Categories
Gujarat

ઓલપાડ તાલુકાની પ્રાથમિક શાળાઓમાં દ્વિદિવસીય કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ સંપન્ન

0 0
Read Time:3 Minute, 37 Second

ઓલપાડ તાલુકાની પ્રાથમિક શાળાઓમાં દ્વિદિવસીય કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ સંપન્ન

           રાજ્યનાં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલનાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આજથી ૨૦ વર્ષ પહેલાં આરંભાયેલ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ સુરત જિલ્લાનાં ઓલપાડ તાલુકામાં સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. તા. ૧૨ અને ૧૩ જૂન દરમિયાન યોજાયેલ આ કાર્યક્રમ અંતર્ગત તાલુકાની ૧૧૧ પ્રાથમિક શાળાઓને ૧૨ રૂટમાં વહેંચી દેવામાં આવી હતી. સરકારશ્રી દ્વારા નિયુક્ત અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ અને તેમની સમગ્ર ટીમે નિયત શાળાઓમાં ઉપસ્થિત રહીને ધોરણ-૧, બાલવાટિકા તથા આંગણવાડીમાં પ્રવેશપાત્ર બાળકોને વિધિવત પ્રવેશ કરાવ્યો હતો. 
           તાલુકાની વિવિધ પ્રાથમિક શાળાઓમાં ગુજરાત સ્ટેટ મેડીકલ સર્વિસીસ કોર્પોરેશન લીમીટેડ, ગાંધીનગરનાં મેનેજીંગ ડીરેક્ટર પી.ડી.પલસાણા (આઈ.એ.એસ.), ડીપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર, ફાર્મસ વેલ્ફેર એન્ડ કોર્પોરેશન, ગાંધીનગરનાં કે.આર.ભટ્ટ (ડી.એસ.), પ્રાંત અધિકારી સી.કે. ઉંધાડ, તાલુકા પંચાયત પ્રમુખ અમિતભાઈ પટેલ સહિત તાલુકા કક્ષા તથા જિલ્લા કક્ષાનાં અધિકારી પદાધિકારીઓએ આ પ્રસંગે પ્રવેશ પામેલ બાળકોને આશીર્વચન પાઠવ્યા હતાં. કાર્યક્રમમાં અધિકારી તથા પદાધિકારીઓનાં હસ્તે શ્રેષ્ઠ વિધાર્થીઓનું સન્માન, પાઠ્યપુસ્તક વિતરણ, દાતાઓનું સન્માન તથા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. પ્રવેશ પામેલ દરેક બાળકને દાતાઓ તરફથી દફતર તેમજ શૈક્ષણિક કીટ ઉપરાંત યુનિફોર્મ વિગેરે કરવામાં આવ્યા હતાં.





           આ દ્રિદિવસીય કાર્યક્રમ દરમ્યાન તાલુકાની ૧૧૧ પ્રાથમિક શાળાઓમાં ધોરણ-૧ માં ૯૪ કુમાર અને ૮૫ કન્યાઓ મળી કુલ ૧૭૯ બાળકો તથા બાલવાટિકામાં ૪૯૪ કુમાર અને ૪૪૫ કન્યાઓ મળી કુલ ૯૩૯ બાળકોને શાળામાં વિધિવત પ્રવેશ આપવામાં આવ્યો હતો. જયારે 
આંગણવાડીમાં ૧૫૦  કુમાર અને ૧૪૪ કન્યાઓ મળી કુલ ૨૯૪ બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. કુલ રૂા.૯,૮૩,૪૭૧ જેટલી માતબર રકમ વસ્તુ સ્વરૂપે દાતાઓ તરફથી મળવા પામી હતી. જયારે કુલ રૂા. ૮૨,૦૨૩ જેટલી રોકડ રકમ પણ શાળાઓને પ્રાપ્ત થઈ હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશભાઈ પટેલ અને બી.આર.સી. સ્ટાફગણ, તમામ શાળાઓનાં શિક્ષકો, દરેક ગામનાં સરપંચો, એસ.એમ.સી. સભ્યો તથા ગ્રામજનોએ ભારે જહેમત ઉઠાવી હતી. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી  યાદીમાં જણાવે છે.
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Patan

પાટણ ખાતે સિદ્ધરાજ ફાઉન્ડેશન દ્વારા જરૂરિયાત મંદ બાળકો ને ચોપડા વિતરણ કાર્યક્રમ યોજાયો

1 0
Read Time:1 Minute, 42 Second

સિદ્ધરાજ ફાઉન્ડેશન દ્વારા જરૂરિયાત મંદ બાળકો ને ચોપડા વિતરણ કાર્યક્રમ યોજાયો

તારીખ ૪/૬/૨૦૨૩ ને રવિવારે કડવા પાટીદાર ની વાડી મા

જરૂરિયાત મંદ બાળકો ને દાતા શ્રીઓ ના સહયોગ થી સિદ્ધરાજ ફાઉન્ડેશન દ્વારા ચોપડા વિતરણ કાર્યક્રમ કરવામાં આવેલ જેમા દાતાશ્રી કનુભાઈ પટેલ , યોગેશભાઈ પટેલ ( ભવાની ઇલોક્ટ્રોનિક્સ) તથા ડી.પી. ઠકકર સાહેબ ના સહયોગ થી કાર્યક્ર્મ કરવામાં આવેલ જેમા મુખ્ય મહેમાન મહેન્દ્રભાઈ પટેલ ( પૂર્વ નગર પાલિકા પ્રમુખ), ધર્મેશભાઈ પ્રજાપતિ ( નગર પાલિકા ઉપપ્રમુખ) , ચિરાગભાઈ રાજગોર,

પાટણ ના સામાજીક કાર્યકર વકીલ શ્રી ડૉ.મનોજ પરમાર , કોમ્પ્યુટર ગુરૂ કમલેશભાઈ સોલંકી, ભીખાભાઈ આચાર્ય, નગરપાલિકા કોર્પોરેટર બિપીનભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ સિદ્ધરાજ ફાઉન્ડેશન ના હોદ્દેદારો જેવા કે પ્રમુખ રવી પ્રજાપતિ, ઉપપ્રમુખ મનોજસિંહ રાઠોડ, મંત્રી કિશોરભાઇ પ્રજાપતિ, સંસ્થાપક મેહુલભાઈ તથા દેસાઈ જલ્પાબેન, સુનિલભાઈ ભીલ, કરણભાઈ ભીલ જેવા તમામ સાથી મિત્રો ના સહયોગ થી આ કાર્યક્રમ સફળ રહ્યો હતો.

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %