0
0
Read Time:48 Second
PM નરેન્દ્ર મોદીના ગામ વડનગરમાં 2,800 વર્ષ જૂની વસાહતના અવશેષો મળ્યા
IIT ખડગપુર અને પુરાતત્વ વિભાગના સંયુક્ત અભ્યાસમાં પીએમ મોદીના ગામ વડનગરમાં 2,800 વર્ષ પૂર્વના માનવ વસાહતના પુરાવા મળ્યા છે. ભૂસ્તરશાસ્ત્ર અને ભૂ-ભૌતિકશાસ્ત્રના પ્રોફેસર ડો. અનિન્દ સરકારે કહ્યું, “વડનગર 800 ઇસા પૂર્વથી સતત વસવાટ સાથે ભારતનું સૌથી જૂનું જીવિત કિલ્લેબંધ શહેર છે.” વધુમાં કહ્યું, અભ્યાસ સૂચવે છે કે લાંબા વર્ષો દરમિયાન મધ્ય એશિયાના યૌદ્ધાઓએ ભારત પર વારંવાર આક્રમણ કર્યું હતું.”