સાહસ અને માતૃભુમી માટે વિવિધ મોરચે લડનાર યોદ્ધા મેવાડ રત્ન મહારાણા પ્રતાપની પુર્ણ કદની પ્રતિમાનું અનાવરણ ગાંધીધામ આદિપુરના મધ્યે રોટરી સર્કલ પાસે ભારે હર્ષોલ્લાસ સાથે કરાયું હતુ કંડલા કોમ્પલેક્ષ રાજપુત ક્ષત્રિય સમાજ દ્વાર 40 લાખના ખર્ચે નિર્મિત આ પ્રતિમા અને સ્મ ારકના લોકાપર્ણ સમારોહમાં વિધાનસભા અધ્યક્ષ, રા પરના ધારાસભ્ય અને ક્ષત્રિય આગેવાનો તેમજ સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહીને એક સુરમાં મહારાણા પ્રતાપનો જયકારો બોલાવ્યો હતો.
શહેર મધ્યે રોટરી સર્કલ પાસે આ ભવ્ય પુર્ણ કદની પ્રતિમાને સ્થાપિત કરાતા યુવાઓ અને નગરજનોમાં અ નેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત પુર્વ વિધાનસભા અધ્યક્ષ અને ધારાસભ્ય ડો. નિમાબેન આચાર્યએ આ વિચારને આવકારીને પ્રસંશા ક રી હતી. સંચાલક અને પાલિકાના સાશક પક્ષના નેતા હ જાડેજાએ ક્ષત્રિય કદી કોમવાદી નથી હોતો પણ સિદ્ધાતવાદી અને રાષ્ટ્રવાદી જરૂર હોય છે તેમ જણાવવી મહારાણા પ્રતાપની વીરગાથાની ઝલક કવિતા સ્વરરૂપે આપી હતી.આ ક્ષણે કંડલા કોમ્પલેક્ષ રાજપુત્ર ક્ષત્રિય સ માજના પ્રમુખ નરેંદ્રસિંહ રાણા, શૈલેંદ્રસિંહ જાડેજા, રાપરના ધારાસભ્ય અને ક્ષત્રિય આગેવાન વીરેન્દ્ર સિંહ , અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, પાલિકા પ્રમુખ ઈશિતાબેન ટીલવાણી, મામ લતદાર ભગીરથસિંહ્ ઝાલા, જયદીપસિંહ જાડેજા, ચેમ્બ ર પ્રમુખ તેજાભાઈ કાનગડ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજસ્થાન ક્ષત્રિય સમાજ, શિખ સમાજ સહિતનાએ સન્માન કર્યું હતું. ગાંધીધામ નગરપાલિકાએ આ જમીન ફાળવીને તેના પર સમાજ
દ્વારા આ સ્મારક અને પ્રતિમાના ભવ્ય નિર્માણ માટૅ શુભકામનાઓની વર્ષા થઈ હતી. આ પ્રસંગે આ સ્મારક અને પ્રતિમા નિર્માણ માટે કોઇ સ્વાર્થ વીના સેવા આપનાર આર્કિટેક પુરુષોતમ લાલવાણી સહિતનાનું સન્માન કરાયું હતું.
રિપોર્ટર ભરત ઠાકોર