Categories
Amadavad

ઓઢવ પલીસે વ્યાજખોર થી કંટાળેલા શિક્ષક ની ફરિયાદ ના લેતા આપઘાત કર્યો, ઓઢવ પોલીસ દ્વારા ગરીબ લોકોની ફરિયાદ કેમ લેવામા આવતી નથી???

0 0
Read Time:2 Minute, 6 Second

ઓઢવ મા 27 વર્ષ ના શિક્ષક એ આજે વહેલી સવારે ઘરના રસોડામાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. યુવકના મોટા ભાઈએ વ્યાજે પૈસા લીધા હતા. જેનું 14 લાખ રૂપિયા વ્યાજ ચૂકવ્યું હતું. છતાં વ્યાજખોરોએ ત્રાસ આપવાનું બંધ ન કર્યું અને કંટાળીને સુબ્રોતો પાલે આપઘાત કરી લીધો હતો. સુબ્રોતોના મોટા ભાઈએ પણ 6 દિવસ પહેલા આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આ મામલે પણ પોલીસે કોઈ કાર્યવાહી કરી નહી

વ્યાજખોર અને પોલીસના કારણે કંટાળેલા સુબ્રોત એ આપઘાત કરતા પહેલાં સુસાઇડ નોટ લખી હતી. જેમાં લખ્યું છે કે 3 અંગે પોલીસ અમારી ફરિયાદ લખતી નહોતી, આથી હું ચિતાગ્રસ્ત થઈ ગયો હતો.

અગાઉ આજ ઓઢવ પોલીસ સ્ટેશન વિસ્તાર માં એક ગરીબ માં ના દીકરા ની અજાણ્યા ચાર ઈસમો દ્વારા રાતના સમયે ઘર ની બહાર બોલાવી ને હત્યા કરવામાં આવી હતી પરંતુ આ ઓઢવ પોલીસ સ્ટેશન ના પીઆઇ દ્વારા આજ દિન સુધી કોઈ ફરિયાદ લેવામા આવી નથી

તારીખ 28/3/20230 ના રોજ રાત્રે સમય દરમિયાન હિતેશ ભાઈ શિવાભાઈ ગોહિલ ને કોઈ અજાણ્યા 4 ઈશામો દ્વારા હત્યા કરવામાં આવી હતી મૃતક ના પરિવાર દ્વારા પોલીસઅધિકારી ને અનેકો વાર રજૂઆત કરવા છતાં આજ દિન સુધી કોઈ ફરીયાદ નોંધવામાં આવી નથી. સૂત્રો ના જણાવ્યા અનુસાર પી આઈ દ્વારા આ કેસ ના 4 આરોપી ને પોલીસ પકડી ને પોલીસ મથકે લાવીને. છોડી દેવામા આવ્યા હતા ઓઢવ વિસ્તારમાં આમ જનતા ની માગ છે કે ઓઢવ પીઆઇ ની બદલી કરવામાં આવે

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad

૧૪૬ મી રથાયાત્રા અનુસંધાને કાલુપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં લેવામાં આવેલ મહિલા મહોલ્લા મિટીંગ

0 0
Read Time:1 Minute, 46 Second

આગામી ૧૪૬ મી રથાયાત્રા અનુસંધાને કાલુપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં લેવામાં આવેલ મહિલા મહોલ્લા મિટીંગ

અ’વાદ શહેરનાઓની સુચનાથી આગામી ૧૪૬મી શ્રી ભગવાન જગન્નાથજીના રથયાત્રાના તહેવાર અનુસંધાને અત્રેના કાલુપુર પો.સ્ટે. વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે સારૂ આજરોજ તા.૦૩/૦૬/૨૦૨૩ ના કલાક- ૧૮/૩૦ થી ૧૯/૩૦ વાગ્યા સુધી નાયબ પોલીસ કમિ.શ્રી નિતા દેસાઇ, ટ્રાફીક પશ્ચિમ, અ’વાદ શહેર તથા મદદનીશ પોલીસ કમિ.શ્રી હિમાલા જોષી, મહિલા ક્રાઇમ, અ’વાદ શહેરનાઓની આગેવાનીમાં કાલુપુર, નવી મહોલ્લાત ખાતે મહિલા મહોલ્લા મિટીંગનુ આયોજન કરવામાં આવેલ

જે મિટીંગમાં મહિલા આગેવાનો તેમજ મોટી સંખ્યામાં પોળની મહિલાઓ હાજર રહેલ હતી જે મિટીંગમાં આગામી તા.૨૦/૦૬/૨૦૨૩ ના રોજ યોજાનાર રથયાત્રાનો તહેવાર શાંતિપુર્ણ રીતે અને કોમી એખલાસ ભર્યા વાતાવરણમાં નિર્વિઘ્ન રીતે પસાર થાય તેમજ દરેક ધર્મના તહેવારો શાંતીપુર્ણ રીતે ઉજવાઇ તથા મહિલા સશક્તિકરણ તેમજ બેટી બચાવો, બેટી પઢાવો અંગે જરૂરી માર્ગદર્શન સુચનો આપવામાં આવેલ તેમજ હાજર મહિલાઓ તરફથી પુરો સાથ સહકાર આપવા સંમતિ આપવામાં આવેલ છે. જે મિટીંગ શાંતિ રીતે પુર્ણ થયેલ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %