0
0
Read Time:46 Second
ભાવનગરના હાઈવે પર અજાણ્યા વાહન ચાલકે 7 પદયાત્રીઓને અડફેટે લીધા, 3ના મોત થયા ભાવનગર-અમદાવાદ હાઈવે પર સનેસ ગામ નજીક અજાણ્યા વાહન ચાલકે સંઘને અડેફેટે લેતા 3 યાત્રાળુઓના મોત થયા છે. 40 યાત્રાળુઓનો સંઘ ખેડા જિલ્લાના વરસોલા ગામથી ભાવનગરના રાજપરા ખોડિયાર મંદિર આવી રહ્યો હતો એ દરમિયાન આ ઘટના બની છે. ઈજાગ્રસ્ત 4 યાત્રાળુઓને એમ્બ્યુલન્સ દ્વારા ભાવનગર સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે. અજાણ્યો વાહન ચાલક સ્થળ પરથી ફરાર થયો છે.
Average Rating