પાટણ શહેર માં ડૉ. આંબેડકર આવાસ યોજના હેઠળ મકાન સહાય ના ત્રીજા હપ્તાના ચેક જમા કરાવવાના અવેજ પેટે સુનિલકુમાર ખોડાભાઈ ચૌધરી , ઉ.વ.૨૮ , સમાજ કલ્યાણ નિરીક્ષક વર્ગ-૩ પાટણ. જે ફરિયાદી પાસે સુનિલકુમાર ખોડાભાઈ ચૌધરી , સમાજ કલ્યાણ નિરીક્ષક વર્ગ 3 ના અધિકારીએ રૂપિયા ૫,૦૦૦ ની લાંચની માંગણી કરેલ હતી . જે લાંચ ની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય એ.સી.બી. નો સંપર્ક કરતા ફરીયાદી ની ફરીયાદ આધારે આજ રોજ લાંચના છટકાનું આયોજન કરતાં આ સમાજ કલ્યાણ નિરીક્ષક ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂા.૫,૦૦૦/- લાંચની માંગણી કરી, રૂા.૫,૦૦૦/- સ્વીકારી સ્થળ ઉપરથી ACB એ રંગે હાથ ઝડપી પાડયા
સમાનતા નુ અતિઉત્તમ ઉદાહરણ પુરૂ પાડતા સમાજ ના સામાજીક કાર્યકરો તેમજ સામાજિક આગેવાનો
પાટણની પવિત્ર ભૂમિ પર પશુ, પક્ષી, પ્રાણીઓ અને સમગ્ર માનવજાત માટે પોતાના દેહનું સ્વેછાએ બલિદાન આપનારા મહામાનવ વિરમેઘ માયા દેવની પ્રવિત્ર ભૂમિ *વિરમાયાં ટેકરી, પાટણ ખાતે વિરમાયાં સ્મારક સંકુલમાં આજે અનુસૂચિત જાતિના વર -કન્યાના અનોખા લગ્ન યોજાયી ગયા. *લંકાની લાડી અને ઘોઘાના વર* જેવા આ અનોખા લગ્નમાં કન્યા રાજસ્થાનની અનુસૂચિતજાતિ (વણકર સમાજ )ની અને વર પાટણ જિલ્લાના હારીજ તાલુકાના રવિન્દ્રા ગામના અનુસૂચિત જાતિ (રોહિત સમાજ)ના… આ લગ્નમાં રવિન્દ્રાથી રોહિત સમાજની જાન વિરમાયાં સ્મારક સંકુલમાં આવી પહોંચતા વિરમાયાં સ્મારક સંકુલ ના ધીરજભાઈ સોલંકી, અમરતભાઈ વૈષ્ણવ, ઈશ્વરભાઈ પરમાર, મહેશભાઈ જાદવ, પાટણ ના વકીલ શ્રી ડૉ.મનોજભાઈ પરમાર, કમલેશભાઈ વણકર (કોમ્પ્યુટર ગુરુ )તેમજ પાટણ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન અને રોહિત સમાજના અગ્રણી પ્રવીણભાઈ રાઠોડ, નવસર્જન ટ્રસ્ટ ના નરેન્દ્રભાઈ પરમાર, મોહનભાઇ પરમાર, ગાંધીનગર રોહિત સમાજના અગ્રણી નાનજીભાઈ પરમાર અમરતભાઈ પરમારે મહેમાનોનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું….. આ કાર્યક્રમમાં ખાસ હાજર રહેલા પાટણ શહેરના વાલ્મિકી સમાજના અગ્રણીઓ સર્વશ્રી રામભાઈ વાલ્મિકી, દિનેશભાઇ સોલંકી, અમરતભાઈ વાલ્મિકી,નરોત્તમભાઈ વાલ્મિકી બાબુભાઇ, કિશોરભાઈ નૈયા વગેરે હાજર રહી આ અનોખા લગ્નની ગૌરવપૂર્ણ ગરિમામય *સમાનતા દર્શક લગ્ન* ની શોભામાં અભીવૃદ્ધિ કરી હતી. વિર માયાંટેકરી, પાટણ ખાતે અમોએ *કોરોના સમય કાળ* થી શરુ કરેલ *સાદાઈ થી લગ્ન* નો આજે – 19=(ઓગણીસ )મોં લગ્ન પ્રસંગ હતો. આ લગ્ન વ્યવસ્થાની સમગ્ર અનુસૂચિત જાતિ પર ખુબજ સુંદર પ્રેણાદાયી છાપ પડી છે. જેના કારણે ઘણા પરિવારો અમારો આ સુંદર પ્રયાસને બિરદાવે છે અને પ્રત્યક્ષ- પરોક્ષ રીતે સંપર્ક કરી આ મોંઘવારીમાં સમાજને આર્થિક બોજમાંથી બચાવવાંના યજ્ઞમાં સેવાની આહુતિ અમારા આ પ્રયાસને બિરદાવી સાદાઈ થી લગ્ન કરવાની આ વ્યવસ્થા મજબૂત રીતે આગળ વધી સમાજની પરંપરા જ થઇ જાય તેવા પ્રયત્નો કરવાની ખાત્રી આપે છે. આજનો આ લગ્ન પ્રસન્ન અનેક રીતે અનોખો અને ખાસ કરીને અનુસૂચિતજાતિ ની એકતા માટેનો અનેરો પ્રસંગ બની રહ્યો હતો. આ પ્રસંગે મહારાજ તરીકે ધાર્મિક વિધિ શ્રીમાળી ગરો -બ્રાહ્મણ સમાજના સરઢવના મુકુંદભાઈ તપોધને સેવા આપી હતી. વિરમાયાં ટેકરીપાટણ ખાતે લગ્ન બિલકુલ સામાન્ય ખર્ચ માં થઇ જાય છે. અંદાજે પાંચ હજારથી પંદર હજાર રૂપિયા જેટલા જ થાય છે. જે ખુબજ નોંધવા જેવી બાબત છે. વિરમાયાં ટેકરી, પાટણ ખાતે યોજાતા વિવિધ કાર્યક્રમોથી વિરમાયાં સ્મારક સંકુલના સ્વપ્ન દ્રસ્ટાઓના *હેતુ પરિપૂર્ણ થાય છે.*
પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના કાકોશી ગામે રવિવારે વણકર પરિવાર ક્રિકેટ મેચ જોવા ગયો હતો. એ વખતે મેચ રમવા આવેલા અન્ય એક સમાજના યુવાને ટેનિસ બોલ આપવા જેવી બાબતે 8 વર્ષના બાળકને લાફા મારી જમીનમાં દાટી દેવાની ધમકી આપી હતી. એ બાબતે સમાધાન થયા બાદ પાછળથી સાત શખસ કાર લઈ આવી તલવાર જેવા જીવલેણ હથિયાર વડે બાળકના પિતા ઉપર હુમલો કરતાં તેનો અંગૂઠો કપાઈ ગયો હતો. આ બાબતે વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી મેદાને આવ્યા છે,
જેમણે આજે રાજ્યના પોલીસવડા વિકાસ સહાયને રૂબરૂ મળીને આરોપીઓ સામે જ્યુવેનાઇલ એક્ટ, પોસ્કો, 120 -b, IPC -34 અને 307ની કલમો દાખલ કરવા રજૂઆત કરી છે અને જો આમ નહીં થાય તો આવતીકાલે પાટણ બંધનું એલાન કરી ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
ત્યાર બાદ સ્થાનિકોએ ઈજાગ્રસ્તને કાકોશીથી એમ્બ્યુલન્સમાં સીધા પાલનપુર ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાંથી અંગૂઠાની પ્લાસ્ટિક સર્જરી માટે અમદાવાદ ખસેડાયા હતા. આ અંગે ઇજાગ્રસ્તના ભાઈ ધીરજકુમાર પાનાભાઈ વણકરે કાકોશી પોલીસ મથકે સાત શખસ સામે ફરિયાદ નોંધાવી હતી, જેમાં પોલીસે 4 આરોપીની ધરપકડ કરી લીધી છે. આ ઘટનાની જાણ થતાં વડગામના કોંગી ધારાસભ્ય અને દલિત આગેવાન જિજ્ઞેશ મેવાણીએ સોમવારે ઇજાગ્રસ્તની મુલાકાત લીધી હતી અને આરોપીઓ સામે કડક કાર્યવાહીની માગ કરી હતી.
સિદ્ધરાજ ફાઉન્ડેશન દ્વારા જરૂરિયાત મંદ બાળકો ને ચોપડા વિતરણ કાર્યક્રમ યોજાયો
તારીખ ૪/૬/૨૦૨૩ ને રવિવારે કડવા પાટીદાર ની વાડી મા
જરૂરિયાત મંદ બાળકો ને દાતા શ્રીઓ ના સહયોગ થી સિદ્ધરાજ ફાઉન્ડેશન દ્વારા ચોપડા વિતરણ કાર્યક્રમ કરવામાં આવેલ જેમા દાતાશ્રી કનુભાઈ પટેલ , યોગેશભાઈ પટેલ ( ભવાની ઇલોક્ટ્રોનિક્સ) તથા ડી.પી. ઠકકર સાહેબ ના સહયોગ થી કાર્યક્ર્મ કરવામાં આવેલ જેમા મુખ્ય મહેમાન મહેન્દ્રભાઈ પટેલ ( પૂર્વ નગર પાલિકા પ્રમુખ), ધર્મેશભાઈ પ્રજાપતિ ( નગર પાલિકા ઉપપ્રમુખ) , ચિરાગભાઈ રાજગોર,
પાટણ ના સામાજીક કાર્યકર વકીલ શ્રી ડૉ.મનોજ પરમાર , કોમ્પ્યુટર ગુરૂ કમલેશભાઈ સોલંકી, ભીખાભાઈ આચાર્ય, નગરપાલિકા કોર્પોરેટર બિપીનભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ સિદ્ધરાજ ફાઉન્ડેશન ના હોદ્દેદારો જેવા કે પ્રમુખ રવી પ્રજાપતિ, ઉપપ્રમુખ મનોજસિંહ રાઠોડ, મંત્રી કિશોરભાઇ પ્રજાપતિ, સંસ્થાપક મેહુલભાઈ તથા દેસાઈ જલ્પાબેન, સુનિલભાઈ ભીલ, કરણભાઈ ભીલ જેવા તમામ સાથી મિત્રો ના સહયોગ થી આ કાર્યક્રમ સફળ રહ્યો હતો.
પીવાના પાણીની પાઇપલાઇનમાંથી મૃતદેહના મળતાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી સિદ્ધપુર શહેર ચર ્ચામાં છે. મંગળવારે મળેલા અવશેષો જોઈને સ્પષ્ટ નહોતું થત ? પરંતુ બુધવારે મળેલા અવશેષો માનવ શરીરના હતા. એને લઇને સિદ્ધપુર સ્થાનિક પોલીસ સાથે પાટણ એલ. સી.બી.ની ટીમ તપાસ કરી રહી છે, એમાં પોલીસને એક દુપ ટ્ટો, બંગડી અને ટાંકા નજીકના સીસીટીવી મળ્યા છે. એને લઇને પોલીસે દસેક દિવસથી ગુમ યુવતીનાં પરિવ ારજનોને બોલાવીને પૂછપરછ કરતાં દુપટ્ટો ગુમ યુવ તીનો હોવાની પરિવારે શંકા વ્યક્ત કરી હતી. પોલીસે હાલ ગુમ યુવતીની માતાના ડી.એન.એ લઇને ઓળખ મેળવવા તપાસ હાથ ધરી છે.
સિદ્ધપુરમાં માનવ અવશેષો મળવાને લઇને પોલીસે ગ ુમ વ્યક્તિઓની યાદી બનાવી હતી, જેમાં એક યુવતી છે લ્લા નવ-દસ દિવસથી ગુમ હોવાનું જાણવા મળ્યું હતુ ં. જ્યારે ટાંકા નજીકના સીસીટીમાં એક યુવતી ભાગતી જોવા મળે છે. એને લઇને પોલીસે તેનાં પરિવારજનોને બોલાવ્યાં Ver más બંગડી બતાવી હતી. એને લઇને પરિવારને શંકા છે કે આ મૃતદેહ તેમની ગુ મ થયેલી દીકરીનો છે.
7 મારી દીકરી લવીના 7 સ્કર સાથેની વાતચીતમાં ગુમ યુવતીના પિતાએ 7 :30 હીને નીકળી હતી, જે મોડા સુધી પરત ન આવતા, મેં ઘરે આવ્યા બાદ પરિવારના સભ્યો સાથે મંદિર સહિત સિદ્ ધપુર શહેરના વિવિધ વિસ્તારોમાં તેની શોધખોળ ધરી હતી, પરંતુ પત્તો ન લાગતાં આખરે સાત તારીખે ર ાત્રે સિદ્ધપુર પોલીસ મથકે જાણવા જોગ ફરિયાદ આપી હતી.
દુપટ્ટો લવીનાનો હોવાનું નાની દીકરીએ ં આ વચ્ચે મંગળવારના રોજ સિદ્ધપુર શહેરના ઉપલી શે Ver más તના પગલે પાલિકા દ્વારા હાથ ધરાયેલી મિયાન પાઇપલાઇનમાંથી મૃતદેહના અવશેષ નીકળવાની ઘ ટના પ્રકાશમાં આવતાં પોલીસ દ્વારા તેની ઓળખ ે અમને બોલાવ્યા હતા, જે અવશેષ જોતાં મારી દીકરીન ા છે એવું લાગતું ન હતું. તો પોલીસે એક બંગડી પણ બતાવી હતી, જે બંગડી ઉપર મ ાટી ચડેલી હોવાથી એને પણ અમે ઓળખી શક્યાં ન હતાં. જ્યારે બુધવારના રોજ લાલ ડોસી વિસ્તારમાંથી પગ ના અવશેષો નીકળતાં પોલીસે પુનઃ બોલાવી એ ક ો જે પાણીની ટાંકીમાંથી મળ્યો હોવાનું જણાવી બત ાવતાં દુપટ્ટો મારી દીકરીનો હોવાનું મારી નાની દ ીકરીએ જણાવ્યું હતું.
12 12 મારી બહેનનાં 12 ીનાની નાની બહેન રેશ્માએ જણાવ્યું હતું કે મારી મ 12 મેના રોજ લગ્ન હતાં અને લગ્નન ે લઈને તે ઉત્સાહી પણ ખૂબ જ હતી. બ્યૂટિપાર્લર સહિતની તમામ તૈયારીઓ પોતે જાતે જ કરી હતી અને દરેકને લગ્નની જવાબદારી પણ મારી ે સોંપી હતી. મારા બનેવી સાથે તેણે હોશે હોશે પ્રિવેન્ડિંગ પ ણ કરાવ્યું હતું, પરંતુ સાતમી મેના રોજ રવિવારની સાંજે મંદિરે દર્શન કરીને આવું છું એમ કહીને ઘરે થી નીકળ્યા બાદ મોડે સુધી પરત ન ફરતાં આ બાબતની મા રા પપ્પાએ સિદ્ધપુર પોલીસમાં જાણવા જોગ ફરિયાદ આપી હતી.
પોલીસે ગુમ યુવતીની માતાના ડી .એન.એ લઇ તપાસ રી
મંગળવારે સિદ્ધપુર શહેરના ઉપલી શેરી વિસ્તારમ ાંથી પાણીની પાઇપલાઇનના ખોદકામ દરમિયાન ા અવશેષ નીકળવાની ઘટનાને પગલે પોલીસે ખરાઈ કરવા માટે અમને પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા, પરંતુ પોલ ીસ દ્વારા બતાવેલી બંગડી પર રેતી ચડેલી હોવાથી મા રી બહેનની બંગડી હોવાનું અમે ઓળખી શક્યા ન હતા. જ્યારે બુધવારે ફરીથી પોલીસે મને બોલાવતા અને પ ાણીના ટાંકામાંથી મળેલો દુપટ્ટો ટો મારી બહેનનો હોવાનું મેં પોલીસને જણાવ્યું હતું. ત્યાર બાદ પોલીસ દ્વારા બતાવેલા સી.સી.ટી.વી. ફૂટેજમાં મારી બહેન પાણીના ટાંકા તરફ ઝડપથી જતી જોવા મળી હતી. ડીએનએ ટેસ્ટ માટે મારી
સિદ્ધપુરમાં વેપારીઓએ સ્વયંભૂ બંધ પાળ્યો મહત ્ત્વનું છે કે, યુવતી ગુમ થવાના બનાવને પગલે પરિવ ારજનો સહિત સમગ્ર સિદ્ધપુર શહેરમાં ગમગીની છવાઈ જવા પામી હતી. ગુરુવારે યુવતીના નિવાસ સ્થાનેથી પરિવારજનો સ હિત સિંધી સમાજના લોકો અને સિદ્ધપુરના નગરજનો એ ર ેલી યોજી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી ઘટનાન 48 48 ડોવાયેલા આરોપીની અટકાયત કરવામાં નહીં આવે તો ગા ંધી ચિધ્યા માર્ગે આંદોલનની ચીમકી આપી હતી. બનાવના પગલે સિદ્ધપુરના તમામ વેપારીઓએ સ્વયંભ ૂ પોતાના ધંધા-રોજગાર બંધ રાખી બનાવને સખત શબ્દોમ ાં વખોડી કાઢ્યો હતો.
શું હતી ઘટના
સિદ્ધપુર શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી પાણીન ી રામાયણ ચાલતી હતી, છેલ્લા ચાર દિવસથી પાણી દુર્ ગંધ મારતું આવતું હતું, જેને પગલે સ્થાનિકોએ પાલિ કામાં રજૂઆત કરી હતી. જોકે આ વચ્ચે પાણી આવવાનું જ બંધ થઇ ગયું હતું. જેથી પાલિકા પ્રોબ્લેમ શોધવા કામે લાગી હતી. છેલ્લા ચાર-પાંચ દિવસથી પાલિકા શહેરમાં જ્યાંત ્યાં ખાડા ખોદીને પ્રોબ્લેમ શોધતી હતી. આ વચ્ચે મંગળવારે ઉપલી શેરી વિસ્તારમાં ખાડા ખો દ્યા હતા, જેમાંથી એક ખાડામાં પાણીની પાઇપલાઇન ક ાપતાં જ પાલિકાના કર્મીઓ ચોંકી ઊઠ્યા હતા, કારણ ક ે આ ખાડામાંથી હાથ અને માથાના ભાગનો મૃતદેહ મળ્ય ો હતો.
પાટણ ના અનુસૂચિત જાતિ સમાજ,મુસ્લિમ સમાજ ,તેમજ તમામ સમાજ દ્વારા કેન્ડલ માર્ચ થકી મૃતક દીકરી ને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી
આજે પાટણ મા સાચી સમાનતા દેખવા મળી.
*પાટણ ના અનુસૂચિત જાતિ સમાજ,મુસ્લિમ સમાજ ,તેમજ તમામ સમાજ દ્વારા કેન્ડલ માર્ચ થકી મૃતક દીકરી ને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી*આજે પાટણ મા સાચી સમાનતા દેખવા મળી.વિસનગર ના વાલમ ગામની દીકરી ને સાચો ન્યાય મળે તેમજ સાચા આરોપીઓ ને કડક મા કડક સજા થાય તે હેતુ થી આજ રોજ પાટણ મા તમામ સમાજ નાં લોકો કેન્ડલ માર્ચ માં જોડાયા હતા જેમા સમસ્ત સમાજ નાં લોકો જોડાયા હતા તેમજ બહેનો અને નાના ભુલકાઓ પણ જોડાયા હતા. ત્યાર બાદ પાટણ ના વકીલ ડૉ. મનોજ પરમાર દ્વારા સરકાર તેમજ પ્રશાસન ને વિનંતી કરવામાં આવી કે દીકરીઓ ની સાથે બનતા બનાવો અટકે તે માટે સરકારે તેમજ પ્રશાસને તકેદારી રાખવી ખૂબજ જરૂરી છે. દિકરી કોઈ પણ ધર્મ કે કોઈ પણ સમાજ ની હોય પરતું દિકરી એ તો દિકરી જ કહેવાય. ત્યાર બાદ ડૉ.મનોજ પરમારે જણાવ્યું કે જે પણ આરોપી પકડાયો છે તેના થકી બીજા પણ આરોપીઓ સંડોવાયેલા હોય તો તે પણ પોલીસ દ્વારા જડપી પકડી પાડવામાં આવે અને આવા આરોપીઓ ને ફાંસી ની સજા આપવામાં આવે જેથી બીજી વાર કોઈ પણ દિકરી સાથે આવી ગંભીર ઘટના ના બને. આ કેન્ડલ માર્ચ મા અનુસૂચિત જાતિ સમાજ,મુસ્લિમ સમાજ, ઓબીસી સમાજ, પાટીદાર સમાજ તેમજ બહેનો અને નાના ભૂલકાઓ એ પણ મીણબત્તી પ્રગટાવી ને વાલમ ની દીકરી ને શ્રદ્ધાંજલિ આપી હતી. કેન્ડલ માર્ચ માં પાટણ ના સેવાભાવી સંસ્થાઓ ના વડા ધીરજભાઈ, પ્રવીણભાઈ રાઠોડ, મૌલવી ઈમરાન શેખ, મારૂફ કાસમઅલી સૈયદ, કાસમઅલી એસ. સૈયદ, હાજી ઈબ્રાહિમ એચ. કુરેશી રેવાકાકા, વિરેન્દ્રભાઈ, રાજેન્દ્રભાઈ, ડૉ. કોકિલાબેન પરમાર, વિજયભાઈ, દીપેશભાઈ રાવળ,નરેન્દ્રભાઈ પરમાર, તેમજ તમામ સમાજ ની બહેનો, ભાઈઓ, ભુલકાઓ એ બહુજ મોટીસંખ્યામાં હાજર રહી ને શ્રદ્ધાંજલિ આપી હતી
આજ તા-૩૦-૦૪-૨૦૨૩ ને રવિવાર ના રોજ ત્રિશરણ ચેરિટેબલ ટ્રસ્ટ, પાટણ અને જયભીમ ફાઉન્ડેશન, પાટણ ના સંયુક્ત ઉપક્રમે ગુજરાત માં આંગણવાડી ની સ્થાપના પછી પ્રથમવાર જ પાટણ શહેરની તમામ ૮૮ (અઠ્યાસી ) આંગણવાડી ની કુલ ૧૭૬ કાર્યકર અને તેડાગર બહેનોને તેઓના અગત્યની બાળ વિકાસ અને બાળ સંસ્કાર ના ઉમદાકાર્ય ની ફરજને સામાજીક ઉત્તરદાયિત્વ
નિભાવવાના શુભ આશય થી આ સ્ત્રી સશક્તિકરણના સરકારશ્રી ના કાર્ય ને ઉજાગર કરવામાં અમારી બન્ને સંસ્થાઓએ ઉત્તમ કાર્ય કરી સામાજીક કાર્યક્રમોનો નવો ચીલો ચાતર્યો છે. આ કાર્યક્રમ નું સંચાલન ડો.મનોજભાઈ પરમારે કર્યું હતું. સહયોગ ધીરજભાઈ સોલંકીએ કર્યો. આભારવિધિ પ્રવિણભાઈ કે. રાઠોડ કરી હતી. આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે ત્રિશરણ ચેરિટેબલ ટ્રસ્ટ પાટણ અને જયભીમ ફાઉન્ડેશન, પાટણ તમામ હોદ્દેદારો અને કાર્યકરોએ અતિઉત્તમ સહયોગ કર્યો હતો. આ કાર્યક્રમ મા મહેમાનો મા ડી.એમ.સોલંકી સાહેબ, ધારપુર સિવિલ ના એમ.એસ પારૂલબેન શર્મા, જય ભીમ ફાઉન્ડેશન ના પ્રમુખ અને પૂર્વ નગરપાલિકા ઉપપ્રમુખ શ્રીમતી ગીતાબહેન સોલંકી, પીનલબેન સોલંકી(કોર્પોરેટર), હિરલબેન પરમાર (કોર્પોરેટર), રમેશભાઈ પરમાર (સામજીક આગેવાન) , ઉર્મિલાબેન પટેલ, ગૌરીબેન સોલંકી, ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ના ફેકલ્ટી ઓફ લૉ ના ડીન ડૉ.અશોકભાઈ શ્રોફ તેમજ દાતાશ્રીઓ હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે વીરેન્દ્ર સાધુ, રાજેન્દ્ર પરમાર, ડૉ. ચિરાગ મકવાણા, કમલેશભાઈ સોલંકી, ધીરજભાઈ સોલંકી, પ્રવીણભાઈ રાઠોડ, મહેશભાઈ જાદવ, ગીતાબેન સોલંકી, ઈશ્વરભાઈ પરમાર, સાધનાબેન પરમાર, મહેશભાઈ ઝાલા, રમેશભાઇ વાણિયા, અજયભાઈ પરમાર, ભરતભાઈ વાણિયા, જગદીશભાઈ ગવાણીયા, પરેશાબેન, દક્ષાબેન સોલંકી તેમજ નામી અનામી મિત્રો નો સિંહ ફાળો રહ્યો છે.