Categories
Amadavad Bagodara

અમદાવાદના બાવળા-બગોદરા હાઈવે પર ભયાનક અકસ્માત

0 0
Read Time:2 Minute, 15 Second

અમદાવાદના બાવળા-બગોદરા હાઈવે પર ભયાનક અકસ્માત થયો છે, જેમાં 5 મહિલા, 3 બાળક સહિત 10 લોકોનાં મોતની આશંકા છે. ટ્રક પાછળ મિની ટ્રક ઘૂસી જતાં ગમખ્વાર અકસ્માત થયો હતો, જેમાં 10 વ્યક્તિનાં મોત થયાંનું જાણવા મળ્યું છે, જ્યારે 10 વ્યક્તિ ઇજાગ્રસ્ત થઈ છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. આ અકસ્માત બાવળા-બગોદરા વચ્ચે અને અમદાવાદથી 50 કિમી દૂર અકસ્માત થયો છે.
પંચર થયેલી ટ્રક પાછળ છોટા હાથી ઘૂસ્યું
અકસ્માતમાં 10 લોકોના ઘટનાસ્થળે મોત નીપજ્યા છે. કપડવંજ અને બાલાસિનોરના 17 લોકો છોટા હાથીના લોડિંગ ટેમ્પોમાં બેસીને ચોટીલા દર્શન કરવા માટે ગયા હતા. ત્યાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે બાવળા-બગોદરાની વચ્ચે એક ટ્રક પંચર થયેલી ઊભી હતા. ત્યારે અચાનક ઊભેલી ટ્રકની પાછળ આ લોડિંગ ટેમ્પો ઘૂસી જતા ઘટનાસ્થળે 10 લોકોએ દમ તોડી દીધો હતો. આ અંગે અમદાવાદ જિલ્લા ડીએસપી અમિત વસાવાએ જણાવ્યું હતું કે, હાલ તમામ મૃતકોના પોસ્ટમોર્ટમ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે

અકસ્માતથી ટ્રાફિકજામની સ્થિતિ
અકસ્માતના પગલે હાઈવે પર લાંબો ટ્રાફિકજામ સર્જાયો છે તેમજ લોકોનાં ટોળાં પણ ઊમટ્યાં છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે 108 મારફત હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે. હાઈવે પર લોહીની નદી વહી હોય એવું જાણવા મળ્યું છે. હાલ વધુમાં જણાવા મળ્યું છે કે ચોટીલાથી દર્શન કરી પરિવાર પરત ફરી રહ્યો હતો ત્યારે ટ્રક પાછળ છોટાહાથી ઘૂસી જતાં 10 વ્યક્તિનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં છે.

Happy
Happy
0 %
Sad
Sad
50 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
50 %
Categories
Amadavad

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૨૫ મું અંગદાન ખેડા જિલ્લાના માતર તાલુકાના નાંદોલી ગામમાં અંગદાનની મ્હેક પ્રસરી

0 0
Read Time:3 Minute, 20 Second

*અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૨૫ મું અંગદાન*………..*ખેડા જિલ્લાના માતર તાલુકાના નાંદોલી ગામમાં અંગદાનની મ્હેક પ્રસરી*……..*૫૪ વર્ષના જયંતિભાઇ પ્રજાપતિ બ્રેઇનડેડ થતાં સ્વજનોએ અંગદાન કરી ત્રણ લોકોને નવજીવન બક્ષ્યું*………..*બે કિડની અને એક લીવરનું દાન મળ્યું*……..*હોસ્પિટલની ટીમ અને અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના દિલિપ દેશમુખ (દાદા) એ સ્વજનોને અંગદાન માટે પ્રેરણા આપી*………*અંગદાન માટે સમજાવટ, સંમતિ, કાઉન્સેલિંગ પ્રથમ પગથિયું -ડૉ. રાકેશ જોષી

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૨૫ મું અંગદાન થયું.ખેડા જિલ્લાના માતર તાલુકાના નાંદોલી ગામના વતની શ્રી જયંતિભાઈ પ્રજાપતિને ૫ મી ઓગષ્ટે માથાના ભાગમાં ગંભીર ઇજા પહોંચી હતી.જયંતિભાઇની તબીયત વધું ગંભીર બનતાં તેમને સઘન સારવાર અર્થે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા.સિવિલ હોસ્પિટલના તબીબોની ચાર દિવસની મહેનતના અંતે પ્રભુને ગમ્યું એ જ થયું.તબીબો દ્વારા જયંતિભાઇને બ્રેઇનડેડ જાહેર કરાયા.બ્રેઇનડેડ જાહેર કરાયા બાદ હોસ્પિટલના કાઉન્સેલર્સ અને અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના દિલિપ દેશમુખ (દાદા)એ પ્રજાપતિ પરિવારને અંગદાન માટે પ્રેરણા આપી.તેઓએ સમગ્ર પરિજનોને અંગદાનનું મહત્વ સમજાવ્યું.સાથે સાથે આ ઉમદા કાર્યથી પીડિતને નવજીવન મળે છે તે ભાવ સમજાવ્યો.જેનું પરિણામ એ મળ્યું કે, પરિવારજનો અંગદાન માટે સંમત થયા. તેમણે એકજૂટ થઈને અંગદાનનો નિર્ણય કર્યો.બ્રેઇનડેડ જયંતિભાઇને સિવિલ હોસ્પિટલના રીટ્રાઇવલ સેન્ટરમાં લઇ જવામાં આવ્યા. છ થી સાત કલાકની ભારે જહેમતના અંતે ૨ કિડની અને એક લીવરનું દાન મેળવવામાં સફળતા મળી. જેને અન્ય દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા.સિવિલ સુપ્રીટેન્ડન્ટ ડૉ.રાકેશ જોશીએ કહ્યું કે, સિવિલ હોસ્પિટલના કાઉન્સેલર્સની ટીમ સાથે અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના દિલિપ દેશમુખ (દાદા)ની પણ બ્રેઇનડેડ વ્યક્તિઓના સ્વજનોને અંગદાન માટે પ્રેરિત કરવામાં અહમ્ ભૂમિકા રહી છે. ઘણા કિસ્સામાં દાદા એ સ્વજનોના નિવાસ સ્થાને તેમજ લાંબા અંતર ખેડીને તેમના ગામડામાં કે અન્ય શહેરમાં જઈને પણ અંગદાન માટે પ્રેરિત કર્યા છે. જેના પરિણામે ઘણાં પરિજનોએ અંગદાન માટે પ્રેરાઇને સ્વજનના અંગદાન કરવાની સંમતિ પણ આપી છે.અંગદાન માટે સમજાવટ, સંમતિ એ પ્રથમ પગથિયું છે તેમ ડૉ‌ જોષી ઉમેરે છે ‌………….

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad

અમદાવાદના A ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશન ની હદમાં ભારે વાહનોથી આક્સમત સર્જ્યા તો જવાબદાર કોણ..?? વહીવટદાર અર્જુન શિહ કે પીઆઇ પોતે??

0 0
Read Time:1 Minute, 53 Second

રાજ્યમાં ટ્રાફિકના નિયમોનું પાલન કરવા તંત્ર નવા નવા નિયમો સહિત નવતર પ્રયોગ પણ કરી હોય છે. પરંતુ ક્યાંકને ક્યાંક આ નિયમનો ભંગ થતો હોય તેવું લાગી રહ્યું છે. અમદાવાદના A ડિવિજન ટ્રાફિકના હદ વિસ્તારમાં ભારે સાધનોની અવરજવરથી સામાન્ય જનતાને ભારે ટ્રાફિક સહિત ભારે મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે.
મહત્વનું છે કે અમદાવાદના A ડિવિજન ટ્રાફિક હદ વિસ્તારમાં લક્ઝરી બસો, ડમ્પરો, ટ્રક સહિતના ભારે વાહનો પ્રવેશે સે
જેના કારણે ટ્રાફિક જામની પણ સામાસય સર્જાય છે.

ટ્રાફિકના નિયોનું અનુસાર રાત્રીના અમુક સમય થી લઈને વહેલી સવારના અમુક સમય સુધી જ શહેરમાં ભારે વાહનોને પ્રવેશની મંજરી છે. પરંતુ અહિતો નિયમોનો ભંગ ખુલ્લેઆ જોવા મળી રહ્યો છે.
અને દિવસ દરમિયાન પણ ભારે વાહનો શહેરમાં પ્રવેશી રહ્યા છે.
તો અહી સવાલ ર ઊભા થાય છે કે જો કોઈ અકસ્માત સર્જાય તો તેનો મુખ્ય જવાબ કોણ..??

અમદાવાદમાં દિવસ દરમિયાન ભારે વાહનોને પ્રવેશ કેમ..??

ભારે વાહનોથી જો અકસ્માત સર્જ્યા તો મુખ્ય જવાબદાર કોણ..??

શું કરી રહી છે ટ્રાફિક પોલીસ..??

અમદાવાદ ટ્રાફિક પોલીસ પર ઉઠ્યા સવાલ..??

ટ્રાફિકના નિયમોનું ખુલ્લ્યમ ઉલંઘન..??

દિવસ દરમિયાન શહેરમા ભારે વાહનો પર રોક ક્યારે..??

વધું માહીતી માટે જોતાં રહો good day Gujarat news

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad

અમદાવાદ ના સાબરમતી વિસ્તારના શાકભાજીની ફેરી કરનાર દંપતીની નિષ્ઠા સમાજ માટે પ્રેરણારૂપ બની

0 0
Read Time:50 Second

અમદાવાદ ના સાબરમતી વિસ્તારના શાકભાજીની ફેરી કરનાર દંપતીની નિષ્ઠા સમાજ માટે પ્રેરણારૂપ બની

અમદાવાદના સાબરમતી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક ડોકટર નું લેપટોપ ગુમ થયેલું જે સાબરમતી વિસ્તારના શાકભાજીની ફેરી કરનાર પતિ પત્નીને મળ્યું હતું. આ દંપતીએ આ લેપટોપ તેના માલિક સુધી પહોંચાડવા વફાદારી પૂર્વક સાબરમતી પોલીસની મદદથી તબીબ સુધી પહોચાડ્યું હતું. લેપટોપમા મહત્વના રેકોર્ડ હોય તબીબને પેરત મળતા હાશકારો અનુભવ્યો હતો. અને આ દંપતીનો આભાર વ્યક્ત કરતા શાલ ઓઢાડી સન્માન કર્યું હતું.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad

અમદાવાદ શહેરના ઘાટલોડીયા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં લઠ્ઠાકાંડ સર્જાય તો જવાબદાર કોણ…?? કહેવાતા વહીવટદાર કે બુટલેગરો કે ઘાટલોડીયા પી.આઈ..??

0 0
Read Time:1 Minute, 36 Second

અમદાવાદ શહેરના ઘાટલોડીયા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં લઠ્ઠાકાંડ સર્જાય તો જવાબદાર કોણ…?? કહેવાતા વહીવટદાર . બુટલેગરો કે ઘાટલોડીયા પી.આઈ..??

લોકોના સ્વસ્થ સાથે ચેડાં કરતા અને ગાંધીના ગુજરાતમાં દારૂ જુગાર જેવા બેનામી ધંધાઓ ધમધોકાર પણે ચલાવતા બુટલેગરોને જેલના પાંજરે પુરાવાને બદલે ઘાટલોડીયા વિસ્તારમા આવા બુટલેગરો પર મીઠી રહેમનજર છે તે સપષ્ટ દેખાઈ રહ્યું છે.. !!? ઘાટલોડીયા પોલીસ સ્ટેશનના વહીવટદારનો ખાસ ઉઘરાણી માસ્ટર વટ કે સાથ વહીવટ હવે હદ વટાવી રહ્યો છે.. !? બુટલેગરોના વહીવટોના નશામાં ચકચૂર બંને હાથમાં લાડવા…!!એક બાજુ દારુની ઉઘરાણી બીજી બાજુ પી.આઈ. સાથે ઘર જેવા સબંધ તો બીજી બાજુ ઘાટલોડીયા પોલીસ સ્ટેશનના વહીવટદારનું ઉઘરાણું… !? ઘાટલોડીયા સ્ટેશનની હદ વિસ્તારમાં ખુલ્લેઆમ ચાલતા દારૂ જુગાર જેવા ધંધાઓની જાણ ઉચ્ચ પોલીસ અધિકારીઓને કેમ નથી..?? કેમ ડી.સી.પી કે પી.સી.બી ઘાટલોડીયા વિસ્તારમાં દારૂ જુગારના ધંધાઓ પર ત્રાટકતી નથી…?? વધુ વિગત વિડીયો ફોટા સાથે જોતા રહો..

વધુ વિગત વિડીયો ફોટા સાથે જોતા રહો.. good day Gujarat news

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad

અમદાવાદમાં ઈસ્કોન બ્રિજ પર થયેલ અકસ્માત સંદર્ભે મુખ્ય મંત્રી ભૂપન્દ્રર પટેલ દ્વારા ઉચ્ચસ્તરીય બેઠક નું આયોજન

0 0
Read Time:2 Minute, 15 Second

અમદાવાદમાં ઈસ્કોન બ્રિજ પર થયેલ અકસ્માત સંદર્ભે મુખ્ય મંત્રી ભૂપન્દ્રર પટેલ દ્વારા ઉચ્ચસ્તરીય બેઠક નું આયોજન

અમદાવાદમાં ઈસ્કોન બ્રિજ પર થયેલ અકસ્માત સંદર્ભે ઉચ્ચસ્તરીય બેઠક યોજીને આ દુર્ઘટનામાં સંડોવાયેલા કસૂરવારો સામે તાત્કાલિક કાયદેસરની કડક કાર્યવાહી અને સંપૂર્ણ નિષ્પક્ષ તપાસના નિર્દેશ . મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ એ આપ્યા

મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ કહ્યું આ કેસને મોસ્ટ સીવીયર અને મોસ્ટ અર્જન્‍ટ કેસ તરીકે ટ્રીટ કરીને એક જ સપ્તાહમાં ચાર્જશીટ રજૂ કરવા તેમજ સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની નિમણુંક કરીને આ કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવવાની કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદ શહેર પોલીસ કમિશનરની સીધી દેખરેખમાં આ ઘટના અંગે તપાસ થશે.

મહાનગરોમાં વાહનોનાં ઓવરસ્પીડીંગ અને રેશ ડ્રાઈવિંગ તથા સ્ટંટ કરનારા યુવાઓ સામે જે સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે તે વધુ કડક અને વ્યાપક બનાવવાની સૂચના આ બેઠકમાં આપી.

રાજ્યભરમાં હાઈ-વે પર વાહનોની સ્પીડ તેમજ ટ્રાફિકની દેખરેખ માટેનું CCTV કેમેરા નેટવર્ક તેમજ મહાનગરોના હાઈવે પર લાઈટ પોલની વ્યવસ્થા વધુ સુદ્રઢ બનાવવા પણ જરૂરી સૂચનાઓ આપી.

આ અકસ્માતનાં ઈજાગ્રસ્તોને રૂ. 50,000 ની સહાય અને સારવારનો સંપૂર્ણ ખર્ચ પણ આપવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે.

આ અકસ્માત જેવી ઘટનાઓનું પુનરાવર્તન ભવિષ્યમાં ન થાય અને સમાજમાં દાખલો બેસે તે રીતે કડક શિક્ષાત્મક પગલાં સહિતની કાર્યવાહી કરવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad Crime

દાણીલીમડા ખાનગી ટ્યુશન ના શિક્ષક કે 16 વર્ષની વિધાર્થીની ને હવસ નો શિકાર બનાવી

0 0
Read Time:1 Minute, 16 Second

દાણીલીમડા મા રહેતા પરિવાર ની દીકરી ખાનગી ટ્યુશન કરતી 16 વર્ષની વિધાર્થીની ને શિક્ષક એ પોતાના હવસનો ભોગ બનાવી હતી. તે પોતાના મા બાપ ને પણ કહી શક્તિ નહોતી કેમ કે શિક્ષક એ તે વિધાર્થી ને તેના મા બાપ ને હું મારી નાખીશ જો તુ કોઈને કહીસ તો, એ ધમકી આપી અવાર નવાર તેની સાથે દુસ્કર્મ કરતો.

વિધાર્થી ના ટ્યૂશનથી તેના ભણવામાં સુધાર ના આવવાથી તેના માતા પિતા એ તેનું ટ્યુશન બંધ કરાઈ દીધું.અને તે માત્ર સ્કૂલ જ જતી.ત્યારે ટ્યુશન નો શિક્ષક તેનો પીછો કરી હેરાન કરતો હતો. તે શિક્ષક વિધાર્થીની નો પીછો કરતા કરતા સ્કૂલ સુધી પહોંચી જતા પ્રિન્સિપાલ એ પકડી પાડ્યો અને વિદ્યાર્થીની ના માતા પિતા ને બોલાવી લીધા ત્યાર પછી તેઓએ દાણીલીમડા પોલીસ સ્ટેશન મા ફરિયાદ કરી. પોલીસ એ તે આરોપીની ધરપકડ કરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
100 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad Crime

દુબઇથી સોનાની દાણચોરી કરતા વ્યકિત તથા સોનીની ધરપકડ કરતી અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ. અમદાવાદ શહેર

0 0
Read Time:4 Minute, 48 Second

ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સપેકટર એ.ડી.પરમારની ટીમના પો.સ.ઇ. વી.આર.ગોહિલ તથા હે.કો. ભવાનીસિંહ હરૂભા તથા પો.કો. કુલદીપસિંહ બળદેવસિંહ તથા પો.કો. રવિરાજસિંહ મહિપતસિંહ દ્વારા સોનાની દાણચોરી કરતાં આરોપી…(૧) જીગ્નેશ ઉર્ફે જીગર સન/ઓફ ભીખાભાઈ રાઠોડ ઉ.વ.૩૦ રહે, ૬૦૧/એ સમોર હાઈટસ, મુઠીયા ટોલ પ્લાઝાની બાજુમાં નરોડા અમદાવાદ શહેર(૨) કેતનભાઈ હર્ષદભાઈ સોની ઉ.વ.પર રહે, મ.ન. ૪૯૨ નાનશા જીવણની પોળ સાંકળી શેરી માણેકચોક અમદાવાદ શહેરને માણેકચોક સાંકડી શેરી, નાનશા જીવણની પોળના નાકેથી તા.૯/૭/૨૦૨૩ના રોજ ઝડપી લીધેલ છે.આરોપીઓ પાસેથી રોકડ નાણાં રૂ.૪૫,૦૦,૦૦૦/- તથા સોનાના પટ્ટી આકરાના પતરા નંગ-૦૩ જેનુ કુલ વજન ૫૪૬ ગ્રામ ૨૨ મીલીગ્રામ કિ.રૂ. ૩૨,૭૭,૩૨૦/- તથા દિરહામની ચલણી નોટ નંગ-૦૪ કિ.રૂ.૮૦૦/- તથા થેલો નંગ-૧ તથા એપ્પલ કંપનીના મોબાઈલ ફોન નંગ- ૨ કિ.રૂ. ૨,૩૦,૦૦૦/- મળી કુલ્લે રૂ.૮૦,૦૮,૧૨૦/- નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ.આરોપી જીગ્નેશ ઉર્ફે જીગરની પૂછપરછ દરમ્યાન અમદાવાદના જયેશ સોની નામના માણસે તેને તથા તેની પત્નિ શીલાને દુબઇ ખાતે સોનું લાવવા માટે મોકલેલ. દુબઇ જવા આવવાની એર ટીકીટ તથા ચાર દિવસ રહેવાનો હોટલ સહિત તમામ ખર્ચ અને આ ટ્રીપ દરમ્યાન રૂ.૨૫,૦૦૦/- આપવાનુ નક્કી થયેલ હતું. દુબઇ ખાતે નીલ હોટલમાં ત્રણેક દિવસ રોકાયેલ દરમ્યાન આ જયેશ સોનીના કહેવા મુજબ તેમનો કોઈ ચેતન ચૌધરી નામનો માણસ હોટલ પર આવી પહેરવા માટે એક વજનદાર બનીયાન તથા એક વજનદાર જાંગીયો આપેલ. તેની પત્નિ શીલા માટે એક વજનદાર સેનેટરી પેડ આપેલ અને આ કપડાઓમાં કેમીકલ મિશ્રિત સોનુ ભેળવેલ હોવાનું જણાવેલ. જે પહેરી બંન્ને પતિ પત્નિ જયેશ સોનીના કહેવા મુજબ દુબઈથી તા. ૧૯/૦૬/૨૩ ના રોજ નીકળી મુંબઈ ઈન્ટરનેશલ એરપોર્ટ પર ઉતરેલા જયાં ઈમીગ્રેશન અને કસ્ટમમાંથી હેમખેમ બહાર નીકળી બોરીવલી રેલવે સ્ટેશનથી ટ્રેનમાં બેસી સુરત રેલવે સ્ટેશન આવી ત્યાંથી એક વોલ્વો લક્ઝરીમાં બેસી અમદાવાદ આવેલા. તે પછી જયેશ સોનીને દુબઈથી લાવેલ કપડામાં છૂપાવેલ સોનુ તેની પાસેથી લૂંટાઈ ગયેલ હોવાનુ જણાવી તે પછી તેની સાથે પકડાયેલ તેનો મિત્ર કેતનભાઈ સોનીને આપેલ. તેઓએ કપડામાંથી ચોખ્ખુ સોનુ અલગ કરી તેમાંથી કેટલુક સોનુ વેંચી તે પેટે રૂપીયા ૪૫ લાખ આપેલ હોવાનું અને વેચાણ કર્યા પછી બાકી રહેલ ૫૪૬ ગ્રામ ૨૨ મીલીગ્રામનુ સોનુ કેતન સોની પાસેથી મળી આવેલ હોવાનુ જણાવેલ. જે મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે.

આ સોનાની તસ્કરી બાબતે કસ્ટમ વિભાગમાં જાણ કરવામાં આવેલ છે.આરોપીઓ આ સોનુ ક્યાં સ્વરૂપે લાવેલ હતા? પકડાયેલ કેતન સોનીએ આ સોનુ કઇ રીતે અલગ કરેલ તેમજ રૂપિયા ૪૫ લાખની કિંમતનુ સોનુ કંઇ વ્યક્તિને વેચાણ આપેલ છે. આ સોનુમંગાવનાર જયેશ સોનીનુ આખુ નામ સરનામુ મળી આવેલ ન હોય, તે વ્યક્તિ કોણ છે. તેણે અથવા આ કામે પકડાયેલ જીગ્નેશ તથા તેની પત્નિ અગાઉ જયેશ સોનીના અથવા અન્ય બીજા કોઈના કહેવાથી આ રીતે સોનું લાવેલ છે કે કેમ? તેમજ આ રીતે ગોલ્ડ સ્મગ્લીંગ અંગેનુ ચોક્કસ કોઇ રેકેટ કામ કરે છે કે કેમ? તેમજ આવા રેકેટમાં અન્ય બીજા કોઇ ઇસમો સંડોવાયેલ છે કે કેમ? વિગેરે બાબતે હાલમાં આગળની તપાસ તજવીજ પો.સ.ઇ.શ્રી વી.આર.ગોહિલ ચલાવી રહેલ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad Crime

નરોડા પોલીસ સ્ટેશનના મારામારીના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાન્ચ, અમદાવાદ

0 0
Read Time:55 Second

એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાન્ચ ના પોલીસ ઇન્સપેકટર યું.એચ.વસાવા ના માર્ગદર્શન આધારે અ.મ.સ.ઇ. અખ્તરહુસેન જલાલુદિન નાઓની ટીમ અમદાવાદ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી હકિકત આધારે નરોડા પોલીસ સ્ટેશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપી મોહિત રવિન્દ્રસિંગ બઘેલ રહે. ડી/૫૦૫, વ્રજગેલેક્ષી એપાર્ટમેન્ટ હંસપુરા, નરોડા બિઝનેશહબની પાછળ, નરોડા, અમદાવાદ શહેર નાને તા.૧૪/૦૭/૨૦૨૩ ના કલાક ૧૩/૧૫ વાગે સી.આર.પી.સી. કલમ-૪૧(૧) આઇ મુજબ પકડી અટક કરી આરોપીને આગળની વધુ કાર્યવાહી માટે નરોડા પોલીસ સ્ટેશન ખાતે સોંપવા તજવીજ હાથ ધરેલ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad Crime

ભીડભાડમાં નજર ચૂકવી રાહદરીઓના મોબાઇલ ફોનોની ચોરી કરતી ગેંગના ૫ વ્યકિતને પકડી મોબાઇલ ચોરીના ૨ ગુનઓનો ભેદ ઉકેલતી અમદાવાદ શહેર, ક્રાઈમ

0 0
Read Time:3 Minute, 23 Second

ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એન.જી.સોલંકીની ટીમના પો.સ.ઈ.શ્રી એમ.એમ.ગઢવી તથા હે.કો.મેરૂભાઈ નાગજીભાઈ, પો.કો. હાર્દિકસિંહ જયંતીલાલ દ્વારા મોબાઇલ ચોરી કરતા આરોપી..(૧) વિશાલકુમાર બબલુભાઇ ચૌધરી ઉ.વ.૨૨ રહે. છોટેલાલની ચાલી,સોનીની ચાલી ચાર રસ્તા પાસે ઓઢવ અમદાવાદ શહેર મુળગામ: નયા તોલ કલ્યાણી, મહારાજપુર બાજાર, તા.તલઝાડી, જી.સાહેબગંજ, થાના: તલઝાડી, ઝારખંડ(૨) મોહમદ અરબાઝ મોહમદ મુન્ના ખાન ઉ.વ.૧૯ રહે: છોટેલાલની ચાલી, સોનીની ચાલી ચાર રસ્તા પાસે ઓઢવ અમદાવાદ શહેર મુળગામ:- મિલ્લીક પોખરખન્ના ગામ, તા.મનિહારી જી.કટીહાર, બિહાર (૩) જોની મકરૂદ્દીન શેખ ઉ.વ.૨૦ રહે: છોટેલાલની ચાલી,સોનીની ચાલી ચાર રસ્તા પાસે ઓઢવ અમદાવાદ શહેર મુળગામ: ગામ મોતીઝરના, પોસ્ટ,મહારાજપુર તા.તલઝાડી,જી.સાહેબગંજ, થાના: તલઝાડી, ઝારખંડ (૪) રાજેશ રૂપનારાયણ ચૌઘરી ઉ.વ.૩૦ રહે: છોટેલાલની ચાલી,સોનીની ચાલી ચાર રસ્તા પાસે ઓઢવઅમદાવાદ શહેર મુળગામ:- નયા તોલ કલ્યાણી, મહારાજપુર બાજાર, તા.તલઝાડી, જી.સાહેબગંજ, થાના: તલઝાડી, ઝારખંડ (૫) સન્નીકુમાર બજરંગી મહતો ઉ.વ.૧૯ રહે: છોટેલાલની ચાલી,સોનીની ચાલી ચાર રસ્તા પાસે ઓઢવઅમદાવાદ શહેર મુળગામ:- નયા તોલ કલ્યાણી, મહારાજપુર બાજાર, તા.તલઝાડી, જી.સાહેબગંજ, થાના: તલઝાડી, ઝારખંડ ને ઓઢવ સોનીની ચાલી ચાર રસ્તા પાસે છોટાલાલની ચાલી પાસે આવેલ અંબાજી માતાના મંદિર પાસેથી ઝડપી લીધેલ છે.આરોપીઓ પાસેથી ૬ મોબાઇલ ફોન કિ.રૂ.૫૩૦૦૦/- ની મત્તાનો મુદ્દામાલ મળી આવતા તે કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ.આરોપીઓએ નીચે મુજબના ગુનાની કબૂલાત કરેલ છે. (૧) આજથી આશરે દોઢેક મહિના પહેલાં નરોડા પાટીયા પાસે આવેલ એસ.ટી.બસ સ્ટેન્ડ પાસે પેસેન્જરોની ભીડમાં એક પેસેન્જરની નજર ચૂકવી તે પેસેન્જરના ખિસ્સામાંથી એક ઓપો કંપનીનો મોબાઈલ ફોન ચોરી કરી લીધેલ.(૨) આજથી આશરે અઢી મહિના પહેલાં વડોદરા શહેર સેન્ટ્રલ એસ.ટી.ડેપો ડભોઈ પ્લેટ ફોર્મ પર ઉભેલએક પેસેન્જરની નજર ચૂકવી તેના ખિસ્સામાંથી વનપ્લસ કંપનીનો ૧૧ આર મોબાઈલ ફોન ચોરી કરી લીધેલ.(૩) આજથી આશરે અઠવાડીયા પહેલાં કાલુપુર રેલ્વે સ્ટેશનની સામે બી.આર.ટી.એસ. બસ સ્ટેન્ડ ખાતેએક ભાઇના ખિસ્સામાંથી વીવો ૧૯૦૭ મોબાઈલ ફોન ચોરી કરી લીધેલ.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %