Categories
Surendrnagr

સુરેન્દ્રનગરમાં કોલસો કાઢવા માટે ખાણઉતારાયેલા 3 મજૂરોના મોત થયા, 3ની હાલત ગંભીર

0 0
Read Time:52 Second

સુરેન્દ્રનગરમાં કોલસો કાઢવા માટે ખાણઉતારાયેલા 3 મજૂરોના મોત થયા, 3ની હાલત ગંભીર સુરેન્દ્રનગર જિલ્લાના દેવપરા ગામમાં કાર્બોસેલની ખાણમાં જીલેટીનથી બ્લાસ્ટ કરાયા બાદ કોલસો કાઢવા માટે ઉતારાયેલા 3 મજૂરોના ગેસ ગળતરના કારણે મોત થયા છે, જ્યારે અન્ય ૩ મજૂરોની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. આ અંગે સુરેન્દ્રનગરના ડીવાયએસપી એચ.પી. દોશીએ જણાવ્યું, “ત્રણેય મૃતક મજૂરોનું મુળી સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ ચાલી રહ્યું છે.” વધુમાં કહ્યું કે, બનાવ અંગે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઈ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Crime Surendrnagr

ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં જમીનના વિવાદમાં બે દલિત ભાઈ-બહેનોની હત્યામાં કથિત સંડોવણી બદલ પાંચ લોકોની ધરપકડ

0 0
Read Time:3 Minute, 27 Second

ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં જમીનના વિવાદમાં બે દલિત ભાઈ-બહેનોની હત્યામાં કથિત સંડોવણી બદલ પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી હતી, એમ એક પોલીસ અધિકારીએ શુક્રવારે જણાવ્યું હતું.ચૂડા તાલુકાના સમઢીયાળા ગામમાં બુધવારે સાંજે ટોળા દ્વારા આલજી પરમાર (60) અને તેના ભાઈ મનોજ પરમાર (54)ને માર મારવામાં આવ્યો હતો.સુરેન્દ્રનગરના પોલીસ અધિક્ષક હરેશ દુધાતે જણાવ્યું હતું કે એફઆઈઆરમાં નામ આપવામાં આવેલા છ આરોપીઓમાંથી પાંચની ગુરુવારે રાત્રે ધરપકડ કરવામાં આવી હતી.તેમણે ધરપકડ કરાયેલા લોકોની ઓળખ મુખ્ય આરોપી અમરાભાઈ ખાચર, ઘુઘા ખાચર, મંગલુ ખાચર, ભીખુ ખાચર અને ભાણભાઈ ખાચર તરીકે કરી હતી.દરમિયાન, મૃતકોના સગાઓએ અંતિમ સંસ્કાર માટે તેમના મૃતદેહને સ્વીકારી લીધા બાદ પોલીસે તેમની માંગણીઓ અંગે લેખિતમાં ખાતરી આપી હતી, જેમાં અમદાવાદમાં તેમના ઘર, સામખલાના મેદાનમાં અને સુરેન્દ્રનગરમાં કોર્ટની સુનાવણી માટે સુરક્ષાનો સમાવેશ થાય છે.દુધાતે લેખિત બાંહેધરી પણ આપી હતી કે પીડિત પરિવારના પુખ્ત સભ્યોને હથિયાર લાઇસન્સ આપવામાં આવશે તેમજ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ટ્રાયલ હાથ ધરાશે.બુધવારે સાંજે ફરિયાદી અમદાવાદની વિધવા પારૂલબેન પરમાર (60) અને તેના સગા ચુડાના સમઢીયાળા ખાતે તેમની વડીલોપાર્જિત જમીનમાં વાવણી શરૂ કરવા ગયા હતા.પરત ફરતી વખતે, તેમના પર ટોળા દ્વારા લાકડીઓ અને તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં કથિત રીતે મુખ્ય આરોપી અમરાભાઈ ખાચર, તેમના ભાઈ અને પુત્રો સામેલ હતા, જેમણે જમીન તેમની માલિકીની હોવાનો દાવો કર્યો હતો.પોલીસના જણાવ્યા મુજબ, બુધવારે રાત્રે ઇજાઓથી બે ભાઈ-બહેનોનું મૃત્યુ થયું હતું, જ્યારે ત્રણ મહિલાઓ અને એક ટ્રેક્ટર ચાલકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.આરોપીઓ પર ભારતીય દંડ સંહિતા અને અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ હેઠળ હત્યા અને અન્ય ગુનાનો આરોપ મૂકવામાં આવ્યો છે, પોલીસે જણાવ્યું હતું.તપાસમાં જાણવા મળ્યું છે કે જમીન 1998 થી વિવાદ હેઠળ છે અને મૃતક જે દલિત પરિવારનો હતો તેણે નીચલી કોર્ટમાં કેસ પણ જીત્યો હતો.જો કે, આરોપીઓ, જેઓ કાઠી દરબાર જ્ઞાતિ (અન્ય પછાત વર્ગોનો એક ભાગ) સાથે સંબંધ ધરાવે છે, તે જમીન તેમની જ હોવાનું જાળવવાનું ચાલુ રાખ્યું હતું અને દલિત પરિવારને નુકસાન પહોંચાડવા માટે નિયમિતપણે ધમકીઓ આપતા હતા, અધિકારીઓએ જણાવ્યું હતુ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Surendrnagr

સુરેન્દ્રનગરના સમઢીયાળા ગામના બે દલિત મૃતકોના પરિવાર સાથે ‘આપ’ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ મુલાકાત લીધી.

0 0
Read Time:4 Minute, 37 Second

સુરેન્દ્રનગરના સમઢીયાળા ગામના બે દલિત મૃતકોના પરિવાર સાથે ‘આપ’ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ મુલાકાત લીધી.* *ભાજપના રાજમાં દલિતો સુરક્ષિત નથી: ઈસુદાન ગઢવી**દલિત પરિવાર દ્વારા પોલીસ રક્ષણની અરજી કરવામાં આવી હતી, પરંતુ તે અરજીની ફેંકી દેવામાં આવી હતી: ઈસુદાન ગઢવી**મુખ્યમંત્રીને વિનંતી છે કે આખા ગુજરાતમાં જ્યાં પણ કોઈ દલિત વ્યક્તિ પોલીસ રક્ષણ માટે અરજી કરે, તો ખૂબ જ સંવેદનશીલતા સાથે તે પરિસ્થિતિને જોવી: ઈસુદાન ગઢવી**યુવકોના આંગળા કાપી નાખ્યા છે. આપણા રુવાટા ઉભા થઈ જાય એવી રીતે કૃરતા આચરવામાં આવી છે: ઈસુદાન ગઢવી**જામનગરના એસપીની આગેવાનીમાં SITની રચના કરવામાં આવશે, તેવી ખાતરી આપવામાં આવી છે: ઈસુદાન ગઢવી**આખા ગુજરાતમાં દલિતો સાથે અન્યાય થઈ રહ્યો છે: ઈસુદાન ગઢવી**જો 15-20 દિવસમાં કોઈ કાર્યવાહી નથી થતી, તો અમને જાણ કરવામાં આવે. હું પરિવારના પડખે આવીને ફરીથી ઊભો રહીશ: ઈસુદાન ગઢવી**અમદાવાદ/સુરેન્દ્રનગર/ગુજરાત*આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ સુરેન્દ્રનગરના સમઢીયાળાની મુલાકાત લીધી હતી, જ્યાં બે દલિત ભાઈઓ પર હુમલો કરીને તેમની હત્યા કરવામાં આવી હતી. ઈસુદાન ગઢવીએ મૃતકોના પરિવારજનો સાથે મુલાકાત કર્યા બાદ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું કે, દલિત પરિવાર પર હુમલો કરીને બે યુવકોની બેરહેમીપૂર્વક હત્યા કરવામાં આવી છે. આ મુદ્દા પર આખા ગુજરાતમાં રોષની લાગણી છે. કોઈપણ વ્યક્તિ સાથે કોઈ વાંધો હોય, તો પણ કોઈ કઈ રીતે આ હદે જઈ શકે છે? પરિવાર સાથે વાત કરતા અમને જણાવવામાં આવ્યું કે યુવકોના આંગળા કાપી નાખ્યા છે. આપણા રુવાડા ઉભા થઈ જાય એવી રીતે કૃરતા આચરવામાં આવી છે. આ મુદ્દા પર મેં રેન્જ આઇ.જી, કલેકટર, એસપી સહિતના અધિકારીઓ સાથે વાત કરી છે અને તેમણે ખાતરી આપી છે કે ૩૦ દિવસમાં તેઓ ચાર્જશીટ રજૂ કરશે અને આ પરિવારને મળવાપાત્ર 8.50 લાખ રૂપિયા મળશે અને જામનગરના એસપીની આગેવાનીમાં SITની રચના કરશે. અને એક મહિનાની અંદર ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આ કેસ ચાલે અને આ કેસ દાખલારૂપ બને એ રીતે કેસને આગળ ચલાવવામાં આવશે. આજે આપણે જોઈ રહ્યા છીએ કે આખા ગુજરાતમાં દલિતો સાથે અન્યાય થઈ રહ્યો છે.

આખા ગુજરાતમાં દલિતો સાથે ખૂબ જ અત્યાચાર થઈ રહ્યા છે. એક રાજનેતા તરીકે નહીં પરંતુ એક ભાઈ તરીકે પણ અને ગુજરાતના એક નાગરિક તરીકે મેં સરકારને પણ કહ્યું છે કે તમારા રાજમાં દલિતોની હાલત ખૂબ જ દયનીય છે. અને આગામી સમયમાં આવી ઘટનાના ઘટે, તેનું ધ્યાન રાખવામાં આવે. મને જાણવા મળ્યું છે કે ચાર દિવસ પહેલા આ પરિવારે પોલીસ રક્ષણ માટે અરજી કરી હતી પરંતુ તે અરજીને ફેંકી દેવામાં આવી હતી. તો પોલીસ અધિકારીને પણ કેમ આરોપી બનાવવામાં ન આવે? મારી એક વિનંતી એ પણ છે કે આખા ગુજરાતમાં જ્યાં પણ કોઈ દલિત વ્યક્તિ પોલીસ રક્ષણ માટે અરજી કરે અથવા તો સામાન્ય અરજી કરે તો પણ ખૂબ જ સંવેદનશીલતા સાથે પરિસ્થિતિને જોવી. જેથી કરીને ફરીથી આવી ઘટના ન ઘટે. મેં પીડીત પરિવારને પણ કહ્યું છે કે જો 15-20 દિવસમાં કોઈ કાર્યવાહી નથી થતી તો અમને જાણ કરવામાં આવે. હું તેમના પડખે આવીને ફરીથી ઊભો રહીશ. પરિવારને ન્યાય આપવામાં માટે અને ફરીવાર ગુજરાતમાં દલિતો સાથે અત્યાચાર ના થાય એના માટે આપણે પ્રયાસ કરીશું પરંતુ હું એક વાત ચોક્કસ કહેવા માંગીશ કે ભાજપના રાજમાં હકીકત એ જ છે કે દલિતો સુરક્ષિત નથી..

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %