Categories
Ahemdabad crime news

અમદાવાદ શહેરના નવા નરોડા ખાતે આવેલ 108 ના કાર્યાલયની સામે ગઈકાલ રાત્રે અનુસૂચિત જાતિની વાલ્મિકી સમાજની દીકરીની તિક્ષણ હથિયાર મારી હત્યા

0 0
Read Time:2 Minute, 2 Second

અમદાવાદ શહેરના નવા નરોડા ખાતે આવેલ 108 ના કાર્યાલયની સામે ગઈકાલ રાત્રે અનુસૂચિત જાતિની વાલ્મિકી સમાજની દીકરીની તિક્ષણ હથિયાર મારી હત્યા કરવામાં આવેલ છે, હત્યા કોણે અને શા માટે કરી તે હજુ બહાર આવેલ નથી, પોલીસ શંકાના ડાયરામાં રહેલ સિક્યુરિટી ગાર્ડની પૂછપરછ કરી રહી છે

અનુસૂચિત જાતિ (વાલ્મિકી) સમાજની દીકરી સફાઈ કામ કરવા સ્વપ્નિલ કોમ્પલેક્ષ 108 રોડ નવા નરોડા અમદાવાદ ખાતે ઘણા સમયથી સફાઈ કામ કરીને પોતાના પરિવાર અને બાળકોનું તેમજ જેઠ જેઠાણી 100%અપંગ હોવાથી સમગ્ર ઘર પરિવારનું ભરણ પોષણ કરતા હતા.**જેની હત્યા કરવામાં આવેલ છે તે દીકરી આ કોમ્પલેક્ષમા નિયમિત સાફ સફાઇનું કામ કરતી હતી. અંત્યંત દુઃખદ ઘટનાની મળતી માહિતી મુજબ તારીખ.18/07/2023/ના રોજ કોઈ અજાણ્યા અસામાજિક અને લુખ્ખા તત્વો દ્વારા આ સફાઈ કામદાર તરીકે કામ કરતી દીકરીને ઢોર માર મારી હત્યા કરેલ છે.

દીકરીની હત્યાના સમાચાર મળતા સમગ્ર અનુસૂચિત જાતિ સમાજ તેમજ સમાજના આગેવાનો ઉપસ્થિત રહીને આ અનુસૂચિત જાતિ સમાજની સફાઇ કામદાર દીકરીને ન્યાય મળે તે માટે અને આ ગુનામાં સંડોવાયેલ નરાધમોને ફાસી તથા કડકમા કડક સજા મળે તેવી માગણી સાથે લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે.**હાલ દીકરીની ડેડ બોડી સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે પોસ્ટ મોર્ટમ માટે પોલીસ દ્વારા મોકલી આપવામાં આવેલ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Patan

પાટણ ના અનુસૂચિત જાતિ સમાજ,મુસ્લિમ સમાજ ,તેમજ તમામ સમાજ દ્વારા કેન્ડલ માર્ચ થકી મૃતક દીકરી ને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી

1 0
Read Time:2 Minute, 51 Second

પાટણ ના અનુસૂચિત જાતિ સમાજ,મુસ્લિમ સમાજ ,તેમજ તમામ સમાજ દ્વારા કેન્ડલ માર્ચ થકી મૃતક દીકરી ને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી

આજે પાટણ મા સાચી સમાનતા દેખવા મળી.

*પાટણ ના અનુસૂચિત જાતિ સમાજ,મુસ્લિમ સમાજ ,તેમજ તમામ સમાજ દ્વારા કેન્ડલ માર્ચ થકી મૃતક દીકરી ને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી*આજે પાટણ મા સાચી સમાનતા દેખવા મળી.વિસનગર ના વાલમ ગામની દીકરી ને સાચો ન્યાય મળે તેમજ સાચા આરોપીઓ ને કડક મા કડક સજા થાય તે હેતુ થી આજ રોજ પાટણ મા તમામ સમાજ નાં લોકો કેન્ડલ માર્ચ માં જોડાયા હતા જેમા સમસ્ત સમાજ નાં લોકો જોડાયા હતા તેમજ બહેનો અને નાના ભુલકાઓ પણ જોડાયા હતા. ત્યાર બાદ પાટણ ના વકીલ ડૉ. મનોજ પરમાર દ્વારા સરકાર તેમજ પ્રશાસન ને વિનંતી કરવામાં આવી કે દીકરીઓ ની સાથે બનતા બનાવો અટકે તે માટે સરકારે તેમજ પ્રશાસને તકેદારી રાખવી ખૂબજ જરૂરી છે. દિકરી કોઈ પણ ધર્મ કે કોઈ પણ સમાજ ની હોય પરતું દિકરી એ તો દિકરી જ કહેવાય. ત્યાર બાદ ડૉ.મનોજ પરમારે જણાવ્યું કે જે પણ આરોપી પકડાયો છે તેના થકી બીજા પણ આરોપીઓ સંડોવાયેલા હોય તો તે પણ પોલીસ દ્વારા જડપી પકડી પાડવામાં આવે અને આવા આરોપીઓ ને ફાંસી ની સજા આપવામાં આવે જેથી બીજી વાર કોઈ પણ દિકરી સાથે આવી ગંભીર ઘટના ના બને. આ કેન્ડલ માર્ચ મા અનુસૂચિત જાતિ સમાજ,મુસ્લિમ સમાજ, ઓબીસી સમાજ, પાટીદાર સમાજ તેમજ બહેનો અને નાના ભૂલકાઓ એ પણ મીણબત્તી પ્રગટાવી ને વાલમ ની દીકરી ને શ્રદ્ધાંજલિ આપી હતી. કેન્ડલ માર્ચ માં પાટણ ના સેવાભાવી સંસ્થાઓ ના વડા ધીરજભાઈ, પ્રવીણભાઈ રાઠોડ, મૌલવી ઈમરાન શેખ, મારૂફ કાસમઅલી સૈયદ, કાસમઅલી એસ. સૈયદ, હાજી ઈબ્રાહિમ એચ. કુરેશી રેવાકાકા, વિરેન્દ્રભાઈ, રાજેન્દ્રભાઈ, ડૉ. કોકિલાબેન પરમાર, વિજયભાઈ, દીપેશભાઈ રાવળ,નરેન્દ્રભાઈ પરમાર, તેમજ તમામ સમાજ ની બહેનો, ભાઈઓ, ભુલકાઓ એ બહુજ મોટીસંખ્યામાં હાજર રહી ને શ્રદ્ધાંજલિ આપી હતી

.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %