Categories
Patan

પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના કાકોશી ગામે ક્રિકેટ ના બોલ મામલે એક યુવાન પર જીવલેણ હુમલો

0 0
Read Time:2 Minute, 0 Second

પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના કાકોશી ગામે રવિવારે વણકર પરિવાર ક્રિકેટ મેચ જોવા ગયો હતો. એ વખતે મેચ રમવા આવેલા અન્ય એક સમાજના યુવાને ટેનિસ બોલ આપવા જેવી બાબતે 8 વર્ષના બાળકને લાફા મારી જમીનમાં દાટી દેવાની ધમકી આપી હતી. એ બાબતે સમાધાન થયા બાદ પાછળથી સાત શખસ કાર લઈ આવી તલવાર જેવા જીવલેણ હથિયાર વડે બાળકના પિતા ઉપર હુમલો કરતાં તેનો અંગૂઠો કપાઈ ગયો હતો. આ બાબતે વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી મેદાને આવ્યા છે,

જેમણે આજે રાજ્યના પોલીસવડા વિકાસ સહાયને રૂબરૂ મળીને આરોપીઓ સામે જ્યુવેનાઇલ એક્ટ, પોસ્કો, 120 -b, IPC -34 અને 307ની કલમો દાખલ કરવા રજૂઆત કરી છે અને જો આમ નહીં થાય તો આવતીકાલે પાટણ બંધનું એલાન કરી ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

ત્યાર બાદ સ્થાનિકોએ ઈજાગ્રસ્તને કાકોશીથી એમ્બ્યુલન્સમાં સીધા પાલનપુર ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાંથી અંગૂઠાની પ્લાસ્ટિક સર્જરી માટે અમદાવાદ ખસેડાયા હતા. આ અંગે ઇજાગ્રસ્તના ભાઈ ધીરજકુમાર પાનાભાઈ વણકરે કાકોશી પોલીસ મથકે સાત શખસ સામે ફરિયાદ નોંધાવી હતી, જેમાં પોલીસે 4 આરોપીની ધરપકડ કરી લીધી છે. આ ઘટનાની જાણ થતાં વડગામના કોંગી ધારાસભ્ય અને દલિત આગેવાન જિજ્ઞેશ મેવાણીએ સોમવારે ઇજાગ્રસ્તની મુલાકાત લીધી હતી અને આરોપીઓ સામે કડક કાર્યવાહીની માગ કરી હતી.

રિપોર્ટર ભરત ઠાકોર

Happy
Happy
0 %
Sad
Sad
100 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Uncategorized

Dantewada Naxalite Attack: છત્તીસગઢના દંતેવાડામાં નક્સલી હુમલો, 11 જવાનો શહીદ, IED કર્યો હતો

0 0
Read Time:1 Minute, 37 Second

Dantewada Naxalite Attack: છત્તીસગઢના દંતેવાડામાં નક્સલી હુમલો, 11 જવાનો શહીદ, IED કર્યો હતો પ્લાન્ટDantewada Naxalite Attack: છત્તીસગઢના દંતેવાડા જિલ્લામાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે પણ એન્કાઉન્ટર થયું છે. આ સાથે માઓવાદીઓએ જવાનોનું એક પીક-અપ વાહન પણ ઉડાવી દીધું હતું. કેટલાક જવાનો ઘાયલ થયાના સમાચાર સામે આવી રહ્યા છે.

રાયપુર: છત્તીસગઢના દંતેવાડામાં નક્સલવાદીઓએ કરેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા 11 જવાન શહીદ થયા છે. દંતેવાડા જિલ્લાના અરનપુર પાસે ડીઆરજી (ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ)ના જવાનોને લઈ જતા વાહન પર IED હુમલો થયો છે. નક્સલવાદીઓએ IED પ્લાન્ટ કર્યો હતો.રાજ્ય પોલીસ પાસેથી મળેલી સત્તાવાર માહિતી અનુસાર, ’26 એપ્રિલના રોજ દંતેવાડા જિલ્લાના અરનપુર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ માઓવાદી કેડરની હાજરીની માહિતી પર, DRG દળને નક્સલ વિરોધી અભિયાન માટે દંતેવાડાથી મોકલવામાં આવ્યું હતું, જે પરત ફર્યું હતું. ઓપરેશન બાદ આ દરમિયાન અરનપુર રોડ પર માઓવાદીઓ દ્વારા IED બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો, જેના કારણે ઓપરેશનમાં સામેલ 10 DRG જવાન અને 1 ડ્રાઈવર શહીદ થયા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %