Categories
Breaking news

સમગ્ર દેશમાં પ્રથમ વખત ગુજરાતના બાળકો સોશિયલ મીડિયા- સ્માર્ટ ફોનની નકારાત્મક અસરોથી દૂર રહે તે માટે રાજ્ય સરકાર રજૂ કરશે શિક્ષકો – વાલીઓ અને બાળકો માટે ગાઈડલાઈન

2 0
Read Time:6 Minute, 14 Second

સમગ્ર દેશમાં પ્રથમ વખત ગુજરાતના બાળકો સોશિયલ મીડિયા- સ્માર્ટ ફોનની નકારાત્મક અસરોથી દૂર રહે તે માટે રાજ્ય સરકાર રજૂ કરશે શિક્ષકો – વાલીઓ અને બાળકો માટે ગાઈડલાઈન

બાળકોને સોશિયલ મીડિયા-સ્માર્ટ ફોનથી થતી પ્રતિકૂળ અસરોને લઈનેરાજ્ય સરકાર સતત ચિંતિત

:- રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા

બાળકોને આવનારા સમયમાં શ્રેષ્ઠ નાગરિક બનાવવો હોય તો તેને સોશિયલ મીડિયા- સ્માર્ટ ફોનથી દૂર રાખવો પડશે :- શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા

સમગ્ર દેશમાં કેટલાક સમયથી બાળકોમાં સોશિયલ મીડિયા- સ્માર્ટ ફોનનો વ્યાપ વધી રહ્યો છે, જેના કારણે બાળકોમાં વાંચન શક્તિ અને રમત ગમતનો વ્યાપ પણ ઘટી રહ્યો છે, જેની ચિંતા કરીને રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ સ્વર્ણિમ સંકુલ -૨ ગાંધીનગર ખાતે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી સુનયના તોમર સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે આજે બાળકોને સોશિયલ મીડિયા- સ્માર્ટ ફોનની નકારાત્મક અસરોથી બાળકોને કઈ રીતે દૂર રાખી શકીએ તે અંગે ગંભિર ચર્ચા કરવામાં આવી હતી. વધુમાં મંત્રી શ્રીએ ઉમેર્યું કે, બાળકો – વાલીઓ અને શિક્ષકો માટે ચિલ્ડ્રન યુનિવર્સિટી અને ટીચર યુનિવર્સિટી તેમજ સિવિલના સાયકાટ્રીસ્ટની સાથે પરામર્શ કરીને એક પરિપત્ર બહાર પાડવામાં આવશે અને બાળકોના ભવિષ્યની ચિંતા કરીને એક અભિયાન સ્વરૂપે શરૂ કરવામાં આવશે.

રાજ્ય શિક્ષણમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, બાળકોનો સોશિયલ મીડિયા-સ્માર્ટ ફોનનો વધુ ઉપયોગ તેમની શારીરિક અને માનસિક શક્તિને અસર કરી રહ્યો છે, બાળકો મોબાઈલનો ઉપયોગ ઓછુ કરે અને રમત ગમત પ્રત્યે વધુ ધ્યાન આપે તે માટે વાલીઓ તેમજ શિક્ષકો માટે એક પરિપત્ર બહાર પાડવામાં આવશે જેમાં શિક્ષકોનો ક્લાસરૂમમાં મોબાઈલના ઉપયોગ પર પ્રતિબંધ, અને પ્રાથમિક શાળાના બાળકો મોબાઈલ લઈને શાળામાં ન જઈ શકે તે માટે કડક પગલા લેવામાં આવશે.વધુમાં મંત્રીશ્રીએ ઉમેર્યું કે, બાળકોના સોશિયલ મીડિયા-સ્માર્ટ ફોનના ઉપયોગને બદલે તેમને વાંચન – રમત ગમત જેવી પ્રવૃતિઓમાં જોડાયેલા રહે તે માટે શાળાઓના શિક્ષકોને માહિતગાર કરવામાં આવશે, સાથોસાથ મંત્રીશ્રીએ બાળકોના માતા-પિતાને વિનંતી કરી હતી કે, બાળકોની સામે પોતે સોશિયલ મીડિયાનો ઉપયોગ ન કરે, માતા-પિતા પોતે પોતાના બાળકના ભવિષ્યની ચિંતા કરીને સોશિયલ મીડિયાથી બાળકને દૂર રાખે.

સમગ્ર ભારતમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં તેમજ ઉચ્ચતર અને ટેકનિકલ શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ અને શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાના નેતૃત્વમાં બાળકો સોશિયલ મીડિયાથી દુર રહી પોતાના જીવનમાં વાંચન અને રમત ગમતને સ્થાન આપે તે માટે શિક્ષકો અને વાલીઓ – બાળકો માટે એક પરિપત્ર બહાર પાડનારું ગુજરાત પ્રથમ રાજ્ય હશે અને અન્ય રાજ્યો ગુજરાતથી પ્રેરણા લેશે તેવી મંત્રી શ્રીએ આશા વ્યક્ત કરી હતી. વધુમાં મંત્રી શ્રી એ એન.જી.ઓ, ધાર્મિક સંસ્થાઓ, તેમજ સામાજિક કાર્યકરો તેમજ મીડિયાના મિત્રોને બાળકોને સોશિયલ મીડિયા- સ્માર્ટ ફોનથી દૂર રહે તે માટેના મહાભિયાનમાં જોડાવા વિનંતી કરી હતી, તેમજ ચિલ્ડ્રન યુનિવર્સિટી અને ટીચર યુનિવર્સિટી સરકાર સાથે મળીને કઈ રીતે આ મહાભિયાન લોકો સુધી વધુને વધુ પહોચે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી.

દરેક શાળામાં શોર્ટ ફિલ્મ મારફતે બાળકોના વાલીઓને સોશિયલ મીડિયાના ઉપયોગો અને તેના નુકશાન વિષે માહિતગાર કરવામાં આવશે, વાલીઓ અને શિક્ષકો જો જાગૃત હશે તો જ બાળકો સોશિયલ મીડિયાથી દૂર રહી વાંચનની સાથે પોતાનો જીવન ઘડતર અને સ્પોર્ટ્સ સાથે જોડાઈને પોતાની તંદુરસ્તીનો ખ્યાલ રાખી શકશે.આ બેઠકમાં ઉચ્ચ અને ટેકનિકલ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી સુનયના તોમર, ટેકનિકલ કમિશનર શ્રી બંછાનિધિ પાની, નિયામક શ્રી ઉચ્ચ શિક્ષણ દિનેશ ગુરૂ, સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી લલિત નારાયણ સંધુ, શાળાઓના નિયામક શ્રી પ્રજેશ રાણા, નિયામક શ્રી પ્રાથમિક શાળા એમ.આઈ.જોષી, ચિલ્ડ્રન યુનિવર્સિટીના કુલપતિ શ્રી રાજેશ ગુપ્તા, સિવિલ હોસ્પિટલના સાયકાટ્રીસ્ટ કૌશલ બેન જાડેજા સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Breaking news

વૃદ્ધા પર રેપ બાદ હત્યા કરી લૂંટ ચલાવી :આણંદમાં બે યુવકે પોલીસે ઝડપી પાડ્યા

0 0
Read Time:2 Minute, 59 Second

વૃદ્ધા પર રેપ બાદ હત્યા કરી લૂંટ ચલાવી:આણંદમાં બે યુવકે પોલીસે ઝડપી પાડ્યા

આણંદઆણંદના એક ગામની સીમમાં એકલાં રહેતાં વૃદ્ધાના ઘરમાં રાત્રીના સમયે ઘૂસેલા બે શખસોએ વૃદ્ધા ઉપર દુષ્કર્મ ગુજાર્યાં બાદ તેનું ગળુ દબાવીને હત્યા કરી નાંખી હતી. જે બાદ ઘરમાંથી 50 હજારના મુદ્દામાલની લૂંટ કરીને બંને ફરાર થયા હતા. આ અંગે વિદ્યાનગર પોલીસે દુષ્કર્મ, હત્યા અને લૂંટનો ગુનો નોંધ્યો હતો. તેમજ પોલીસે ગણતરીના કલાકોમાં જ બંને હત્યારાઓને ઝડપી પાડી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.PM રિપોર્ટમાં હત્યા અને દુષ્કર્મ થયાનું સામે આવ્યું

આણંદ તાલુકાના એક ગામમાં એકલાં રહેતાં 70 વર્ષીય મહિલાનું ગત તારીખ 31 ડિસેમ્બરના રોજ રાત્રિના સમયે પોતાના ઘરમાં જ અગમ્ય કારણસર મોત નીપજ્યું હતું. આ અંગેની ફરિયાદ મળતાં પોલીસે એ.ડી દાખલ કરી, વૃદ્ધાના મૃતદેહને પી.એમ અર્થે મોકલી આપ્યો હતો. પીએમ રિપોર્ટમાં આ વૃદ્ધાનું મોત ગળું દબાવવાથી થયું હોવાનું જણાઈ આવ્યું હતું.

આ ઉપરાંત આ વૃદ્ધાના ગુપ્ત ભાગે ઈજાનાં નિશાન પણ જોવા મળ્યાં હતાં તેમજ મૃતક વૃદ્ધાએ પહેરેલી સોનાની બુટ્ટી કિંમત રૂપિયા 50,000 તેમજ એક મોબાઇલ કિંમત રૂપિયા 1500 મળીને કુલ રૂપિયા 51,500નો મુદ્દામાલ ગાયબ હતો, જેથી કોઈ અજાણ્યા ઇસમોએ આ વૃદ્ધા ઉપર દુષ્કર્મ ગુજાર્યા બાદ દોરી જેવી વસ્તુ વડે ગળું દબાવીને મોતને ઘાટ ઉતાર્યાં હોવાનું અને ત્યાર બાદ લૂંટ કરી ભાગી ગયા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું.ગુનો નોંધી પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો

આ અંગે મૃતકના જમાઈની ફરિયાદને આધારે વિદ્યાનગર પોલીસે અજાણ્યા શખસો વિરુદ્ધ બી.એન.એસ એક્ટની કલમ 64(1), 66, 103(1), 309(6), 311 મુજબનો ગુનો નોંધ્યો હતો અને ઘટનાસ્થળે જઈને તપાસ હાથ ધરી હતી. આ ગુનાનો ભેદ ઉકેલવા માટે વિદ્યાનગર પોલીસ તેમજ આણંદ એલ.સી.બી પોલીસની ટીમ કામે લાગી હતી. પોલીસની આ બંને ટીમોએ અલગ-અલગ વ્યક્તિઓની પૂછપરછ કરી હતી તેમજ હ્યુમન-ટેક્નિકલ ઈન્ટેલિજન્સ આધારે તપાસ હાથ ધરી હતી, જેમાં બે શંકાસ્પદોનાં નામ બહાર આવ્યાં હતાં.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Breaking news

એસ.પી રીંગ રોડ ઉપર ગમખ્યાર અકસ્માત- પતી અને પત્ની ઘટના સ્થળ પર મોત

0 1
Read Time:2 Minute, 2 Second


અમદાવાદ તા 02


અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આજે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સામે આવ્યો છે. મંદિરે દર્શન કરવા ગયેલા પટેલ દંપતીને ટ્રકે અડફેટે લઈ 100 ફૂટ ઢસડ્યા હતાં. આ અકસ્માતમાં પતી-પત્નિનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. SP રિંગ રોડ પર થયેલા અકસ્માતમાં બે નિર્દોષનાં મોત થતાં તેમના પરિવારમાં દુઃખનો માહોલ સર્જાયો છે. કચડાયેલાં માનવ અંગોને સ્થળ પરથી ખસેડવામાં આવી રહ્યાં છે, જ્યારે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. અકસ્માત સર્જીને ફરાર થયેલા ટ્રક ડ્રાઈવરની પોલીસે શોધખોળ હાથ ધરી છે.
ટ્રકનું ટાયર ફરી વળતા શરીરનાં ચીંથરાં ઊડી ગયાં અમદાવાદના SP રિંગ રોડના પાંજરાપોળ ચાર રસ્તા પાસેથી પસાર થતાં સમયે કાંતિભાઈ રવજીભાઈ પટેલ આશરે ઉં.વ. 62 અને દક્ષાબેન કાંતિભાઈ પટેલ ઉં.વ. 60ને ટ્રકે અડફેટે લીધા હતાં. મંદિરે દર્શન કરીને ઘરે પરત ફરતા સમયે દંપતી પર ટ્રકનું ટાયર ફરી વળતા શરીરનાં ચીથરાં ઊડી ગયાં હતાં. ઘટનાની જાણ થતાં રામોલ પોલીસ અને I ડિવિઝન પોલીસ સ્થળે દોડી ગઈ હતી. અકસ્માત બાદ ટ્રક સ્થળે મુકીને ચાલક ફરાર થઈ ગયો હતો. સ્થળે પહોંચેલી પોલીસે બન્ને લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલવાની પ્રક્રિયા હાથ ધરી હતી. એસપી રિંગ રોડ પર બનેલા આ બનાવ બાદ ટ્રાફિકજામ થઈ ગયો હતો. હાલ પોલીસ દ્વારા તમામ પ્રક્રિયા હાથ ધરીને આરોપીને પકડવા માટે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
33 %
Sleepy
Sleepy
33 %
Angry
Angry
0 %
Surprise
Surprise
33 %
Categories
Breaking news

સુરતમાં દિકારાએ પોતાના પરિવાર ઉપર સામૂહિક હત્યા કરવાનો પ્રયાસ કર્યો

0 0
Read Time:2 Minute, 32 Second

સુરતમાં દિકારાએ પોતાના પરિવાર ઉપર સામૂહિક હત્યા કરવાનો પ્રયાસ કર્યો

– પત્ની અને દિકરો ઘટના સ્થળ પર મોત

,સુરત

સુરત શહેરમાં આજે વહેલી સવારે ચોકાવનારો બનાવ સામે આવ્યો છે. સુરતમાં એક જ ઘરમાં રહેતા પરિવારે સામૂહિક હત્યા કરવામાં આવી છે. આ હત્યા કરનારો બીજો કોઈ નહી તેમને દિકરો સ્મિત છે. જેને પોતાના માતા પિતા પત્ની અને બાળકોને ચપ્પુને ઘા મારી હત્યા કરીને અને પછી પોતાના ગળાના ભાગ પર ચપ્પુ મારી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.

પરિવારના પત્ની અને બાળકનું મોત થયુ છે. અને માતા પિતા અને દિકરાને હાલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે. ક્યા કારણ હત્યા કરવામાં આવી હતી. તેની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.સુરત શહેરમાં ચોકાવનારો બનાવ સામે આવ્યો છે. જે પરિવારને દાગ લગાવડાનો કિસ્સો સામે આવ્યો.અમરેલીમાં સાવરકુંડલા રહેવાસી તે હાલ સુરતમાં સૂર્યા ટાવર સોસાયટીમાં રહે છે. તેમના સગા દિકરાએ આજે વહેલી સવારે પોતાના માતા પિતા, પત્ની અને પોતાના બાળકે હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમાં પત્ની અને બાળકો ઘટના સ્થળ પર મોત થયા હતા. અને પોતાના ગળા ઉપર ચપ્પુ ફેરવીને મરવાનો પ્રયાસ કર્યો હતો. માતા પિતા અને દિકરા સ્મિતને સારવાર ખાતે લઈ જવામાં આવ્યા છે.આસપાસના લોકોને કહેવુ છે કે ઘણા સમયથી અંદરો અંદર ડખા ચાલતા હતા. પરિવારમાં કોઈપરનો સંપ હતો નહી. અને રોજ બરોજ ઘરમાં ઝગડા થતા હતા. જેથી કંટાળીને સગા દિકરાએ પોતાના પરિવાર ઉપર હુમલો કર્યો હતો. પોલીસ દ્વારા તેમના સંગા સંબંધીને પણ પુછપરછ કરવામાં આવશે. હાલ આરોપીની હાલ હોસ્પિટલમાં દાખલ છે. જ્યારે તે સ્વચ્છ થઈ જાશે ત્યારે આરોપીને પુછપરછ કરવામાં આવશે કે તેમને આવુ પગલુ કેમ ભર્યુ હતુ. અને તેમના પરિવારના સભ્યો હોસ્પિટલ ખાતે આવી રહ્યા છે.

અહેવાલ :: રાહુલ દેસાઈ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
100 %
Categories
Breaking news

અમદાવાદથી ઈન્દોર જતી લકઝરી બસને ભયકર અકસ્માત, 9 ગંભીરપેટા- 28 મુસાફરો ઘાયલ

0 0
Read Time:2 Minute, 9 Second

અમદાવાદ

અમદાવાદ થી ઈન્દોર જતી બસને ભયકર અકસ્માત થયો હતો. બસ ટ્રકની પાછળ અથડાતા અંદર બેઠેલા મુસાફરો 28 જેટલા ઘાયલ અને 9 જેટલા મુસાફરોને ગંભીર ઈજા પહોંચી હતી. તે તમામને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર ખાતે ખસેડવામાં આવ્યા હતા. અને પોલીસ દ્વારા કાયદેસર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

શિયાળાની સવારે ધુુમ્મસ ભર્યુ વાતાવણ હોવાના કારણે રસ્તા ઉપર ચાલી રહેલા કે ઉભા રહેલા વાહનો દેખાતા હોતા નથી.અને તેનુ પરિણામ ભયકર આવે છે. બસ આવો એક બનાવ અમદાવાદ ઈન્દોર હાઈવ પર બન્યો હતો. આજે વહેલી સવારે અમદાવાદથી નિકળીને ઈન્દોર જઈ રહેલી બસને ભયંકર અકસ્માત થયો હતો. તેવામાં ભથવાડા ગામ પાસે બસ પહોંચતા ત્યા ટ્રક જે રસ્તા વચ્ચે ઉભો હતો. ડ્રાઈવરને ટ્રકના દેખાતા ટ્રકની પાછળ ઘુસી ગયો હતો. અને બસમાં બેઠેલા 28 મુસાફરોને ધાયલ થયા હતા. અને 9 જેટલા મુસાફરોને ગંભીર રીતે ધાયલ થયા હતા. તે તમામને ગોધરા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે વહેલી સવારે અકસ્માત એટલો જોરદાર હતો કે તેનો અવાજ દુર દુર સુધી આવતો હતો.અને અકસ્માત થતા અાસપાસના લોકો તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા. અને બસમા રહેલા મુસાફરોને બહાર કાઢવામાં મદદ કરી હતી. અને પોલીસ અને એમ્બ્યુલસને ફોન કરીને માહિતી આપી હતી.

અકસ્માતમાં ધાયલ અને ગંભીર થયલા મુસાફરોને ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. અને પોલીસ દ્વારા બસનો ડ્રાઈવર દારૂ પીને બસ ચલાવતો ન હતો તેની તપાસ પણ કરવામાં આવશે.

અહેવાલ :: રાહુલ દેસાઈ

Happy
Happy
0 %
Sad
Sad
100 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad Breaking news

Ahemdabad Breaking બુટલેગર દ્વારા પોલીસ પર લગાવાયા ગંભીર આરોપો

2 0
Read Time:12 Minute, 0 Second

1) કલ્યાણસિંહ શિવસિંહ દ્વારા સને ૨૦૧૯ ની સાલમાં રાણીપ પોલીસ સ્ટેશનમાં ડી-સ્ટાફમાં નોકરી કરતા હતા તે દરમ્યાન મારી એક બ્રેઝા ગાડી ઈંગ્લીશ દારૂ ૪૧ પેટી પકડેલ હતી અને તે ગાડી મારી ન હોવા છતાં મારી પાસેથી ૧૨ લાખ પુરા રોકડા લઈ ૧૦ બોટલનો કેસ મારા નામે બનાવી અમારો તોડ કરેલ હતો.:: ભૂપેન્દ્ર ઉર્ફે ભૂપી પ્રેમાજી ભાટી

(2) કલ્યાણસિંહ શિવસિંહ રાણીપ પોલીસ સ્ટેશનમાં ડી-સ્ટાફમાં નોકરી કરતા હતા તે દરમ્યાન રાણીપ હદ વિસ્તારમાં અલગ અલગ દારૂના વેપારી સાથે ધંધો કરવા માટે સંપર્ક કરાવી તેઓને દેશી દારૂ પરો પાડીએ આપવાન સેટીંગ કરવા – અને કેસો નહી કરવા માટે દર ૬ માસે ૨(બે) લાખ માસીક ભરણ પેટે લેતા હતા. સને ૨૦૧૯ થી સને ૨૦૨૪ સુધી અમોને દારૂના ધંધામાં અમારા નામે વેપાર કરાવતો હતો અને ૨૦૨૪ સુધી એક પણ કેરા કે ફરીયાદ અમારી સામે કરતા ન હતા કારણ કે અમો તેઓને રેગ્યુલર ભરવાની રકમ ચુકવી દેતા હતા :: ભૂપેન્દ્ર ઉર્ફે ભૂપી પ્રેમાજી ભાટી

(3) ત્યારબાદ કલ્યાણસિંહ શિવસિંહ રાણીપ પોલીસ સ્ટેશનમાંથી ઝોન-૨ માં બદલી થતા તેઓ ઝોન -૨ ડી.સી.પી. સાહેબશ્રી તથા સેક્ટર -૧ સાહેબના નામનો વહીવટદાર તરીકે ઝોન-૨ સાહેબના નામે દર માસે રૂા.૨,૫૦,૦૦૦/- તથા સેકટર-૧ સાહેબના નામે દર માસે રૂા. ૧,૫૦,૦૦૦/- અમો તેઓને રેગ્યુલર ભરમણની રકમ ચુકવી આપતા હતા. :: ભૂપેન્દ્ર ઉર્ફે ભૂપી પ્રેમાજી ભાટી

(4)કલ્યાણસિંહ ઝોન-૨ માંથી પી.સી.બી માં બદલી થતા પી.સી.બી ના વહીવટદાર હોવાનું જણાવી અમોને કહેલ કે જો તારે દારૂનો ધંધો કરવો હોય તો પી.સી.બીમાં બધા સાહેબોનુ મળીને કુલ દર માસે રૂા.૭,૫૦,૦૦૦/- ચુકવવા પડશે અને આખા અમદાવાદમાં જો પી.સી.બીમાં કોઈ રોકે તો ફકત મારું નામ આપવાનુ કે કલ્યાણસિંહ નો માણસ છું. તે મુજબ અમો દર માસે રૂા.૭,૫૦,૦૦૦/- અમો તેઓને રેગ્યુલર ભરણની રકમ ચુકવી આપતા હતા. :: ભૂપેન્દ્ર ઉર્ફે ભૂપી પ્રેમાજી ભાટી

(5) ઉપર જણાવ્યા મુજબ ની ભરણ(લાંચ) ની રકમ આ કલ્યાણસિંહ શિવસિંહ સુભાષબ્રિજ સર્કલ પાસે પોલીસ ચોકીની બાજુમાં એચ.ડી.એફ.સી બેંકની બાજુમાં લેવા પોતે આવતા હતા. અને અમુક સમયે સાબરમતી રેલ્વે સ્ટેશન બહાર ઉભા રહી અમોને ફોનથી અથવા અન્ય માણસો મોકલી અમોને જણાવે કે કલ્યાણસિંહ આ જગ્યા ઉપર તમોને બોલાવે છે અને અમો ત્યાં જઈને તેઓની નકિક કર્યા મુજબનુ ભરણ ચુકવી આપતા હતા અને ભરણના બદલામાં આખા અમદાવાદમાં દેશી દારૂના છુટક વેચાણ કરનારાઓ સાથે અમારો સંપર્ક કરાવી હઅને તેઓની સાથે અમારી ઓળખાણ કરાવી આપતો હતો અને દેશીઠારૂ અમારી પાસેથી જ લેવાનુ નકિક કરી આપતો હતો. સતત અમો સાથે વોટસએપ કોલ તથા ડમી નંબરોથી કોન્ટેકટ રાખતા હતા. :: ભૂપેન્દ્ર ઉર્ફે ભૂપી પ્રેમાજી ભાટી

(6) ગત તા. ૨૪/૦૧/૨૦૨૪ નારોજ કણભા પો.સ્ટે.ગુ.૨.નં.૧૧૧૯૨૦૩૦૨૪૦૦૪૮/૨૦૨૪ ઈ.પી.કો.કલમ ૩૦૨, ૩૦૭,૩૩૩, ૨૭૯, ૧૧૪ મુજબનો ગુનો દાખલ થતા અમો જેલમાં જતા રહેલ હતા જેથી ૨૦૨૪ ના જાન્યુઆરી મહિનાની ભરણ ની રકમ રૂા.૭,૫૦,૦૦૦/- અમો કલ્યાણસિંહ ને ચુકવી શકેલ નહી. જેથી તેઓ અમોને તેઓના મળતીયા માણસો ઘ્વારા મારા ઘરે મોકલી જણાવતા હતા કેજાન્યુઆરી મહિનાની ભરણ ની રકમ રૂા.૭,૫૦,૦૦૦/- ચુકવી આપો નહી તો મજા નહી આવે કલ્યાણસિંહ તમને કોઈને છોડશે નહી તેવી ધમકી મારા ઘરે આપવા આવતા હતા. :: ભૂપેન્દ્ર ઉર્ફે ભૂપી પ્રેમાજી ભાટી

(7) કણભા પોલીસ સ્ટેશનમાં કણભા પો.સ્ટે.ગુ.ર.નં.૧૧૧૯૨૦૩૦૨૪૦૦૪૮/૨૦૨૪ ઈ.પી.કો.કલમ.૩૦૨, ૩૦૭,૩૩૩, ૨૭૯, ૧૧૪ મુજબના કામે સાબરમતી જેલમાં મારી પુછપરછ માટે સ્ટેટ વીજીલન્સ ના ડી.વાય.એસ.પી સાહેબશ્રી કે.ટી.કામરીયા સાહેબ મારી પુછપરછ કરવા આવેલ કે હુ દારૂના ધંધમાં કોને કોને કેટલા પૈસા (ભરણ) ચુકવતો હતો અને કોની કોની મદદથી હુ દારૂનો વેપાર પોલીસની રહેમ નજર હેઠળ ચલાવતો હતો તે દરમ્યાન મે. અમદાવાદ શહેરના તમામ પોલીસ કર્મચારીઓના નામ આપેલ અને આ કલ્યાણસિંહનુ નામ પણ કે.ટી.કામરીયા સાહેબને આપેલ. અને તે સંધર્ભે અમદાવાદ શહેરમાંથી ૧૦ થી ૧૫ પોલીસ કર્મચારીઓ મારી સાથે સંકળાયેલા હોવાનુ કોલ ડીટેઈલ અને મારા મોબાઈલમાં વોટસએપ ચેટ મળી આવેલ જે આધારે આપ સાહેબશ્રી ની કચેરી ધ્વારા તમામ પોલીસ માણસોને અલગ અલગ જીલ્લામાં બદલી કરેલી :: ભૂપેન્દ્ર ઉર્ફે ભૂપી પ્રેમાજી ભાટી

.(8) આ કલ્યાણસિંહ શિવસિંહ હાલ અમદાવાદ પી.સી.બીના વહીવટદાર તરીકેનીઓળખ આપે છે. અને તમામ દારૂ જુગાર ના ધંધાવાળા પાસેથી રેગ્યુલર ભરણની રકમ નકિક કરીતેઓને ગેરકાયદેસર ધંધા ચલાવવા માટે પરમીશન આપી તેઓની સામે કોઈ કેસ ન થાય તેવી તકેદારીઓ રાખી અધધ રકમ ભરલ પેટે મેળવી હાલ આખા અમદાવાદમાં ગેરકાયદેસર ધંધાઓ કરાવે છે. :: ભૂપેન્દ્ર ઉર્ફે ભૂપી પ્રેમાજી ભાટી

(9) આ કલ્યાણસિંહ શિવસિંહ સને ૨૦૨૪ ના જાન્યુઆરી મહિનાની ભરણ ની રકમ રૂા.૭,૫૦,૦૦૦/- કલ્યાણસિંહ ને ચુકવી શકેલ નહી. જેથી અમો તથા પરિવારમાં મારો સાળો ઝાકીર ઈસ્માઈલ શેખ તથા અન્ય માણસો સામે ખાલી ગાડીઓ રોડ ઉપરથી ઉભી રખાવી લઈ લે છે અને બહારથી દારૂ મંગાવી તેઓને વોન્ટેડ આરોપી બતાવી ખોટા ખોટા કેસો ઉભા કરે છે અને મારા ઘરે માણસો મોકલે છે અને જણાવે છે કે જયાં સુધી ૨૦૨૪ ના જાન્યુઆરી મહિનાની ભરણ ની રકમ રૂા.૭,૫૦,૦૦૦/- મને નહી આપો ત્યાં સુધી આવા કેસો કરવાનુ ચાલુ જ રહેશે. જેથી વિચારી લો કે તમારે શું કરવું છે.:: ભૂપેન્દ્ર ઉર્ફે ભૂપી પ્રેમાજી ભાટી

(10) ગત. તા. ૧૪/૧૦/૨૦૨૪ નારોજ વચગાળાના જામીન ઉપર આવતા મને માલુમ પડેલ છે. તા.૨૫/૦૯/૨૦૨૪ નારોજ સાબરમતી પોલીસ સ્ટેશનમાં ગુરનં ૧૧૧૯૧૦૩૯૨૪૦૫૯૦/૨૦૨૪ થી એક આઈ-૧૦ ગાડી તથા એકટીવા સાથે દેશીદારૂનો કેસ કરેલ છે જેમાં આરોપી નં. ૨ તરીકે મારો ભત્રીજો નામે હર્ષલ અમોપ્રકાશ ભાટી ને વોન્ટેડ બતાવી કોઈ આરોપી પકડાયેલ ન હોવા છતાં ખોટુ નામ લખી દીધેલ છે. અને આ મારો ભત્રીજો સગીર ઉંમરનો છે તેનો આજદિન સુધી કોઈ ગુનાહિત ભૂતકાળ નથી. અને કોઈપણ ગેરકાયદેસર ધંધા સાથે કોઈ લેવા દેવા ન હોવા છતાં તેનુ નામ વોન્ટેડ તરીકે નાંખી દીધેલ છે. અનેકલ્યાણસિંહ શિવસિંહ ના માણસો મારા ઘરે આવી જણાવેલ છે કે આ શરૂઆત છે ધીરે ધીરે આખા ઘરના તમામ સભ્યોની સામે કેસો કરીશ તેના પહેલા બાકી ભરણનીરકમ રૂા.૭,૫૦,૦૦૦/- ચુકવી આપો નહી તો હજ ઘરની સ્ત્રીઓને પણ વોન્ટેડ બતાવવાનુ ચાલુ કરી દઈશ. તેવું આ કલ્યાણસિંહના અલગ અલગ માણસો મારા ઘરે આવી જણાવે છે.આમ હાલ હુ જાન્યુઆરી મહિનાથી જેલમાં છુ કોઈપણ દારૂનો ધંધો હુ કે મારો પરિવાર ચલાવતો નથી. અને તેમ છતાં ફકત જાન્યુઆરી મહિનાના ભરણની રકમ રૂા.૭,૫૦,૦૦૦/- નહી ચુકવેલ હોવાથી મારા પરિવારના સભ્યો જેમાં સગીર બાળકો વિરૂધ્ધ ખોટા કેસો કરે છે. અને હાલ હુ વચગાળાના જામીન ઉપર બહાર આવેલ હોવાથી વિગતવાર મને તમામ બાબતો જાણેલ જેથી મારે હાલની ફરીયાદ કરવાની જરૂર પડેલ છે.આ કલ્યાણસિંહ શિવસિંહ એ સાબરમતી પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. ૧૧૧૯૧૦૩૯૨૪૦૫૯૦/૨૦૨૪ થી મારા સગીર ભત્રીજા ઉપર જે ખોટો કેસ કરેલ હોઈ જેથી અમોએ તેની સામે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં F/SCR.A/40518/2024 થી કવોશીંગ પીટીશન કરેલ છે. જે હાલ પેન્ડીંગ છે.આ કલ્યાણસિંહ શિવસિંહ એ સને ૨૦૧૯ થી ૨૦૨૪ ના જાન્યુઆરી મહિના સુધી મારી કે મારા પરિવાર ઉપર એક પણ કેસ કરેલ નથી. કારણ કે હુ તેમને નકિક કર્યા મુજબનુ નિયમિત ભરણ ચુકવતો હતો પરંતુ જેલમાં જવાથી હુ દારૂનો ધંધો કરતો ન હોવાથી સાડા સાત લાખ એક માસનુ ભરણચુકવી આપેલ નહી જેથી તેનો દૂષભાવ રાખી મારા પરિવારના સભ્યો સગીર બાળકો સામે ખોટા પ્રોહીબીશનના કેસો કરી હેરાનગતિ કરી સતત નાંણાની માંગણી મળતીયા માણસો ધ્વારા કરાવાનું ચાલુ રાખેલ હોઈ જેથી અમો હાલ તેઓનો કોઈપણ શરતોને સ્વિકારી શકીએ તેમ ન હોઈ અને મારા પરિવારને દારૂના ધંધામાં ખોટી રીતે આ કલ્યાણસિં સંડોવી રહેલ હોઈ તેઓની સામે મારી કાયદેસરની ફરીયાદ છે.આ કલ્યાશસિંહ શિવસિંહ હાલ સમગ્ર અમદાવાઠના કારૂ જુગાર નો ધંધા વાળાઓને ગેરકાયદેસર ધંધો ચલાવવા માટે પી.સી.બી તરફથી પરમીશન આપી મોટી રકમ ભરણપેટે મેળવી ધંધા ચલાવે છે. તેઓની નોકરીમાં જોડાવા ત્યારની અને અત્યારની ચલ-અચલ સંપતિ ની તપાસ કરવામાં આવે તો ઘણ બધુ બહાર નિકળી આવે તેમ છે. અને અમો પાસેથી રૂ.૩.૫૦,૦૦૦/- બરણની રકમ બાકી હોવાથી અમારા ઘરના તમામ સભ્યોની સામે ખોટા દારૂના કેસો કરે છે અને હજુ પણ અન્ય કેસો કરી કસાવવાન કામ કરી રહેલ હોઈ આ કલ્યાણસિંહ શિવસિંહ ની સામે કાયદેસર પગલાં લઈ કાયદેસરની કાર્યવાહી કરી મારા પરિવારના સભ્યોની સામે ખોટા કેસો ન કરે તેવુ રક્ષણ આપવા મારી આપ સાહેબશ્રીને વિનંતિ છે. :: ભૂપેન્દ્ર ઉર્ફે ભૂપી પ્રેમાજી બાટી

*| Ahemdavad Breking news | પીસીપી માં ફરજ બજાવતા કલ્યાણસિંહ પર બુટલેગર દ્વારા મોટા આક્ષેપ…**Good day Gujarat News*

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
100 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Breaking news

ગાંધીનગરમાં વીએચપી, બજંરગ દળ અને પોલીસ વચ્ચે ગરબાને લઈને ઉગ્ર બોલાચાલી થઈ

0 0
Read Time:2 Minute, 8 Second

ગાંધીનગરમાં વીએચપી, બજંરગ દળ અને પોલીસ વચ્ચે ગરબાને લઈને ઉગ્ર બોલાચાલી થઈ

ગાંધીનગર
ગાંધીનગર ખાતે આયોજન કરવામાં આવતા ગરબા પણ કાલે તિલક લગાવાને કારણે ગરબામાં બબાલ થઈ ગઈ હતી. પોલીસ અને બજરંગ દળના કાર્યકર્તા વચ્ચે બબાલ થઈ હતી.
ગુજરાતમાં ગરબાનો તહેવાર ચાલી રહ્યો છે. તેવામાં સમગ્ર ગુજરાતમાંથી લોકો રાત્રે મન મુકેને ગરબા ગાતા હોય છે. અને ગરબામાં કોઈ પણ પ્રકારની અજુકતુ ન બને તે માટે પોલીસ પણ તહેનાત કરવામાં આવી છે. સાદા કપડામાં પણ પોલીસ હાજર હોય છે. જેથી લોકો ગરબા સારી રીતે રમી શકે. તેવામાં ગાંધીનગર ખાતે સરગાસણમાં એક દિવસનું ગરબાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. તેવામાં ખેલૈયાઓ ગરબા રમવા ત્યા પહોંચી ગયા હતા.


ત્યારે ગાંધીનગરમાં સરગાસણમાં ગરબા રમવા ખેલૈયાઓ જ્યારે એન્ટ્રી લેતા હતા. ત્યારે તેમના માથા ઉપર તિલક કરવામાં આવ્યુ હતુ. તે ફરજીયાત હતુ. જ્યારે બજરંગ દળ અને વીએચપીના કાર્યકરો પોલીસને તિલક લગાવતા હતા.ત્યારે બંન્ને વચ્ચ ઘર્ષણ જોવા મળી રહ્યુ હતુ. અને બંન્ને પક્ષ એક બીજાની સામે આવી ગયા હતા. અને મામલો વધારે ઉગ્ર બન્યો હતો.


આયોજકો અને ખેલૈયાઓ વચ્ચે બબાલ થઈ હતી. તેવામાં બજરંગ દળ અને વીએચપીના કાર્યકર્તાઓ વચ્ચે પડ્યા હતા. અને ખેલૈયાઓ વચ્ચે તકરાર થઈ હતી. તેવામાં ગરબા રમતા ખેલૈયાઓનો વીડિયો ઉતારતા હતા. તેને લઈને પણ બબાલ થઈ હતી.
જ્યારે બજરંગ દળ અને વીએચપીના કાર્યકર્તાઓ જ્યારે તિલક કરવા ગયા ત્યારે વચ્ચે ઘર્ષણ જોવા મળી રહ્યુ હતુ. અને બંન્ને બબાલ થતા પોલીસે કર્મચારીઓએ લાઠી ચાર્ચ કર્યુ હતુ.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Breaking news

સાબરડેરીના ચેરમેન પદે શામળ પટેલની વરણી

0 0
Read Time:1 Minute, 9 Second

– સાબરડેરીના ચેરમેન પદે શામળ પટેલની વરણી

– વાઈસ ચેરમેન પદે ઋતુરાજ પટેલ ચૂંટાયા

હિંમતનગર

હિંમતનગર ખાતે સાબરડેરીના ચેરમેન પદે શામળ પટેલની વરણી કરવામાં આવી છે. અને વાઈસ ચેરમન પદે રૂતુરાજ પટેલની ચૂટાયા છે. જેને લઈને બનાસડેરી ખાતે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.સાબરડેરી ખાતે ગત માર્ચમાં યોજાયેલી ચૂંટણીમાં શામળ પટેલની વરણી કરવામાં આવી છે. તેમને ફરી ત્રીજી વખત સાબરડેરીના ચેરમેન પદનું સંભાળશે. જ્યારે આજે વાઈસ ચેરમેન પદની ચૂંટણી યોજવામાં આવી હતી. ત્યારે વાઈસ ચેરમેન પદે રૂતુરાજ પટેલ ચૂટાયા છે. જેને લઈને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ભાજપ પ્રેરિત 15 બેઠકો બિન હરીફ થઈ હતી. તેમાં શામળ પટેલ ચેરમેન પદે માટે જીત મેળવી છે. અને સખત ત્રીજી વખત શામળ પટેલ ચેરમેન પદ યથાવત રાખશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Breaking news

મહારાષ્ટ્રના પુણેમાં બુધવારે એક હેલિકોપ્ટર ક્રેશ થયું છે

1 0
Read Time:1 Minute, 22 Second

બે પાઇલટ અને એન્જિનિયર સહિત 3 લોકોના મોત

મહારાષ્ટ્રના પુણેમાં બુધવારે એક હેલિકોપ્ટર ક્રેશ થયું છે

. તેમાં મુસાફરી કરી રહેલા ત્રણ લોકોના મોત થયા હતા. મૃતકોમાં બે પાઇલટ અને એક એન્જિનિયરનો સમાવેશ થાય છે. આ ઘટના સવારે 6:30 થી 7 વચ્ચે બાવધન વિસ્તારમાં કેકે કન્સ્ટ્રક્શન હિલ પાસે બની હતી.પોલીસના જણાવ્યા અનુસાર, હેલિકોપ્ટરે ઓક્સફોર્ડ ગોલ્ફ કોર્સ પાસેના હેલિપેડ પરથી ઉડાન ભરી હતી. ટેકઓફના લગભગ 10 મિનિટ બાદ હેલિકોપ્ટર 1.5 કિમીના અંતરે ક્રેશ થયું હતું. આ અકસ્માત પહાડી વિસ્તારમાં બન્યો હતો. સવારે ત્યાં ગાઢ ધુમ્મસ હતું.દુર્ઘટના બાદ હેલિકોપ્ટરમાં આગ લાગી હતી. જેના કારણે ત્રણેય લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. હેલિકોપ્ટર સરકારી હતું કે ખાનગી તે હજુ સુધી જાણી શકાયું નથી. મૃતકોની પણ ઓળખ થઈ શકી નથી. પિંપરી ચિંચવડ પોલીસ, ફાયર બ્રિગેડ અને મેડિકલ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Breaking news

માધવ પબ્લિક સ્કુલના શિક્ષકે વિદ્યાર્થી 10 લાફા મારવાનો વિડીયો બહાર આવ્યો

0 0
Read Time:2 Minute, 6 Second

માધવ પબ્લિક સ્કુલના શિક્ષકે વિદ્યાર્થી 10 લાફા મારવાનો વિડીયો બહાર આવ્યો

સ્કુલ દ્વારા શિક્ષકને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા

અમદાવાદ
અમદાવાદમાં માધવ પબ્લિક સ્કુલમાં એક શિક્ષકે સ્કુલના બાળકને મારા મારવાનો વિડીયો બહાર આવતાની સાથે વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. સ્કુલના શિક્ષકે એક પછી એક 10 વિદ્યાર્થીને લાફો મારતા સ્કુલ દ્વાર શિક્ષકને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અમદાવાદમાં દિવસે દિવસે શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચે મારમારવાનો બનાવો બનતા હોય છે. પૂર્વ વિસ્તારમાં આવેલા માધવ પબ્લિક સ્કુલમાં એક વિડીયો બહાર આવ્યો છે. જ્યારે એક શિક્ષક એક વિદ્યાર્થીને માર મારવાનો વિડીયો બહાર આવ્યો છે. શિક્ષકે વિદ્યાર્થીને એક સાથે 10 લાફા માર્યા હતા. અને તેને દિવાલ સાથે માથુ પછાડે છે. તે વિડીયો બહાર આવતા શિક્ષકને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. અને સ્કુલના વાલીઓમાં શિક્ષક પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે.
અમદાવાદમાં માધવ પબ્લિક સ્કુલમાં ગણિતના ટીચર અભિષેક પટેલનામના શિક્ષકે એક વિદ્યાર્થીને માર મારવાનો વિડીયો બહાર આવ્યો હતો. અને ગુજરાતના શિક્ષણ વિભાગે આ બનાવનો નોંધ લીધી હતી. જ્યારે સ્કુલના ડીઈઓ દ્વારા જણવામાં આવ્યુ કે ત્યારે આ વિડીયો બહાર આવ્યો ત્યારે તાત્કાલિક અમે સ્કુલના શિક્ષકને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %