કચ્છના સરહદ ડેરીનો મહત્ત્વનો નિર્ણય 7 તારીખે જે પશુપાલકો મતદાન કરશે તેમને દૂધમાં 1 રૂપિયો પ્રતિલિટર વધુ મળશે. કચ્છ. કચ્છના સરહદ ડેરીના એક નિર્ણય લેવામાં આવ્યો છે. કે પશુ પાલકનો 7 તારીખે મતદાન કરશે તેમને પ્રતિ લિટર દૂધ 1 રૂપિયાનો વધારો કરવામાં આવશે. આ વધારોના લીધે 34 હજાર પશુપાલકોને ફાયદો થશે. અને સરહદ ડેરી દ્વારા મતદાનના દિવસે 1.5 કરોડ પશુપાલકને વધારે ચૂકવામાં આવશે.ભારતમાં અત્યારે લોકશાહી ચૂટણી ચાલી રહી છે. જેમાં દરેક દેશવાસીઓ પોતાનો કિમતી મત આપે તેવી દરેક નાગરિકને સરકાર દ્વારા અને ખાનગી કંપનીઓ દ્વારા અપીલ કરવામાં આવતી હોય છે. જે તારીખે જે તે રાજ્યમાં મતદાન હોય તે રાજ્યમાં રજા પણ જાહેર કરવામાં આવી હોય છે. અને દરેક કંપની હોય કે ડેરીઓ હોય પોતાના કર્મચારી મત માટે જાગૃત્ત થાય તે માટે વિવિધ પ્રકારની ઓફર આપતા હોય છે. બસ એક આવો ઓફર કચ્છના સરહદ ડેરીના પશુપાલકો માટે એક ઓફર કરવામાં આવી છે. ગુજરાતમાં 7 તારીખે જે પોતાનો મત આપશે તેમને પ્રતિલિટર 1 રૂપિયો વધારે કરવામાં આવાયો છે. તેના લીધે 34 હજાર પશુપાલકોને ફાયદો થશે.સરહદ ડેરી ચેરમેન વલમજી આર. હુંબલ કહ્યુ હતુ. કે જે પશુ પાલકો અમારા ત્યા દૂધ આપે છે. તેમને 7 તારીખે જે મતદાન આપશે તેમને 1 રૂપિયા પ્રતિલિટર વધારે આપવામાં આવશે. તેથી સરહદ ડેરી તે દિવસે 1.5 કરોડ વધારે ચૂકવશે. જ્યારે દૂધ ભરવા આવશે પશુ પાલકો ત્યારે તેમના હાથમાં મતદાનનું નિશાન હશે તેને જ 1 રૂપિયો વધુ મળશે. આથી લોકોમાં મતદાનનું જાગૃતિ થાય તે માટે આ ડેરી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય થી પશુપાલકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો. રિપોર્ટર રાહુલ દેસાઈ
![કચ્છના સરહદ ડેરીનો મહત્ત્વનો નિર્ણય 7 તારીખે જે પશુપાલકો મતદાન કરશે તેમને દૂધમાં 1 રૂપિયો પ્રતિલિટર વધુ મળશે. કચ્છના સરહદ ડેરીનો મહત્ત્વનો નિર્ણય 7 તારીખે જે પશુપાલકો મતદાન કરશે તેમને દૂધમાં 1 રૂપિયો પ્રતિલિટર વધુ મળશે.](https://gooddaygujaratnews.com/wp-content/uploads/2024/05/Screenshot_2024_0504_193219.jpg)