1
0
Read Time:48 Second
ધ્રાંગધ્રા-અમદાવાદ હાઇવે પર કાર પલ્ટી જતાં અકસ્માત સર્જાયો, ચાર લોકોના ઘટનાસ્થળે મોત
ધ્રાંગધ્રા-અમદાવાદ હાઇવે પર હરીપર ગામના પાટીયા પાસે ઈકો કાર પલ્ટી જતાં અકસ્માત સર્જાયો છે, જેમાં એક જ પરિવારના ચાર લોકોના ઘટનાસ્થળે મોત થયા છે. ધ્રાંગધ્રાનો પરિવાર લગ્ન પ્રસંગ પતાવીને પરત આવતો હતો દરમિયાન આ અકસ્માત સર્જાયો છે. અકસ્માતને લઈ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી છે અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ધ્રાંગધ્રાની સિવિલ હોસ્પિટલ લઇ જવાની તજવીજ હાથ ધરી છે.