Categories
Ahemdabad crime news

નરોડા :: રૂપિયા ૧૫,૦૦૦/- લુંટ નો બનાવ

0 0
Read Time:56 Second

નરોડાઃ કલ્પેશભાઈ ભુપેન્દ્રભાઈ જાની (ઉ.વ.૪૬) (રહે. અશ્વમેઘ સોસાયટી ગાયત્રી વિદ્યાલયની બાજુમાં નરોડા) એ નરોડા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૦૯/૦૮/૨૦૨૩ સાંજના ૫/૧૫ વાગ્યાના સુમારે નરોડા ખારીકટ-૧ કેનાલની પાસે મધુવન સોસાયટી સામે બહુચર ટ્રેડર્સ કે.સી.૧ નજીક અમુલ પાર્લર ખાતે એક મોટર સાયકલ ઉપર આવેલ બે પુરૂષોએ કલ્પેશભાઈ જાનીના પુત્ર સાથે બોલાચાલી કરી હાથની આંગળી ઉપર છરો મારી ઈજા કરી પાર્લરના ડ્રોવરમાંથી આશરે રોકડ રૂપિયા ૧૫,૦૦૦/- લુંટ કરી નાસી ગયા હતા. આ ગુનાની તપાસ પો.સ.ઇ. એસ.ટી.દેસાઇ ચલાવે છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad

અમદાવાદ ના કૃષ્ણનગર માં આત્મહત્યા નો બનાવ

1 0
Read Time:32 Second

કૃષ્ણનગર: નીલ રાજેશકુમાર પટેલ (રહે. વાસુદેવ પા ર્ક સુરભી બંગ્લોઝની અંદર કર્ણાવતી સોસાયટી સામેં નવા નરોડા) એ અગમ્ય કારણસર તા.૧૮/૦૫/૨૦૨૩ રાતના 10:10 વાગે આત્મહત્યા કરી હતી. આ અંગે કૃષ્ણનગર પોલીસે અકસ્માત મોત નોધી આ અંગે ની તપાસ હે.કો.શ્રી વિજયકુમાર મારૂતીરાવ ચલાવે છે

રિપોર્ટર ભરત ઠાકોર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad Crime

આત્મહત્યા અમદાવાદ વિસ્તાર અલગ અલગ વિસ્તાર ના બનાવ

0 0
Read Time:2 Minute, 24 Second

આત્મહત્યા

સોલા હાઇકોર્ટ: પિન્ટુભાઈ નવીનભાઈ દરજી (ઉ.વ.૩૫)(રહે.સેક્ટર-૦૬, ચાણક્યપુરી) એ અગમ્ય કારણસર તા.૨૯/૦૪/૨૦૨૩ સવારના ૯/૪૫ વાગ્યા પહેલા પોતાના ઘરે પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. આ અંગે સોલા હાઇકોર્ટ પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ હે.કો.શ્રી વિનુભા જેઠુભા ચલાવે છે.

રીવરફ્રન્ટ વેસ્ટઃ ભરતભાઇ રણછોડભાઇ રાઠોડ (ઉ.વ.૪૩)(રહે.વસંત રજબ ક્વાર્ટર, જગદિશ પાર્ક સામે બહેરામપુરા દાણીલીમડા) એ અગમ્ય કારણસર તા.૨૯/૦૪/૨૦૧૩ સવારના ૧૧/૧૫ વાગ્યા પહેલા રિવરફ્રન્ટ પશ્ચીમ તરફના ભાગે એન.આઇ.ડી. પાછળ સી.ડી.નંબર-૪૮૪૮ પાસે વોક- વે નજીક નદીમાં ડુબી જઇ આત્મહત્યા કરી હતી. આ અંગે રીવરફ્રન્ટ વેસ્ટ પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ હે.કો.શ્રી પરેશભાઇ કાનજીભાઇ ચલાવે છે.

રીવરફ્રન્ટ ઇસ્ટઃ (૧) નરોતમ બબાભાઇ સોલંકી (ઉ.વ.૩૪) રહે.શ્રીનાથ એપાર્ટમેન્ટ વ્યાસવાડીની પાછળ નવા વાડજ) એ અગમ્ય કારણસર તા.૨૯/૦૪/૨૦૨૩ સવારના ૮ ૧૦ વાગ્યા સુભાષબ્રીજ રીવરફ્રન્ટ ગાર્ડનની પાછળ ઘાટ નંબર-૪ નજીક નદીમાં ડુબી જઇ આત્મહત્યા કરી હતી. આ અંગે રીવરફ્રન્ટ ઇસ્ટ પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ હે.કો.શ્રી મહેન્દ્રસિંહ હેમતસિંહ ચલાવે છે.

રીવરફ્રન્ટ ઇસ્ટઃ (ર) મોહમદઆરીફ મોહમદહનીફ શેખ(ઉ.વ.૩૫)(રહે.અલબસરપાર્ક સદાની ધાબી વટવા) એ અગમ્ય કારણસર તા.૨૯/૦૪/૨૦૨૩ બપોરના ૧૨/૫૦ વાગ્યા માસ્તર કોલોની પાછળ ઘાટ નંબર-૭ નજીક નદીમાં ડુબી જઇ આત્મહત્યા કરી હતી. આ અંગે રીવરફ્રન્ટ ઇસ્ટ પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ હે.કો.શ્રી મહેન્દ્રસિંહ હેમતસિંહ ચલાવે છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %