાઈવરે બેલેન્સ ગુમાવતા તે બેરીંગ તોડીને સામેની સાઈડમાં લકઝરી અથડાઈ હતી. અને અકસ્માત થયો હતો. તે અકસ્માત થતા. ત્યાના સ્થાનિક લોકો ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. અને લોકોને મદદે લાગ્યા હતા.
લકઝરીનો અકસ્માત એટલો જોરદાર હતો કે તે અકસ્માતમાં ઘટના સ્થળ પર જ 4 વ્યક્તિના મોત થયા હતા. અને 15થી વધારે મુસાફરો ઘાયલ થયા હતા. જે લોકોને ઈજા પહોંચી છે. તે લોકોને તાત્કાલિક ખેડાના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. લોકોનું કહેવુ એ છે કે લકઝરીનો ડ્રાઈવર નશામાં હતો. અને તે નશામાં લકઝરી ચલાવતો હતો. તેના કારણે અકસ્માત સર્જાયો હતો. જ્યારે અકસ્માત થતાની સાથે જ આસપાસના લોકો ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. અને એમ્બુલન્સને કોલ કર્યો હતો. તાત્કાલિક એમ્બુલન્સ ઘટના સ્થળ પર આવીને લોકોને મદદ પર પહોંચી હતી. તેવામાં 4 લોકો ઘટના સ્થળ જ મોત થયા હતા. આ વાતની જાણ પોલીસને કરવામાં આવી તો પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચીને તાત્કાલિક પગલા લીધા હતા. અને અકસ્માત કેમ થયો તેની તપાસ કરવામાં લાગી ગઈ હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad

12 વર્ષથી નીચેનાના બાળકોને પ્રવેશના આપતા ખેલૈયાઓમાં રોષ જોવા મળ્યો

0 0
Read Time:2 Minute, 43 Second

12 વર્ષથી નીચેનાના બાળકોને પ્રવેશના આપતા ખેલૈયાઓમાં રોષ જોવા મળ્યો


– પાસ હોવા છતા પ્રવેશ ના આપતા પોલીસ બોલાવાની ફરજ પડી
અમદાવાદ


અમદાવાદમાં ગરબાનું આયોજન ઠેર ઠેર કરવામાં આવી રહ્યુ છે. તેવામાં ઘર્ષણ પણ જોવા મળી રહ્યુ છે. તેવામાં સાયન્સ સીટી ઉપર શેરી ગરબાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. તેવામાં કાલે ખેલૈયાઓ ગરબા રમવા ગયા હતા. ત્યારે 12 વર્ષના બાળકોને પ્રવેશના આપતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો હતો. અને લોકોમાં ગુસ્સો જોતા પોલીસ બોલાવાની ફરજ પડી હતી.
જે દિવસથી નવરાત્રિઓ ચાલુ થઈ છે. તેવામાં ગુજરાતમાં અમૂક જગ્યા પર લોકોમાં પ્રવેશને લઈને અનેક જગ્યાએ રોષ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં આવેલા સાયન્સ સીટી રોડ પર મધુબન પાર્ટી પ્લોટમાં લોકોનો રોષ જોવા મળી રહ્યો હતો. જ્યારે લોકો ગરબા રમવા આવ્યા ત્યારે 12 વર્ષથી નાના બાળકોને પ્રવેશના આપતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો હતો. અને પોલીસ બોલાવવાનો વારો આવ્યો હતો.
ત્યારે ખેલૈયાઓનું કહેવુ છે. કે અમે અહી પાર્ટી પ્લોટમાં ગરબા રમવા માટે ઓનલાઈન પાસ ખરીદ્યા હતા. અમારા બાળકોના પણ પાસ છે. તેવામાં જ્યારે આજે અમે ગરબા રમવા આવ્યા ત્યારે આયોજકોએ પાસ હોવા છતા 12 વર્ષથી નાના બાળકોને પ્રવેશના આપ્યો હતો. આયોજક ઉપર એક્શન લેવાની વાત કરી હતી. અને પોલીસને પણ બોલાવામાં આવી હતી. પોલીસ ઘટના સ્થળ પર પહોંચી અને મામલો શાંત પાડવાની કોશિક કરી રહ્યા હતા. પણ આયોજકોએ કહ્યુ હતુ. કે ગરબાતો નિયમ પ્રમાણે જ થશે.
થોડા દિવસ પહેલા જ આ પાર્ટી પ્લોયમાં 3 દિવસ પહેલા જ નાના બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. પણ અચાનક આ ફેસલો બદલીને કહેવામાં આવ્યુ કે 12 વર્ષથી નીચેનાના બાળકોને પ્રવેશ આપવામાં નહી આવે તેવામાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો હતો. ત્યાના ખેલૈયાઓએ કહ્યુ હતુ. કે આ આયોજકોનો ખોટો નિર્ણય છે. નાના બાળકોને પ્રવેશ જ આપવો જોઈએ. જેથી કરીને ખેલૈયાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
vadodara

વડોદરામાં સગીરા ઉપર સામૂહિક દુષ્કર્મ કરનારા આરોપીઓની ધરપકડ

0 0
Read Time:59 Second

વડોદરામાં સગીરા ઉપર સામૂહિક દુષ્કર્મ કરનારા આરોપીઓની ધરપકડ


વડોદરા
વડોદરા શહેરમાં સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ કરનારા આરોપી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓને પોલીસને સોંપશે. 16 વર્ષની સગીરા ઉપર ગરબા રમવા જતી હતી. ત્યારે પ જણાએ તેના ઉપર ગેંગ રેપ કર્યો હતો. 2 દિવસ પછી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી છે. તેમની હવે જિલ્લા પોલીસ દ્વારા સોંપવામાં આવશે. અને તેમનુ પુછપરછ કરાશે.
જે આરોપીને પકડવામાં આવ્યા છે. તાંદલજા વિસ્તારના રહેવાસી છે. જે આરોપીઓ ઝડપાયા છે. તે વિધર્મીઓ છે. થોડા સમયથી તેવો તાંદલજામાં રહે છે. તમામ આરોપીઓ ઉત્તર પ્રદેશના રહેવાસી કહેવામાં આવી રહ્યુ છે.

Happy
Happy
50 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
50 %
Surprise
Surprise
0 %
Categories
સાબરકાંઠા સમાચાર

પાલનપુરમાં ગરબા જોઈ પરત ફરતા ત્રણ યુવકનું મોતપેટા ફોર્ચ્યુનરમાં દારૂની બોટલ પડી હોવાનો વીડિયો વાઈરલa

0 0
Read Time:2 Minute, 25 Second

પાલનપુરમાં ગરબા જોઈ પરત ફરતા ત્રણ યુવકનું મોત
પેટા ફોર્ચ્યુનરમાં દારૂની બોટલ પડી હોવાનો વીડિયો વાઈરલ

બનાસકાંઠા


ફોર્ચ્યુનર કારના ચાલકે મોટરસાયકલને ટક્કર મારતા ત્રણ યુવકોના મોત નિપજ્યા છે, જ્યારે એક યુવક ઘાયલ થતા સારવાર માટે ખસેડાયો છે. અકસ્માત એટલો ગંભીર હતો કે, ફોર્ચ્યુનગર કારના આગળના ભાગ અને મોટરસાયકલના ફૂરચા નીકળી ગયા હતા. અકસ્માતગ્રસ્ત કારમાં નંબર પ્લેટ લગાવેલી ન હતી.

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ઘાડા ગામના મહીપતસિંગ વાઘેલા, પંકજસિંગ વાઘેલા, યોગેન્દ્રસિંગ વાઘેલા અને મહાવીરસિંગ વાઘેલા નામના યુવકો પોતાનું મોટરસાયકલ લઈને ધાનેરાના ખીમંત ગામે ગરબા જોવા માટે ગયા હતા. ચારેય મિત્રો રાત્રિના સાડા અગિયાર વાગ્યાના અરસામાં ગરબા જોઈને પરત પોતાના ગામ ધાડા જઈ રહ્યા હતા ત્યારે ખીમંત ગામના ઉમેદપુરાના પાટીયા પાસે સામેથી આવી રહેલી ફોર્ચ્યુનર કારના ચાલકે ટક્કર મારતા રસ્તા પર મરણચીંસો ગુંજી ઉઠી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે, ત્રણ યુવકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા જ્યારે અન્ય એક ઘાયલ થતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.
મૃતકોના નામ મહીપતસિંગ ભજુસિંગ વાઘેલા પંકજસિંગ ધારૂસિંગ વાઘેલા યોગેન્દ્રસિંગ વીજુસિંગ વાઘેલા
ઈજાગ્રસ્ત મહાવીરસિંહ દાદુસિંગ વાઘેલા
ફોર્ચ્યુનગરના ચાલકે 200 મીટર સુધી બાઈકને ઢસક્યું પૂરપાટ ઝડપે કાર ચલાવી રહેલા ફોર્ચ્યુનગરના ચાલકે મોટર સાયકલને અડફેટે લઈને 200 મીટર સુધી ઢસડ્યું હતું. મોટરસાયકલ પર સવાર મહાવીરસિંહ નામનો યુવક ફેંકાય ગયો હતો. જ્યારે અન્ય ત્રણ યુવકો મોટર સાયકલ સાથે જ ઢસડાયા હતા અને લોહીલુહાણ થતા ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Breaking news

ગાંધીનગરમાં વીએચપી, બજંરગ દળ અને પોલીસ વચ્ચે ગરબાને લઈને ઉગ્ર બોલાચાલી થઈ

0 0
Read Time:2 Minute, 8 Second

ગાંધીનગરમાં વીએચપી, બજંરગ દળ અને પોલીસ વચ્ચે ગરબાને લઈને ઉગ્ર બોલાચાલી થઈ

ગાંધીનગર
ગાંધીનગર ખાતે આયોજન કરવામાં આવતા ગરબા પણ કાલે તિલક લગાવાને કારણે ગરબામાં બબાલ થઈ ગઈ હતી. પોલીસ અને બજરંગ દળના કાર્યકર્તા વચ્ચે બબાલ થઈ હતી.
ગુજરાતમાં ગરબાનો તહેવાર ચાલી રહ્યો છે. તેવામાં સમગ્ર ગુજરાતમાંથી લોકો રાત્રે મન મુકેને ગરબા ગાતા હોય છે. અને ગરબામાં કોઈ પણ પ્રકારની અજુકતુ ન બને તે માટે પોલીસ પણ તહેનાત કરવામાં આવી છે. સાદા કપડામાં પણ પોલીસ હાજર હોય છે. જેથી લોકો ગરબા સારી રીતે રમી શકે. તેવામાં ગાંધીનગર ખાતે સરગાસણમાં એક દિવસનું ગરબાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. તેવામાં ખેલૈયાઓ ગરબા રમવા ત્યા પહોંચી ગયા હતા.


ત્યારે ગાંધીનગરમાં સરગાસણમાં ગરબા રમવા ખેલૈયાઓ જ્યારે એન્ટ્રી લેતા હતા. ત્યારે તેમના માથા ઉપર તિલક કરવામાં આવ્યુ હતુ. તે ફરજીયાત હતુ. જ્યારે બજરંગ દળ અને વીએચપીના કાર્યકરો પોલીસને તિલક લગાવતા હતા.ત્યારે બંન્ને વચ્ચ ઘર્ષણ જોવા મળી રહ્યુ હતુ. અને બંન્ને પક્ષ એક બીજાની સામે આવી ગયા હતા. અને મામલો વધારે ઉગ્ર બન્યો હતો.


આયોજકો અને ખેલૈયાઓ વચ્ચે બબાલ થઈ હતી. તેવામાં બજરંગ દળ અને વીએચપીના કાર્યકર્તાઓ વચ્ચે પડ્યા હતા. અને ખેલૈયાઓ વચ્ચે તકરાર થઈ હતી. તેવામાં ગરબા રમતા ખેલૈયાઓનો વીડિયો ઉતારતા હતા. તેને લઈને પણ બબાલ થઈ હતી.
જ્યારે બજરંગ દળ અને વીએચપીના કાર્યકર્તાઓ જ્યારે તિલક કરવા ગયા ત્યારે વચ્ચે ઘર્ષણ જોવા મળી રહ્યુ હતુ. અને બંન્ને બબાલ થતા પોલીસે કર્મચારીઓએ લાઠી ચાર્ચ કર્યુ હતુ.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Gandinagr

ભાજપના નેતા અને પૂર્વ ધારાસભ્ય શંભુજી ઠાકોર નું આજે વહેલી સવારે થયું અવસાન

0 0
Read Time:1 Minute, 27 Second

ભાજપના નેતા અને પૂર્વ ધારાસભ્ય શંભુજી ઠાકોર નું આજે વહેલી સવારે થયું અવસાન

ગાંધીનગર

74 વર્ષનાં શંભુજી ઠાકોર લાંબા સમયથી બીમાર હતા તેમના નિવાસ્થાનથી અંતિમયાત્રા સેક્ટર 30 ના અંતિમધામ નીકળશેગુજરાતનાં રાજકારણમાંથી એક ખૂબ જ દુ:ખદ સમાચાર આવ્યા છે. ગાંધીનગર દક્ષિણનાં પૂર્વ ધારાસભ્ય શંભુજી ઠાકોરનું આજે સવારે દુઃખદ નિધન થયું છે. 74 વર્ષના શંભુજી ઠાકોર લાંબા સમયથી બીમાર હતા. માહિતી મુજબ, આજે સવારે તેમના નિવાસસ્થાનથી અંતિમયાત્રા સેક્ટર 30 નાં અંતિમધામ નીકળશે.શંભુજી ઠાકોર ભારતીય જનતા પાર્ટીનાં વરિષ્ઠ નેતાઓ પૈકી એક હતા. વર્ષ 2012 અને 2017 માં તેઓ ગાંધીનગર દક્ષિણ, ગુજરાતમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. જો કે, વર્ષ 2022 ની વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ તેમને આરામ આપ્યો હતો અને તેમની જગ્યાએ અલ્પેશ ઠાકોરને જવાબદારી સોંપી હતી. શંભુજી ઠાકોર ગુજરાત વિધાનસભાનાં ભૂતપૂર્વ ડેપ્યુટી સ્પીકર પણ રહી ચૂક્યા છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
vadodara

વડોદરા એરપોર્ટને ઈમેલ દ્વારા ઉડાવાની ધમકી મળી

0 0
Read Time:1 Minute, 48 Second

વડોદરા એરપોર્ટને ઈમેલ દ્વારા ઉડાવાની ધમકી મળી

વડોદરા

વડોદરા એરપોર્ટને આજે સવારે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભરીયો ઈમેલ આવ્યો હતો. આ ઈમેલ આવતાની સાથે જ એરપોર્ટ કંપનીના કર્મચારીઓ તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. અને પોલીસ દ્વારા ઈમેલ ક્યાથી આવ્યો હતો. તેની તપાસ શરૂ કરી દેવામાં આવ્યો છે.થોડા દિવસ પહેલા દિલ્હીની સ્કુલોમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવતી હતી. પણ તે ખાલી અફવા નીકળી હતી. પણ આજે સવારે 11 વાગ્યે વડોદરા ખાતે એરપોર્ટ ઉડાવી દેવાની ધમકી આપી હતી. જેથી એરપોર્ટના ઉચ્ચ અધિકારીઓ તરત જ એક્સનમાં આવી ગયા હતા. અને એરપોર્ટ ઉપર તાત્કાલિક બોમ્બ સ્કોવોડને બોલાવામાં આવ્યુ હતુ. અને સમગ્ર એરપોર્ટ ઉપર તાત્કાલિક સુરક્ષાને લઈને એરપોર્ટ ઉપર તપાસ ચાલુ કરી દેવામાં આવી છે. જ્યારે સંપૂર્ણ એરપોર્ટ ઉપર તપાસ કરી ત્યારે કોઈપમ શંકાસ્પદ વસ્તુઓ મળી નહી હતી. પણ આ ઈમેલ ક્યાથી આવ્યો હતો. અને કોને મોકલ્યો હતો. તેની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. જ્યારે બોમ્બથી એરપોર્ટને ઉડાવાની ધમકી આપવામાં હતી. આ વાતની ખબર પડતા ત્યાના મુસાફરોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો હતો. પણ જ્યારે ચેકિગમાં કોઈ પણ વાધાજનક વસ્તુ ના મળતા મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Ahemdabad crime news

ડી માર્ડમાં પરિવાર ખરીદી કરવા ગયુ તો ગાડીમાંથી ચોર 60 હજાર ચોરી કરી ફરાર

0 0
Read Time:1 Minute, 42 Second

ડી માર્ડમાં પરિવાર ખરીદી કરવા ગયુ તો ગાડીમાંથી ચોર 60 હજાર ચોરી કરી ફરાર
અમદાવાદ
અમદાવાદમાં એક પરિવાર પોતાના પરિવાર સાથે ડી માર્ડમાં ખરીદી કરવા ગયુ હતુ. ત્યારે ખરીદી કરીને જ્યારે પાછા આવ્યા ત્યારે ગાડીનો કાચ તુટેલો હતો. અને અંદર રહેલા 60 હજાર રૂપિયા અને કોઈ આધાર કાર્ડ જેવી વસ્તુઓ ગાયબ હતી. તે જોઈને પરિવાર ડરી ગયુ હતુ. અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
અમદાવાદમાં ચોરીની ઘટના દિવસે દિવસે વધતી જતી હોય છે. હવે ખાસ કરીને હવે તહેવાર શરૂ થઈ ગઈ છે. ત્યારે ચોરીના બનાવો પણ વધતા રહે છે. બટ્ટીકુમાર ગાંધીનગર ખાતે રહે છે. શનિવારે પોતાના પરિવાર સાથે ડી માર્ડમાં ખરીદી કરવા ગયા હતા. ત્યારે તેમની કાર રોડ ઉપર પાર્ક કરી હતી. જ્યારે પરિવાર ખરીદી કરીને પાછા આવ્યા ત્યારે તેમને જોયુ કે ગાડીના કાચ તુટેલા હતા. અને તે તરત જ અંદર જઈને જઈને જોયુ કાળા કલરની બેગ ગાયબ હતી. અને બેગની અંદર રહેલા ડોક્યુમેન્ટ અને રોકડા 60 હજાર રૂપિયા હતા નહી. અને તેમની પત્નીનું આધાર કાર્ડ, એટીએમ કાર્ડ વગેરે જેવી વસ્તુઓ બેગની અંદર હતી. તેથી તરત જ ચાંદખેડા પોલીસ સ્ટેશન નજીક ફરિયાદ નોંધા
વી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Gandinagr

અમિત શાહે ગાંધીનગર ખાતે હીરામણી હોસ્પિટલનું લોકાર્પણ કર્યુ

0 0
Read Time:1 Minute, 21 Second

અમિત શાહે ગાંધીનગર ખાતે હીરામણી હોસ્પિટલનું લોકાર્પણ કર્યુ
ગાંધીનગર

ગાંધીનગર ખાતે આવેલી હીરામણી હોસ્પિટલમાં અમિત શાહે લોકાર્પણ કર્યુ હતુ. આ હોસ્પિટલ 50 કરોડના ખર્ચે બનેલી છે. અને અમિત શાહે આજે અડાલજ ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં હાજરી આપી હતી.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ બે દિવસથી ગુજરાતના પ્રવાસે છે. કાલે રાત્રે તેવો વાઈબ્રન્ટ ગુજરાત નવરાત્રીનું મહોત્સવનું ઉદ્દાટન કર્યુ હતુ. અને આજે સવારે અમિત શાહે ગાધીનગર ખાતે આવેલી આધુનિક હીરામણી હોસ્પિટલનું અમિત શાહે લોકાર્પણ કર્યુ હતુ. તે બનાવાની કિંમત લગભગ 50 કરોડ બનેલી છે. અને તેના દ્વારા ગાંધીનગરની આસપાસના લોકો તે હોસ્પિટલનો લાભ લઈ શકશે. અને હોસ્પિટલનું લોકાર્પણ કર્યા પછી અમિત શાહે અડાલજ ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં હાજરી પણ આપી હતી. આ કાર્યક્રમમાં ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ અને મંત્રી પરિમલ નથવાણી હાજર હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
aanad

આણંદના વિદ્યાનગરમાં પ્રથમ નોરતે જ યુવક મંડળના ગ્રાઉન્ડમાં લાગી આગ

0 0
Read Time:1 Minute, 48 Second

આણંદના વિદ્યાનગરમાં પ્રથમ નોરતે જ યુવક મંડળના ગ્રાઉન્ડમાં લાગી આગ

આણદ

નવરાત્રીની પ્રથમ રાત્રે આણંદ શહેરમાં ઠેર-ઠેર ગરબાની રમઝટ જામી હતી. દરમિયાન વિદ્યાનગર રોડ યુવક મંડળ દ્વારા આયોજીત વૃંદાવન ગરબા ગ્રાઉન્ડમાં ઉભા કરાયેલા ફોટો બુથ ડોમમાં એકાએક આગ લાગતાં અફરાતફરી મચી હતી. જોકે, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.આજથી નવલી નવરાત્રીનો પ્રારંભ થયો છે. ત્યારે, દર વર્ષની જેમ આ વર્ષે પણ વૃંદાવન ગરબા ગ્રાઉન્ડમાં વિદ્યાનગર રોડ યુવક મંડળ દ્વારા ભવ્ય નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે. ખેલૈયાઓ માટે અનેકવિધ સુવિધાથી સજ્જ આ ગ્રાઉન્ડમાં આજે નવરાત્રીની પ્રથમ રાત્રે માતાજીની આરતી બાદ ગરબાની રમઝટ જામી હતી. દરમિયાન આ ગરબા ગ્રાઉન્ડમાં ખેલૈયાઓ માટે બનાવાયેલા ફોટો બુથ ડોમમાં એકાએક આગ લાગી હતી. મંડપના કાપડને પગલે આ આગ જોતજોતામાં વધુ પ્રસરવા લાગી હતી. જેથી ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. દરમિયાન આયોજકો, વોલેન્ટીયરો તેમજ ત્યાં હાજર લોકો આ આગ બુઝાવવા માટે પાણીનો છંટકાવ કરવા લાગ્યાં હતાં. બીજી બાજુ ઘટનાની જાણ થતાં આણંદ ફાયરબ્રિગેડની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી લીધો છે. સદનસીબે આગની આ ઘટનામાં કોઈ જાનહાની થયેલ નથી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %