Categories
Crime Surendrnagr

ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં જમીનના વિવાદમાં બે દલિત ભાઈ-બહેનોની હત્યામાં કથિત સંડોવણી બદલ પાંચ લોકોની ધરપકડ

0 0
Read Time:3 Minute, 27 Second

ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં જમીનના વિવાદમાં બે દલિત ભાઈ-બહેનોની હત્યામાં કથિત સંડોવણી બદલ પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી હતી, એમ એક પોલીસ અધિકારીએ શુક્રવારે જણાવ્યું હતું.ચૂડા તાલુકાના સમઢીયાળા ગામમાં બુધવારે સાંજે ટોળા દ્વારા આલજી પરમાર (60) અને તેના ભાઈ મનોજ પરમાર (54)ને માર મારવામાં આવ્યો હતો.સુરેન્દ્રનગરના પોલીસ અધિક્ષક હરેશ દુધાતે જણાવ્યું હતું કે એફઆઈઆરમાં નામ આપવામાં આવેલા છ આરોપીઓમાંથી પાંચની ગુરુવારે રાત્રે ધરપકડ કરવામાં આવી હતી.તેમણે ધરપકડ કરાયેલા લોકોની ઓળખ મુખ્ય આરોપી અમરાભાઈ ખાચર, ઘુઘા ખાચર, મંગલુ ખાચર, ભીખુ ખાચર અને ભાણભાઈ ખાચર તરીકે કરી હતી.દરમિયાન, મૃતકોના સગાઓએ અંતિમ સંસ્કાર માટે તેમના મૃતદેહને સ્વીકારી લીધા બાદ પોલીસે તેમની માંગણીઓ અંગે લેખિતમાં ખાતરી આપી હતી, જેમાં અમદાવાદમાં તેમના ઘર, સામખલાના મેદાનમાં અને સુરેન્દ્રનગરમાં કોર્ટની સુનાવણી માટે સુરક્ષાનો સમાવેશ થાય છે.દુધાતે લેખિત બાંહેધરી પણ આપી હતી કે પીડિત પરિવારના પુખ્ત સભ્યોને હથિયાર લાઇસન્સ આપવામાં આવશે તેમજ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ટ્રાયલ હાથ ધરાશે.બુધવારે સાંજે ફરિયાદી અમદાવાદની વિધવા પારૂલબેન પરમાર (60) અને તેના સગા ચુડાના સમઢીયાળા ખાતે તેમની વડીલોપાર્જિત જમીનમાં વાવણી શરૂ કરવા ગયા હતા.પરત ફરતી વખતે, તેમના પર ટોળા દ્વારા લાકડીઓ અને તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં કથિત રીતે મુખ્ય આરોપી અમરાભાઈ ખાચર, તેમના ભાઈ અને પુત્રો સામેલ હતા, જેમણે જમીન તેમની માલિકીની હોવાનો દાવો કર્યો હતો.પોલીસના જણાવ્યા મુજબ, બુધવારે રાત્રે ઇજાઓથી બે ભાઈ-બહેનોનું મૃત્યુ થયું હતું, જ્યારે ત્રણ મહિલાઓ અને એક ટ્રેક્ટર ચાલકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.આરોપીઓ પર ભારતીય દંડ સંહિતા અને અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ હેઠળ હત્યા અને અન્ય ગુનાનો આરોપ મૂકવામાં આવ્યો છે, પોલીસે જણાવ્યું હતું.તપાસમાં જાણવા મળ્યું છે કે જમીન 1998 થી વિવાદ હેઠળ છે અને મૃતક જે દલિત પરિવારનો હતો તેણે નીચલી કોર્ટમાં કેસ પણ જીત્યો હતો.જો કે, આરોપીઓ, જેઓ કાઠી દરબાર જ્ઞાતિ (અન્ય પછાત વર્ગોનો એક ભાગ) સાથે સંબંધ ધરાવે છે, તે જમીન તેમની જ હોવાનું જાળવવાનું ચાલુ રાખ્યું હતું અને દલિત પરિવારને નુકસાન પહોંચાડવા માટે નિયમિતપણે ધમકીઓ આપતા હતા, અધિકારીઓએ જણાવ્યું હતુ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Surendrnagr

સુરેન્દ્રનગરના સમઢીયાળા ગામના બે દલિત મૃતકોના પરિવાર સાથે ‘આપ’ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ મુલાકાત લીધી.

0 0
Read Time:4 Minute, 37 Second

સુરેન્દ્રનગરના સમઢીયાળા ગામના બે દલિત મૃતકોના પરિવાર સાથે ‘આપ’ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ મુલાકાત લીધી.* *ભાજપના રાજમાં દલિતો સુરક્ષિત નથી: ઈસુદાન ગઢવી**દલિત પરિવાર દ્વારા પોલીસ રક્ષણની અરજી કરવામાં આવી હતી, પરંતુ તે અરજીની ફેંકી દેવામાં આવી હતી: ઈસુદાન ગઢવી**મુખ્યમંત્રીને વિનંતી છે કે આખા ગુજરાતમાં જ્યાં પણ કોઈ દલિત વ્યક્તિ પોલીસ રક્ષણ માટે અરજી કરે, તો ખૂબ જ સંવેદનશીલતા સાથે તે પરિસ્થિતિને જોવી: ઈસુદાન ગઢવી**યુવકોના આંગળા કાપી નાખ્યા છે. આપણા રુવાટા ઉભા થઈ જાય એવી રીતે કૃરતા આચરવામાં આવી છે: ઈસુદાન ગઢવી**જામનગરના એસપીની આગેવાનીમાં SITની રચના કરવામાં આવશે, તેવી ખાતરી આપવામાં આવી છે: ઈસુદાન ગઢવી**આખા ગુજરાતમાં દલિતો સાથે અન્યાય થઈ રહ્યો છે: ઈસુદાન ગઢવી**જો 15-20 દિવસમાં કોઈ કાર્યવાહી નથી થતી, તો અમને જાણ કરવામાં આવે. હું પરિવારના પડખે આવીને ફરીથી ઊભો રહીશ: ઈસુદાન ગઢવી**અમદાવાદ/સુરેન્દ્રનગર/ગુજરાત*આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ સુરેન્દ્રનગરના સમઢીયાળાની મુલાકાત લીધી હતી, જ્યાં બે દલિત ભાઈઓ પર હુમલો કરીને તેમની હત્યા કરવામાં આવી હતી. ઈસુદાન ગઢવીએ મૃતકોના પરિવારજનો સાથે મુલાકાત કર્યા બાદ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું કે, દલિત પરિવાર પર હુમલો કરીને બે યુવકોની બેરહેમીપૂર્વક હત્યા કરવામાં આવી છે. આ મુદ્દા પર આખા ગુજરાતમાં રોષની લાગણી છે. કોઈપણ વ્યક્તિ સાથે કોઈ વાંધો હોય, તો પણ કોઈ કઈ રીતે આ હદે જઈ શકે છે? પરિવાર સાથે વાત કરતા અમને જણાવવામાં આવ્યું કે યુવકોના આંગળા કાપી નાખ્યા છે. આપણા રુવાડા ઉભા થઈ જાય એવી રીતે કૃરતા આચરવામાં આવી છે. આ મુદ્દા પર મેં રેન્જ આઇ.જી, કલેકટર, એસપી સહિતના અધિકારીઓ સાથે વાત કરી છે અને તેમણે ખાતરી આપી છે કે ૩૦ દિવસમાં તેઓ ચાર્જશીટ રજૂ કરશે અને આ પરિવારને મળવાપાત્ર 8.50 લાખ રૂપિયા મળશે અને જામનગરના એસપીની આગેવાનીમાં SITની રચના કરશે. અને એક મહિનાની અંદર ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આ કેસ ચાલે અને આ કેસ દાખલારૂપ બને એ રીતે કેસને આગળ ચલાવવામાં આવશે. આજે આપણે જોઈ રહ્યા છીએ કે આખા ગુજરાતમાં દલિતો સાથે અન્યાય થઈ રહ્યો છે.

આખા ગુજરાતમાં દલિતો સાથે ખૂબ જ અત્યાચાર થઈ રહ્યા છે. એક રાજનેતા તરીકે નહીં પરંતુ એક ભાઈ તરીકે પણ અને ગુજરાતના એક નાગરિક તરીકે મેં સરકારને પણ કહ્યું છે કે તમારા રાજમાં દલિતોની હાલત ખૂબ જ દયનીય છે. અને આગામી સમયમાં આવી ઘટનાના ઘટે, તેનું ધ્યાન રાખવામાં આવે. મને જાણવા મળ્યું છે કે ચાર દિવસ પહેલા આ પરિવારે પોલીસ રક્ષણ માટે અરજી કરી હતી પરંતુ તે અરજીને ફેંકી દેવામાં આવી હતી. તો પોલીસ અધિકારીને પણ કેમ આરોપી બનાવવામાં ન આવે? મારી એક વિનંતી એ પણ છે કે આખા ગુજરાતમાં જ્યાં પણ કોઈ દલિત વ્યક્તિ પોલીસ રક્ષણ માટે અરજી કરે અથવા તો સામાન્ય અરજી કરે તો પણ ખૂબ જ સંવેદનશીલતા સાથે પરિસ્થિતિને જોવી. જેથી કરીને ફરીથી આવી ઘટના ન ઘટે. મેં પીડીત પરિવારને પણ કહ્યું છે કે જો 15-20 દિવસમાં કોઈ કાર્યવાહી નથી થતી તો અમને જાણ કરવામાં આવે. હું તેમના પડખે આવીને ફરીથી ઊભો રહીશ. પરિવારને ન્યાય આપવામાં માટે અને ફરીવાર ગુજરાતમાં દલિતો સાથે અત્યાચાર ના થાય એના માટે આપણે પ્રયાસ કરીશું પરંતુ હું એક વાત ચોક્કસ કહેવા માંગીશ કે ભાજપના રાજમાં હકીકત એ જ છે કે દલિતો સુરક્ષિત નથી..

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad Crime

એક દેશી બનાવટનો તમંચો તથા બે જીવતા કારતૂસ સાથે એક વ્યકિત ઝડપી લેતીઅમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ

0 0
Read Time:1 Minute, 18 Second

ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટર એમ.એસ.ત્રિવેદીની ટીમના પો.સ.ઈ જી.આર.ભરવાડની ટીમના હે.કો. રોહિતસિહ દ્વારા ગેર કાયદેસર હથિયાર રાખતાં આરોપી રાહુલ સુધિરકુમાર ત્રિપાઠી ઉ.વ.૨૮ રહે. એફ/૫, સુખી સંસાર એપાર્ટમેન્ટ વિરાટનગર ઓઢવ અમદાવાદ શહેર મુળવતન ગામ ઈકરી તા. બફેવર જીલ્લો ઈટાવા ઉતર પ્રદેશનાને વટવા બીલાલ મસ્જીદની સામે ખુલ્લા મેદાનમાં જાહેરમાંથી ઝડપી લીધેલ છે.આરોપી પાસેથી એક દેશી હાથ બનાવટનો પિસ્ટલ નંગ-૧ કિ.રૂ. ૧૫,૦૦૦/- તથા તમંચના નંગ-૨ કારતૂસ કિ.રૂ. ૨૦૦ મળી કુલ રૂ.૧૫,૨૦૦/- ના મુદ્દામાલ મળી આવતાં કાયદેસરની કાર્યવાહી કરેલ. આરોપીએ ત્રણ મહીના અગાઉ તેના વતન ગયેલ ત્યારે ઈંટાવા પાસે આવેલ ઔરૈયા ગામપાસેથી ખરીદ કરી લઈ આવેલ હોવાની કબૂલાત કરેલ હોય. તેની વિરુધ્ધમાં કાયદેસરની કાર્યવાહીકરવામાં આવેલ છે.શાખા, અમદાવાદ સી.એચ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad

વિંઝોલ ખાતે સદગુરૂ એર નામની સાઇટ ઉપરથી કિમત રૂ.૩,૧૯,૦૦૦/- ની મત્તાના ચોરી કરેલ ઇલેક્ટ્રીક વાયરોના બંડલો સાથે બે આરોપીઓને પકડી પાડી ગણતરીના કલાકોમાં ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલતીઅમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ

