ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાંચ – 2 નાં એ.એસ.આઈ ઘનશ્યામસિંહ વાઘેલા તથા કીરીટસિંહ નાસતા ફરતા આરોપીની શોધખોળ અર્થે કલોલ વિસ્તારમાં ગાડીમાં ફરી રહયા હતા . એ વખતે શેરીસા નર્મદા કેનાલ તરફ એક મહિલા દોડતી દોડતી જઈ રહી હતી. ત્યારે મહિલાને કેનાલ તરફ દોડતી જોઈને એ.એસ.આઈ ઘનશ્યામસિંહને મહિલાનાં ઈરાદાનો અંદાજો આવી ગયો હતો. જેથી તેમણે તુરંત મહિલાની પાછળ દોટ લગાવી હતી. એટલામાં તો મહિલા કેનાલની સીડીઓ ઉતરીને અંદર કૂદી પડી હતી. ત્યારે પળવારનો વિચાર કર્યા વિના ઘનશ્યામ સિંહ અને કીરીટસિંહ ઝડપથી સીડીઓ ઉતરીને મહિલા ને કેનાલની કિનારેથી પકડી લીધી હતી અને રિક્ષા ચાલકની મદદથી કેનાલની બહાર લઈ આવવામાં આવી હતી. જેની પોલીસે પૂછતાંછ કરતાં મહિલા કલોલના મોટી ભોયણમાં રહેતી હોવાનું ખુલ્યું હતું. જેને તેના પતિ સાથે રોજબરોજ ઝગડા થતાં હોવાથી ત્રાસીને કેનાલમાં આપઘાત કરવા પડી હોવાની કબૂલાત કરી હતી. આમ પરિણીતાને આબાદ રીતે બચાવી લઈ સરાહનીય કામગીરી કરવામાં આવી છે. ગાંધિનગર જીલ્લા પોલિસ વડા દ્વારા આ બન્ને પોલિસ અધિકરિઓને અભિનદન પાઠ્વામાં આવેલ
ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાંચ – 2 નાં એ.એસ.આઈ ઘનશ્યામસિંહ વાઘેલા તથા કીરીટસિંહ નાસતા ફરતા આરોપીની શોધખોળ અર્થે કલોલ વિસ્તારમાં ગાડીમાં ફરી રહયા હતા . એ વખતે શેરીસા નર્મદા કેનાલ તરફ એક મહિલા દોડતી દોડતી જઈ રહી હતી. ત્યારે મહિલાને કેનાલ તરફ દોડતી જોઈને એ.એસ.આઈ ઘનશ્યામસિંહને મહિલાનાં ઈરાદાનો અંદાજો આવી ગયો હતો. જેથી તેમણે તુરંત મહિલાની પાછળ દોટ લગાવી હતી. એટલામાં તો મહિલા કેનાલની સીડીઓ ઉતરીને અંદર કૂદી પડી હતી. ત્યારે પળવારનો વિચાર કર્યા વિના ઘનશ્યામ સિંહ અને કીરીટસિંહ ઝડપથી સીડીઓ ઉતરીને મહિલા ને કેનાલની કિનારેથી પકડી લીધી હતી અને રિક્ષા ચાલકની મદદથી કેનાલની બહાર લઈ આવવામાં આવી હતી. જેની પોલીસે પૂછતાંછ કરતાં મહિલા કલોલના મોટી ભોયણમાં રહેતી હોવાનું ખુલ્યું હતું. જેને તેના પતિ સાથે રોજબરોજ ઝગડા થતાં હોવાથી ત્રાસીને કેનાલમાં આપઘાત કરવા પડી હોવાની કબૂલાત કરી હતી. આમ પરિણીતાને આબાદ રીતે બચાવી લઈ સરાહનીય કામગીરી કરવામાં આવી છે. ગાંધિનગર જીલ્લા પોલિસ વડા દ્વારા આ બન્ને પોલિસ અધિકરિઓને અભિનદન પાઠ્વામાં આવેલ