0 0
Read Time:3 Minute, 12 Second

અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાંચ ને બાતમી મળેલ કે ઇલેક્ટ્રીક વાયરોના બંડલો ચોરી કરતાં આરોપી (૧) રોશન અનુપભાઇ વર્મા ઉ.વ.૧૯ રહે. મકાન નં.૪/૫, શિવમ ફ્લેટ, આનંદ ફ્લેટની સામે, લાલ બહાદુર સ્ટેડીયમ પાછળ, બાપુનગર, અમદાવાદ શહેર (૨) રવિન્દ્રસિંગ લક્ષ્મીસિંગ રાજપુત ઉ.વ.૨૬, રહે. મકાન નં.એ/૧૨, વિનાયક પાર્ક, આર.ટી.ઓ. રોડ, વસ્ત્રાલ, અમદાવાદ શહેર. મુળ રહે. ગામ:દેવલપુર, પોસ્ટ. ખુટાણા, થાના. ચૌબેપુર, તા.પીંડરા, જી. વારાણસી, ઉત્તરપ્રદેશનાઓને અમદાવાદ, વસ્ત્રાલ, ડો. શ્યામપ્રસાદ મુખર્જી ઓડીટોરીયમના કોટની સામે જાહેર રોડ ઉપરથી તા.૦૭/૦૭/૨૦૧૩ ના રોજ ઝડપી લીધેલ છે.આરોપીઓ પાસેથી (૧) અપાર શક્તિ કમ્પનીના ૧.૫ એમ.એમ. ના ઇલેક્ટ્રીક વાયરોના બંડલ નંગ-૧૩ કિમત રૂ.૩૯,૦૦૦/- (૨) અપાર શક્તિ કમ્પનીના ૬ એમ.એમ. ના ઇલેક્ટ્રીક વાયરોના બંડલ નંગ-૨૮ કિંમત રૂ.૨,૮૦,૦૦૦/- તથા (૩) ટી.વી.એસ. જ્યુપીટર નં.GJ-27-DZ-5288 કિંમત રૂ.૮૦,૦૦૦/- મળી કુલ કિંમત રૂ.૩,૯૯,૦૦૦/- ની મત્તાનો મુદ્દામાલ સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ તપાસ અર્થે કબ્જે કરવામાં આવેલ છે. આરોપીઓને સીઆર.પી.સી. કલમ ૪૧(૧)(ડી) મુજબ અટક કરી કાયદેસર કાર્યવાહી કરેલ છે.ગઇ તા.૨૯/૦૬/૨૦૨૩ ના રાત્રીના બંને આરોપીઓએ ટીવીએસ જ્યુપીટર નંબર GJ-27-DZ-5288 લઇને હાથીજણ સર્કલ પાસે, વિંઝોલ, સદગુરુ એર નામની ફ્લેટની નવી સ્કીમ ઉપર રાત્રીના આશરે અઢી વાગ્યાના સમયે ગયેલા. જ્યાં રોશન અનુપભાઇ વર્માએ દુકાન નં.૪ ના શટરનુ તાળુ સળીયાથી તોડી દુકાનમાંથી નાના-મોટા ઇલેકટ્રીક વાયરના બંડલ નંગ-૪૭ ની ચોરી કરેલ હતી. જે તમામ વાયરો જ્યુપીટર ઉપર બે ફેરા કરીલઇ ગયેલ હતા. જે ચોરી કરેલ તમામ વાયરો છુપાવી મુકી રાખેલ હતા. આજરોજ બન્ને આરોપીઓએ ચોરી કરેલ ઇલેક્ટ્રીક વાયરનુ વેચાણ કરવા માટે જ્યુપીટર લઇને વસ્ત્રાલ, ડો. શ્યામપ્રસાદ મુખર્જી ઓડીટોરીયમના કોટની સામે રોડ પાસે ઉભા રહેલ હોવાનું જણાવેલ. ઉપરોક્ત વાયર ચોરી અંગે વટવા જી.આઇ.ડી.સી. પોલીસ સ્ટેશન ગુનો નોંધાયેલ હોય, બંને આરોપીઓને આ ગુનાના કામે સોપવામાં આવેલ છે.

આરોપીઓનો ગુનાહિત ઇતિહાસઉપરોક્ત બંને આરોપીઓ અગાઉ નિકોલ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયેલ છે

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad

ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમા આઈફોન મોબાઇલની ચોરી કરનાર બે આરોપીને કુલ રૂપિયા ૯૦ લાખ ના મુદ્દામાલ સાથે જડપી લેતી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ

0 0
Read Time:3 Minute, 7 Second

અમદાવાદ ના આંબાવાડી પાંજરાપોળ ચાર રસ્તા પાસે, થર્ડ આઇ વીઝન કોમ્પલેક્ષમાં આવેલ, વા યબલ રી-રીકોમર્સ ઇન્ડીયા પ્રા.લી. નામના શો-રૂમમાંથી એપલ કંપનીના આઇફોન મોબાઇલ ફો ન નંગ-૧૧૯ તથા રોકડ રકમ મળી કુલ રૂ.૭૭,૩૯,૮૦૦/- ની ચો રી અંગેનો ગુજરાત યુનીવર્સીટી પોલીસ સ્ટેશન ગુ. ર.નં. ૧૧૧૯૧૦૧૭૨૩૦૦૯૯/૨૦૨૩ ઇપીકો કલમ-૪૫૭, ૩૮૦ મુજબની ફરીયાદ દાખલ થયેલ હતી.

જે ગુનામાં મોટી રકમના આઇફોન મોબાઇલની ચોરી થયેલ હોય, ક્રાઇમબ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશ્નર શ્રી તથા નાયબ પોલીસ કમિશ્નરશ્રી ના માર્ગદર્શન હેઠળ, મદદનીશ પોલીસ કમિશ્નરશ્રીની સુચના મુજબ પો .ઇન્સ.શ્રી એ.ડી.પરમારની ટીમના પો.સ.ઇ.શ્રી બી.યુ. મુરીમા તથા વા.પો.સ.ઇ.શ્રી એમ.ડી.મકવાણા તથા એ.એસ.આ ઇ. જયેશ ધર્મરાજ તથા હે.કો. ઇમરાનખાન અબ્દુલખાન હે.કો. મહેન્દ્રસિંહ વેલુભા તથા પો.કો. અલ્પેશભાઇ વાઘુભાઇ તથા પો.કો. શૈલેષભાઇ ચમનભાઇ નાઓ દ્વારા આ ગુનામાં સંડોવાયેલ આરોપીઓ બાબતે ઝીણવટપૂર્વકની તપાસ હાથ ધરેલ.

આ દરમ્યાંન ખાનગી રાહે હકીકત મળેલ કે, “અગાઉ અસંખય ઘરફોડ ચોરીઓના ગુનાઓમાં પકડાયેલ અમિત ઉર્ફે શ્યામ નવીનચંદ્ર દરજી રહે-વડોદરા તથા અશોક ઉર્ફે અજય ડાહ્યાભાઈ મકવાણા રહે, દાણીલીમડા અમદાવાદ શહેરનો સંડોવાયેલ હોવાનુ જણાય આવેલ.

આ કામે આરોપીઓની તપાસમાં હતા દરમ્યાન (૧) અમિત ઉર્ફે શ્યામ સન/ઓફ નવીનચંદ્ર દરજી ઉવ.૪૬ રહે, ૨ ગ્રાઉન્ડ ફલોર અદાણીયા સરસીયા તળાવ ફતેહપુરા પોસ્ટ ઓફિસની પાછળ ફતેહપુરા વડોદરા મુળ વતન કિષ્ નાપાર્ક સોસાયટી વિદ્યાડેરી રોડ જુના નાવલી ગામ રોડ બોરસદ ચોકડી પાસે આણંદ જી . આણંદ તથા (૨) અશોક ઉર્ફે અજય સન/ઓફ ડાહ્યાભાઈ મકવા ણા ઉવ.૪૪ રહે, ૫ પંચવટી સોસાયટી હેતલકુંજની બાજુમા દાણીલીમડા ગામ

દાણીલીમડા અમદાવાદ શહેરને જમાલપુર એસ.ટી. રોડ નવી ચાલી ચાર રસ્તા પાસેથી મળી આવતા કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપીઓ પાસેથી એપલ કંપનીના આઇફોન મોબા ઇલ ફોન નંગ-૧૧૯ કિ.રૂ. ૯૦,૩૮,૧૦૦/- તથા મો.સા.-૧ કિ.રૂ.૨૦,૦૦૦/- તથા લોખંડનુ ખાતરીયુ-૦૧ કિ.રૂ.૦૦/૦૦ તથા થેલો-૧ કિ.રૂ.૦૦/૦૦ મળી કુલ્લે કિ. રૂ. ૯૦,૫૮,૧૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad

અમદાવાદ શહેરના સોલા તથા નારણપુરા પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી તેમજ મહેસાણા જિલ્લાના બાવળ વિસ્તાર માથી મોટરસાયક્લ ની ચોરી કરનાર બે ઇસમો તથા બે કાયદાના સંઘર્ષમાં આવેલ બે કિશોરો ને ચોરી કરેલ કુલ્લે૦૬ મો.સા સાથે પકડી કાયદેસરની કાર્યવાહી કરતી ઝોન-૭ લોકલ ક્રાઇમ બાંન્ય

0 0
Read Time:4 Minute, 11 Second

અમદાવાદ શહેરના સોલા તથા નારણપુરા પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી તેમજ મહેસાણા જિલ્લાના બાવળ વિસ્તાર માથી મોટરસાયક્લ ની ચોરી કરનાર બે ઇસમો તથા બે કાયદાના સંઘર્ષમાં આવેલ બે કિશોરો ને ચોરી કરેલ કુલ્લે૦૬ મો.સા સાથે પકડી કાયદેસરની કાર્યવાહી કરતી ઝોન-૭ લોકલ ક્રાઇમ બાંન્ય

અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર પ્રેમ વીર સિંહ સાહેબ તથા

અધિક પોલીસ કમિશ્નરશ્રી સેકટર-૧ નીરજકુમાર બડગુજર સાહેબની સુચનાથી

તથા નાયબ પોલીસ કમિશ્નર શ્રી ઝોન-૭ બી.યુ.જાડેજા સાહેબ નાઓની સુચના

તથા માર્ગદર્શન હેઠળ “ઝોન – ૭” કાર્યક્ષેત્ર વિસ્તારમા મિલકત સબંધી તથા ચોરી તથા લુંટના અનડીટેકટ ગુનાઓ શોધી કાઢવા સારું તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે સારુ સુચના કરતા જે સૂચના અન્વયે ઝોન-૦૭ લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેકટર ડી.એ.રાઠોડ નાઓ સાથેના સ્ટાફના માણસો સાથે ઝોન-૦૭ કાર્યક્ષેત્ર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન અ.પો.કો.જયદીપસિહ રામદેવસિંહ તથા પો.કો.મનભાઇ વલભાઇ તથા પો.કો.મુળભાઇ વેજાભાઇ નાઓને મળેલ સંયુકત ખાનગી બાતમી આધારે બોડકદેવ વિસ્તાર માંથી (૧) જય સ/ઓ બિપીનભાઇ જાતે-તબિયાર ઉ.વ.૧૮ વર્ષ ૧૦ માસ રહેવાસી, બ્લોક નં-૦૭ મકાન નં-૪૦૮ ચોથો માળ કબીર એપાર્ટમેન્ટ સીમ્સ હોસ્પિટલ પાસે થલતેજ અમદાવાદ શહેર મુળ-વતન-ગામ-મલાસા તા- ભિલોડા જીલ્લો-અરવલ્લી તથા (૨) નીલ સ/ઓ જશુભાઇ જાતે-પંચાલ ઉ.વ.૨૪ રહે,મ.નં-૬૧ જયઅદિતિ પાર્ક ચાદલોડિયા અમદાવાદ શહેર નાને તથા કાયદાના સંધર્ષમાં આવેલ ૦૨ કિશોરો પાસેથી અલગ અલગ કંપનીના કુલ્લે-૦૪ મો.સા તથા ૦૨ એક્ટીવા મળી કુલ્લે ૦૬ ટુ વ્હિલર વાહનો જેની કુલ્લે-કિ,રૂ,૧,૬૦,૦૦૦/-ના મુદામાલ સાથે ઝડપી પાડી સી.આર.પી.સી.કલમ-૪૧(૧)ડી મુજબ આજ રોજ તા- ૦૨/૦૬/૨૦૨૩ ના કલાક ૨૧/૩૦ વાગ્યે ઉપરોક્ત ઇસમોને અટક કરી વાહન ચોરીના ૦૬ અનડીટેકટ ગુના ડિટેકટ કરી સારી કામગીરી કરેલ છે. તા-૦૨/૦૬/૨૦૨૩

1/3

શોધાયેલ ગુનાની વિગત

(૧) નારણપુરા પોલીસ સ્ટેશન- પાર્ટ-એ.ગુ.ર.નં-૧૧૧૯૧૦૩૪૨૩૦૧૦૧/૨૦૨૩ ધી

ઇ.પી.કો.કલમ-૩૭૯

પોલીસ સ્ટેશન પાર્ટ-એ.ગુ.ર.નં-૧૧૧૯૧૦૪૫૨૩૦૪૮૧/૨૩ ધી

(૩) સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશન પાર્ટ-એ.ગુ.ર.નં-૧૧૧૯૧૦૪૫૨૩૦૪૮૨/૨૩ ધી

(૨) સોલા હાઇકોર્ટ ઇ.પી.કો.કલમ-૩૭૯

ઇ.પી.કો.કલમ-૩૭૯

(૪) સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશન પાર્ટ-એ.ગુ.ર.નં-૧૧૧૯૧૦૪૫૨૩૦૪૮૩/૨૩ ઘી ઇ.પી.કો.કલમ-૩૭૯

(૫) સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશન પાર્ટ-એ.ગુ.ર.નં-૧૧૧૯૧૦૪૫૨૩૦૪૮૮/૨૩ ધી

ઇ.પી.કો.કલમ-૩૭૯ (૬) મહેસાણા જીલ્લાના બાવલુ પોલીસ સ્ટેશન ખાતે ચોરીનો ગુનો દાખલ થયેલ છે

પકડાયેલ આરોપીનો ગુનાહિત ઇતિહાસ-

આ કામે પકડાયેલ કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર થોડા દિવસ પહેલા ગાંધીનગર સેકટર ૧૩ પોલીસ સ્ટેશન ખાતે વાહન ચોરીના ગુનામાં પકડાયેલ છે. કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ

રિપોર્ટર ભરત ઠાકોર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad Crime

મહારાષ્ટ્ર પૂણે ખાતે ચેન સ્નેચીંગ અને વાહન ચોરીઓના ગુનાઓમાં પકડાયેલ રીઢા આરોપીને કિ.રૂ.૨,૯૪,૦૦૦/- ની મતાના સોનાના બે મંગળસૂત્ર સાથે પકડી પૂણે ખાતે દાખલ થયેલ ચેન સ્નેચીંગના બે ગુન્હાનો ભેદ ઉકેલતી અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ.

0 0
Read Time:3 Minute, 10 Second

મહારાષ્ટ્ર પૂણે ખાતે ચેન સ્નેચીંગ અને વાહન ચોરીઓના ગુનાઓમાં પકડાયેલ રીઢા આરોપીને કિ.રૂ.૨,૯૪,૦૦૦/- ની મતાના સોનાના બે મંગળસૂત્ર સાથે પકડી પૂણે ખાતે દાખલ થયેલ ચેન સ્નેચીંગના બે ગુન્હાનો ભેદ ઉકેલતી અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ.અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના સંયુકત પોલીસ કમિશનરશ્રી તથા નાયબ પોલીસ કમિશનરશ્રી દ્વારા આપવામાં આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એમ.એમ.સોલંકીની ટીમના એ.એસ.આઈ નારસિંહ મલુસિંહ, હે,કોઇમ્તીયાઝઅલી ઉમરાવઅલી દ્વારા ચેન સ્નેચીંગ કરતા આરોપી આકાશ સ/ઓ વજીર મિરકાંત રાઠોડ, ઉ.વ.૨૩, રહે.હાલ નાના ચિલોડા, કરંજ સોસાયટીના છાપરા, નંદીગ્રામની બાજુમાં, નરોડા અમદાવાદ મૂળ વતન રહે કચરા ડેપોની પાછળ, ગણેશ તાપકીર ઈંટ ભઠ્ઠીની બાજુમાં, આચનડી બસ્તી મુલખેડ, તા.મુલસી, જી.પૂણે, મહારાષ્ટ્રને.પાનકોર નાકા પાસેથી ઝડપી લીધેલ છે.આરોપી પાસેથી તૂટેલી હાલતના કાળા મણકાવાળા ફ્રેન્સી ડિઝાઇનવાળા ડબલ ચેનવાળા બે સોનાના મંગળસૂત્ર કિ.રૂ.૨,૯૪,૦૦૦/-ની મત્તાનો મુદ્દામાલ મળી આવતાં તે કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ.આરોપીની આજથી આશરે અઠવાડીયા પહેલાં સાંજના સમયે તે તથા તેનો મિત્ર બજરંગ ઉર્ફે સાગર ચતુર મારવાડી (કુંભાર) રહે: ચૌકુલા પુણે મહારાષ્ટ્ર બંને જણાં તેની KTM duke 200 cc મોટર સાયકલ નં.M.H.12.P.P.8725ની લઈને ચેઈન સ્નેચીંગ કરવા સારૂ પૂણે ખેડ વિસ્તારમાં નિકળેલ. દરમ્યાન સાંજના ચાકણ એસ.ટી બસ સ્ટેન્ડ પાસે બસમાંથી એક બહેન અને એક ભાઈ ઉતરી ચાલતાં જતાં હતાં. તે વખતે બહેનના ગળામાંથી મંગલસૂત્ર તોડી લીધેલ અને ત્યાંથી મોટર સાયકલ પર નાસી જઈ રાતના આશરે સાડા નવ વાગે દિઘી વિસ્તારમાં ચરોલી ફાટા આનંદનગર પાસે આવતાં ત્રણ બહેનો ચાલતા ચાલતા જતા હતાં. તે સમયે એક બહેનના ગળામાંથી મંગલસુત્ર તોડી ભાગી ગયેલ હોવાનું જણાવેલ છે.જે અંગે દાખલ થયેલ નીચે મુજબના ગુનાઓ શોધવામાં આવેલ છે.શોધાયેલ ગુન્હા: (૧) મહારાષ્ટ્ર પૂણે ખેડ પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૦૩૮૫/૨૦૧૩ ઈપીકો કલમ-૩૯૨, ૩૪ મુજબ (૨) મહારાષ્ટ્ર પૂણે દિલ્લી પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૦૧૯૫/૨૦૨૩ ઈપીકો કલમ-૩૯૨, ૩૪ મુજબ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad Crime

અમદાવાદ શહેર વિસ્તારમાંથી સ્પોર્ટસ બાઇકની ચોરી કરતી “લરાઠી રાઈડર ગેંગ” ના બે સભ્યોને પકડી ચોરી કરેલા-૧૩ વાહનો કબ્જે કરી ૨૧ થી વધુ વાહન ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલતી અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ.

0 0
Read Time:3 Minute, 36 Second

અમદાવાદ શહેર વિસ્તારમાંથી સ્પોર્ટસ બાઇકની ચોરી કરતી “લરાઠી રાઈડર ગેંગ” ના બે સભ્યોને પકડી ચોરી કરેલા-૧૩ વાહનો કબ્જે કરી ૨૧ થી વધુ વાહન ચોરીના ગુનાઓનો

ભેદ ઉકેલતી અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ.

અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનરશ્રી, તથા નાયબ

પોલીસ કમિશનરશ્રી દ્વારા આપવામાં આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઇમ બ્રાન્ચના પો.ઈ.શ્રી એ.ડી.પરમારની ટીમના પો.સ.ઇ.શ્રી બી.યુ.મુરીમા તથા એ.એસ.આઇ. જયેશ ધર્મરાજ તથા હે.કો. મહેન્દ્રસિંહ વેલુભા તથા હે.કો. વસંતભાઇ જીવાભાઇ તથા પો.કો. અલ્પેશભાઈ વાઘુભાઈ તથા પો.કો. શૈલેષભાઇ ચમનભાઇ તથા પો.કો. નાગરાજભાઈ અમકુભાઇ દ્વારા વાહન ચોરી કરતાં આરોપી (૧) આશિષ સ/ઓ જાલમસીંગ મીણા ઉ.વ-૧૯ રહે:વાદિલા ફલા, ગામ-લરાઠી, તા-

ખેરવાડા જી-ઉદેપુર રાજસ્થાનને દધીચી બ્રીજ પાસેથી તથા (૨) અંકિત વેલારામ અહારી (મીણા) ઉ.વ.૨૨ હાલ રહે-એરીસ્ટો વન ફ્લેટની સાઇડ ઉપર, વૈષ્ણોદેવી સર્કલ પાસે, નિરમા યુનીવર્સીટીની પાછળ, ત્રાગડ અમદાવાદ શહેર મુળરહે, ગામ-માલ, પરમારવાડા ફલા, તા.ખેરવાડા જી.ઉદેપુર રાજસ્થાનને મેમનગર સૌરાષ્ટ્ર પટેલ કન્યા છાત્રાલય પાસેથી ઝડપી લીધેલ છે.

આરોપીઓ પાસેથી યામાહા આર-૧૫ મો.સા.-૦૩, પલ્સર મો.સા.-૦૬, યામહા એફ.ઝેડ મો.સા.-૦૧, ટી.વી.એસ. અપાચી મો.સા.-૦૨, ડીલક્ષ મો.સા.-૦૧ કુલ્લે કિ.રૂ.૮,૭૦,૦૦૦/- ના મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે. આરોપીઓ વિરૂધ્ધ સી.આર.પી.સી. કલમ ૪૧(૧) ડી મુજબ કાર્યવાહી કરવામાં આવેલ.

આરોપીઓ તેના મિત્રો તથા સબંધીઓ અવિનાશ શંકર અહારે તથા સુધીર જનાલાલ નનોમા તથા રાહુલ નારાયણ ડામોર તથા પ્રકાશ અમરા અહારે તથા લલીત રોત તથા રાજકુમાર સુરેન્દ્રજી ખોખરીયા (મીણા) તથા રાહુલ ખરાડી તથા પ્રકાશ માના બોડાત(મીણા) તથા રાહુલ થાવરાચંદ મીણા તથા પંખુ બરંડા તથા સોહન નાનજી બોડાત તથા સુનિલ શાંતા મીણા તથા મનીષ લક્ષ્મણ મીણા તમામ રહે- ખેરવાડા જી-ઉદેપુર રાજસ્થાનનો અમદાવાદ શહેરમાં કડીયાકામ તથા સેન્ટીંગ કામની સાઇટો ઉપર કામ કરતાં અને મોડી રાત્રીના સમયે નક્કી કરેલ જગ્યાએ ભેગા થઇ માણસોની અવર-જવર ન હોય. તેવી જગ્યા ટાર્ગેટ કરી, સ્પોર્ટસ બાઇકોના લોક તોડી ડાયરેક્ટ કરી, બાઇકોની ચોરીઓ કરેલાની આરોપીઓની કબુલાત આધારે તપાસ કરતા નીચે મુજબના વાહન ચોરીના ગુન્હાઓ ડીટેક્ટ થયેલ છે, જે આધારે જે-તે પો.સ્ટે.ને જાણ કરી આરોપીઓ મુદ્દામાલ મોકલી આપવા તજવીજ કરેલ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad Crime

ચાલુ બી.આર.ટી.એસ. બસમાંથી નજર ચુકવી સોનાના દાગીના ની ચોરી કરતી બે મહીલાને દાગીના કિ.રૂ. ૭,૬૧,૦૦૦/- ના મુદામાલ સાથે ઝડપી પાડતી અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ

0 0
Read Time:2 Minute, 56 Second

ચાલુ બી.આર.ટી.એસ. બસમાંથી નજર ચુકવી સોનાના દાગીના ની ચોરી કરતી બે મહીલાને દાગીના કિ.રૂ. ૭,૬૧,૦૦૦/- ના મુદામાલ સાથે ઝડપી પાડતી અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ

સોનાના

અમદાવાદ શહેર ક્રાઇમબ્રાન્ચના સંયુકત પોલીસ કમિશનરશ્રી તથા નાયબ પોલીસ કમિશ્નરશ્રી દ્વારા આપવામાં આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી.બી.આલની ટીમના પો.સ.ઈ. શ્રી પી.બી.ચૌધરી તથા શ્રી એમ.એન.જાડેજા તથા હેડ કોન્સ. અજયકુમાર જાબરમલ તથા હેડ કોન્સ.મહિપાલસિંહ દીલીપસિંહ દ્રારા નજર ચૂકવી દાગીનાની ચોરી કરતાં આરોપી..

(૧) મંગળબેન W/0 સુદેશ વિઠલભાઈ જાતે જાદવ ઉવ.૩૦ રહે.શાસ્ત્રીનગર ની ચાલી ઉલ્લાસનગર

અંબરનાથ વાંદરપાડા મુંબઇ હાલ રહે. કેકાડી વાસ સિઘી સ્કુલ ની પાછળ એ વોર્ડ કુબેરનગર અમદવાદ શહેર (૨) રામેશ્વરીબેન W/0 રવન પચ્ચુ જાતે ગાયકવાડ ઉવ.૨૫ રહે. કેકાડી વાસ સિધી સ્કુલ ની પાછળ એ વોર્ડ કુબેરનગર અમદવાદ શહેરને નરોડા પાટીયા ખાતેથી ઝડપી લીધેલ છે. આરોપીઓ પાસેથી પાસેથી મળી આવેલ સોનાના દાગીના કિ.રૂ. ૭,૬૧,૦૦૦/-નો

મુદ્દામાલ મળી આવતાં કબ્જે કરવામાં આવેલ છે,

સદરી બન્ને મહીલા ગઇ તા.૨૨/૪/૨૦૧૩ નારોજ બન્ને જણા ઘરેથી સવારના સમયે ઓટોરીક્ષામાં બેસી કાલુપુર એ.એમ.ટી.એસ. બસ સ્ટેન્ડ આવેલા, બન્ને જણા કાલુપુર એ.એમ.ટી.એસ. બસ સ્ટેન્ડથી બસ નં-૭ માં બેસી દીલ્હી દરવાજા ગયેલા. ત્યાં ઉતરી ગયેલા અને દીલ્હી દરવાજાથી વાડજ જતી બી.આર.ટી.બસ નં-૨ મા બેસી ગયેલા. તે બસમાં ખુબ જ ભીડ હોય અને એક બહેન તે બસમાં ઉભા હોય. તેની પાસે એક મોટુ પર્સ હોય તે પર્સમાંથી બન્નેજણાએ એક નાનુ સફેદ કલરના પર્સની તે બહેનની નજર ચૂકવી ચોરી કરી, કોઇ વેપારીને વેચવા સારુ મેમ્કો તરફ જતા હોવાની હકીકત જણાવેલ છે.

શોધી કાઢેલ ગુન્હાની વિગત:

નારણપુરા પોલીસ સ્ટેશન ગુ.ર.નં ૧૧૧૯૧૦૩૪૨૩૦૦૬૮/૨૦૨૩ ઇપીકો કલમ ૩૭૯

આરોપી બહેન રામેશ્વરીબેન નો ગુનાહીત ઇતિહાસ: અગાઉ સરદારનગર પોલીસ સ્ટેશનમાં દારૂના બે

કેસમાં પકડાયેલ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Uncategorized

બે દિવસ પહેલા રામોલ સી.ટી.એમ બ્રીજ નીચે એક મહીલાનુ ગળુ દબાવી મોત નીપજાવેલ હાલતમાં લાશ મળી આવેલ જે અંગે રામોલ પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ અનડીટેકટ મર્ડરના ગુન્હાનો ભેદ ઉકેલી આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ

0 0
Read Time:6 Minute, 14 Second

બે દિવસ પહેલા રામોલ સી.ટી.એમ બ્રીજ નીચે એક મહીલાનુ ગળુ દબાવી મોત નીપજાવેલ હાલતમાં લાશ મળી આવેલ જે અંગે રામોલ પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ અનડીટેકટ મર્ડરના ગુન્હાનો ભેદ ઉકેલી આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ.ગઇ તા.૦૮/૦૪/૨૦૨૩ ના રોજ રામોલ સીટીએમ થી એકસપ્રેસ હાઇવે તરફ જવાના બ્રીજ પાસે સહજાનંદ સોસાયટીના નાકે ભાગ્યલક્ષ્મી ટ્રાવેલ્સ નામની દુકાન સામે બ્રીજ નીચે તુલસીબેન વા/ઓ ચમનભાઇ મકવાણા ઉવ.૩૪ ની લાશ મળી આવેલ. આ બાબતે રામોલ પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મોત દાખલ કરવામાં આવેલ મરણજનાર બેનની લાશના પોસ્ટ મોર્ટમ દરમ્યાન મરણજનાર તુલસીબેનનું મોત ગળુ દબાવવાથી થયેલ હોવાનો અભિપ્રાય મળેલ.મરણજનાર તુલસીબેનના ભાઈ અખાભાઇ ધુળાભાઇ ભાટીએ તુલસીબેનનુ અજાણ્યા ઇસમે કોઇપણ કારણોસર ગળુ દબાવી ખૂન કરેલ હોવાની રામોલ પોલીસ સ્ટેશન ખાતે તા.૦૯/૦૪/૨૦૨૩ ના રોજ ફરીયાદ આપતા રામોલ પોલીસ સ્ટેશન ખાતે ગુ.ર.નં.૧૧૧૯૧૦૨૪૨૩૦૩૪૯/૨૦૨૩ ધી ઇપીકો કલમ ૩૦૨ મુજબનો ગુનો નોંધવામાં આવેલ.આ ગુનો વણશોધાયેલ હોય અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનરશ્રી પ્રેમ વીર સિંહ સાહેબ દ્વારા આ વણશોધાયેલ ખૂનના ભેદ ઉકેલવા સારૂ સુચના તથા માર્ગદર્શન આપેલ.જે અનુંસધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એન.જી.સોલંકીની ટીમના પો.સ.ઇ.શ્રી કે.કે.ચૌહાણ અનેપો.સ.ઈ.શ્રી વી.ડી.ખાંટ ટીમ સાથે ઉપરોકત ખુનના ગુન્હાનો ભેદ ઉકેલવા સારૂ માટે પ્રયત્નશીલ હતાં. દરમ્યાન એ.એસ.આઇ હિમંતસિંહ ભુરાભાઇ અને હે.કો. કૌશીક ગોવિંદભાઇને મળેલ ચોકકસ બાતમી હકીકત આધારે આરોપી શંકરભાઈ ઉર્ફે ભૂરીયો સન/ઓફ નાનજીભાઈ અવાભાઈ ખોખરીયાવાળા (દેવીપુજક) ઉ.વ.૫૫ રહે:ઘર નં ૧૧૫,ન્યુ ગાયત્રીનગર,વિભાગ-ર, ગોપીનાથ એસ્ટેટની બાજુમાં,પન્ના એસ્ટેટની સામે,સોનીની ચાલી ચાર રસ્તા ઓઢવ અમદાવાદ શહેર મુળગામ: ધારણોજ તા.જી.પાટણ ને સોનીની ચાલી બિરજુનગરના નાકેથી ઝડપી પાડેલ છે.પકડાયેલ આરોપીને તુલસી વા/ઓ ચમનભાઇ મકવાણા રહે.મુન્શીપુરા નવી વસાહત રામદેવ મંદિરની પાસે જશોદાનગર અમદાવાદ શહેરની સાથે પાંચેક વર્ષ અગાઉ આડાસબંધ હતા અને આ તુલસીને વિરસિંહ ભદોરીયા નામના વ્યક્તિ સાથે છેલ્લા બે વર્ષથી આડાસબંધો છે. ગઇ તા.૭/૦૪/૨૦૧૩ ના રાત્રીના આશરે સાડા નવેક વાગ્યાની આસપાસ પોતે વટવા જીઆઇડીસી તરફથી એકસપ્રેસ હાઇવે ગરનાળા વાળા રસ્તે થઇ એકસપ્રેસ હાઇવેની બાજુમાં ન્યુ મણીનગર જવાના રોડ પર આવેલ ત્રિકમપુરા તરફ જતી ખારીકટ કેનાલ પાસે પાનના ગલ્લા આગળ બાંકડા ઉપર તુલસી અને વિરસિંહ બંને જણા બેસેલ હતા, ત્યારે તુલસી તથા આરોપી શંકરની નજર એક થતા તુલસીએ બુમ પાડી તેને ઉભા રહેવા માટે જણાવતા તે પેડલ રીક્ષા સાઇડમાં રાખી ઉભો રહેલ. આ વખતે તુલસીએ જણાવેલ કે તે અને વિરસિંહ અહીં બેઠા છે તેવી વાત તેના ઘરે ના કરવા માટે જણાવેલ.જેથી પોતે તુલસીને કહેલ કે તુ વિરસિંહ સાથે બોલે કે ના બોલે મારે શુ લેવા દેવા. તેમ જણાવતા તુલસીએ જણાવેલકે જો મારા ઘરે કાલે ખબર પડશે તો તારી આવી બનશે.તેમ કહી તુલસીએ તેનો કોલર ખેંચી ઝપાઝપી કરતા તેણે તુલસીને ધકકો મારતા તે લોખંડની એંગલની પાછળ પડી ગયેલ.જયાંથી તે ઉભી થઇ પાછી તેની પાસે આવેલ અને તેને લાતો મારવા લાગેલ જેથી તેણે તુલસીનું ગળું પકડી પેડલ રીક્ષા પર પાડી દેતા તે છુટવા માટે પ્રયત્ન કરતા તેનુ ગળુ દબાવી મારી નાખેલ.તુલસીને પેડલ રીક્ષામાં મૂકી તેની ઓઢણીથી તેને ઢાંકી અને પેડલ રીક્ષા ચલાવી લઇ થોડે આગળ આવેલ બીજી કેનાલ પાસે રોડની સાઇડમાં પાણીની ટાંકી પાસે આવેલ જયાં પાણી લઇ તુલસીના ચહેરા પર છાંટેલ પરતું તે જીવિત જણાયેલ નહી. તે મરી ગયેલ હોવાની ખાત્રી થતા ત્યાંથી આગળ સીટીએમ થી એકસપ્રેસ હાઇવે તરફ જવાના બ્રીજ પાસે ટ્રાવેલ્સની ઓફીસની સામે બ્રીજની નીચે તેની લાશ પેડલ રીક્ષામાંથી ઉતારીને પેડલ રીક્ષા ચલાવી લઇ તેના ઘર તરફ જતો રહેલ.જેથી આરોપીએ જણાવેલ ઉપરોકત હકીકત બાબતે તપાસ કરતા રામોલ પોલીસ સ્ટેશન ખાતે ગુ.ર.નં.૧૧૧૯૧૦૨૪૨૩૦૩૪૯/૨૦૨૩ ધી ઇપીકો કલમ ૩૦૨ મુજબનો ગુનો નોંધવામાં આવેલ હોઇ આરોપીએ તુલીને મારી નાખી તેની લાશને સગેવગે કરવામાં તેની પેડલ રીક્ષાનો ઉપયોગ કરેલ તે પેડલ રીક્ષા સાથે આરોપીને રામોલ પોલીસ સ્ટેશન ખાતે સોંપવા તજવીજ કરેલ છે

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %