Categories
Amadavad

રૂ.૩૦,૩૭,૭૪૮/- ની મત્તાના મુદ્દામાલ અંગે સાબરકાંઠા જિલ્લાના ગાંભોઇ પોલીસ સ્ટેશન ખાતે વિશ્વાસઘાત હેઠળ નોંધાયેલ ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ.

1 0
Read Time:2 Minute, 31 Second

અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનરશ્રી તથા નાયબ પોલીસ કમિશનરશ્રી દ્વારા આ પવામાં આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઈમ બ્રાન્ચ ના પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી.કે.ગોહિલની ટીમના પો.સ.ઈ.શ્રી કે.એસ. સિસોીયા, અ.હેડ કોન્સ. મહેન્દ્ર વાસુદેવ, દિપનારાયણ રાજનારાયણ, અ.હેડ કોન્સ. અખિલેશકુમાર જગદીશ, અ.હેડ કોન્સ. ત્રીપાલસિંહ રઘુવિરસિંહ તથા અ.પો.કોન્સ. જીતેન્દ્રસિંહ ધીરસંગભાઇ દ્વારા ગુનાહિત વિશ્ વાસઘાતના ગુનામાં વોન્ટેડ આરોપી પુરણનાથ મદનના થ યોગી ઉ.વ.૨૦ રહે. મકાન નં.૧૧, ભગીરથ સોસાયટી, કઠવાડા જી.આઈ.ડી.સી., આ ઠ નંબર રોડ, કઠવાડા સિંગરવા ઓડ, કઠવાડા, અમદાવાદ શહ રને કઠવાડા સિંગરવા રોડ, ગજાનંદ સોસયટીની માં, જય અંબે ઓટો ગેરેજ પાસેથી ઝડપી લીધેલ છે.

આરોપી પુરણનાથ મંદનનાથ યોગી છેલ્લા એક વર્ષથી અ મદાવાદ, કઠવાડા સિંગરવા રોડ, ગજાનંદ સોસયટીની બા જુમાં આવેલ ફોર્ચ્યુન પાર્ક એસ્ટેટ સામે આવેલ દુ કાન નં.૧૯ માં ભંગારનો વેપાર ધંધો કરે છે. ગઇ તા.૧૨/૦૫/૨૦૧૩ ના રોજ આરોપી પ્રેમનાથ ગોકુલના થ યોગી એક આઇસર ગાડીમાં રૂ.૩૦,૩૭,૭૪૮/- ની મત્તાનો સામાન લઇ આરોપી પુરણનાથ મદનનાથ યોગીના કઠવાડા સિગરવા રોડ, જવેરી એસ્ટેટ, ધ સન ઇન્ડસ્ટ્રીઝના શેડ નં.૧૧ ખાતે આવેલ ગોડાઉનમાં ખાલી કરી મુકી દીધેલ હતો. ગઇ તા.૧૯/૦૫/૨૦૨૩ ના રોજ સાબરકાંઠા લોકલ એલ.સી.બી. દ્વારા રૂ.૨૯,૪૬,૬૮૯/- ની મત્તાના મુદ્દામાલ સાથે આરોપી પ્રેમનાથ ગોકુલનાથ યોગીને પકડી તેના વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરેલ હતી. તેમજ આ મુદ્દામાલ ઉપરોક્ત પકડાયેલ આરોપી પુરણનાથ મદનનાથ યોગીના ગોડાઉનમાંથી મળી આવેલ હો, પણ નામ આ કેસમાં

રિપોટર ભરત ઠાકોર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Uncategorized

નશામુક્તિ અંગે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરતી એસ.ઓ.જી ક્રાઇમ બ્રાંચ, અમદાવાદ શહેર.

0 0
Read Time:1 Minute, 53 Second

નશામુક્તિ અંગે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરતી એસ.ઓ.જી ક્રાઇમ બ્રાંચ, અમદાવાદ શહેર.

પોલીસ કમિશનરશ્રી, અમદાવાદ શહેર તથા સંયુક્ત પોલીસ કમિશનરશ્રી, ક્રાઇમ બ્રાંચ, તથા નાયબ પોલીસ કમિશનરશ્રી એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચ, નાઓએ અમદાવાદ શહેર વિસ્તારમાં નાર્કોટીક્સની બદીઓ દુર કરવા સારૂ જરૂરી સૂચનો કરેલ.

જે અન્વયે મદદનીશ પોલીસ કમિશનર શ્રી, એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચ નાઓના માર્ગદર્શન આધારે આજરોજ તા:૨૫/૦૪/૨૦૨૩ ના કલાક ૦૯/૦૦ થી ૧૧/૦૦ દરમ્યાન એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સપેકટર શ્રી યુ. એચ. વસાવા તથા રાણીપ પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના માણસો તથા એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચના પોલીસ સ્ટાફના માણસો સાથે રાણીપ પોલીસ સ્ટેશન સામે આવેલ રાણીપ અનુપમ (સ્માર્ટ) પ્રાથમિક શાળા ખાતે આચાર્ય શ્રી કે.કે.પટેલ તથા સ્કૂલ સ્ટાફના સહકારથી “ડ્રગ્સ છોડો પરિવાર બચાવો” નશામુક્તિના બેનર્સ સાથે નશામુક્તિ અને જન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જેમાં રાણીપ વિસ્તારના આશરે ૧૦૦ જેટલા બાળકો-રહિશો-મહિલાઓ હાજર રહેલ જેઓને એન.ડી.પી.એસ. તથા બાળ મજુરીની પ્રવૃત્તિઓમાં બાળકોનો ઉપયોગ ન થાય તે સારું તકેદારી રાખવા બાળકોના વાલીઓને ખાસ સુચનાઓ આપવામાં આવેલ તા.૨૫/૦૪/૨૦૨૩

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Uncategorized

બે દિવસ પહેલા રામોલ સી.ટી.એમ બ્રીજ નીચે એક મહીલાનુ ગળુ દબાવી મોત નીપજાવેલ હાલતમાં લાશ મળી આવેલ જે અંગે રામોલ પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ અનડીટેકટ મર્ડરના ગુન્હાનો ભેદ ઉકેલી આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ

0 0
Read Time:6 Minute, 14 Second

બે દિવસ પહેલા રામોલ સી.ટી.એમ બ્રીજ નીચે એક મહીલાનુ ગળુ દબાવી મોત નીપજાવેલ હાલતમાં લાશ મળી આવેલ જે અંગે રામોલ પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ અનડીટેકટ મર્ડરના ગુન્હાનો ભેદ ઉકેલી આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ.ગઇ તા.૦૮/૦૪/૨૦૨૩ ના રોજ રામોલ સીટીએમ થી એકસપ્રેસ હાઇવે તરફ જવાના બ્રીજ પાસે સહજાનંદ સોસાયટીના નાકે ભાગ્યલક્ષ્મી ટ્રાવેલ્સ નામની દુકાન સામે બ્રીજ નીચે તુલસીબેન વા/ઓ ચમનભાઇ મકવાણા ઉવ.૩૪ ની લાશ મળી આવેલ. આ બાબતે રામોલ પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મોત દાખલ કરવામાં આવેલ મરણજનાર બેનની લાશના પોસ્ટ મોર્ટમ દરમ્યાન મરણજનાર તુલસીબેનનું મોત ગળુ દબાવવાથી થયેલ હોવાનો અભિપ્રાય મળેલ.મરણજનાર તુલસીબેનના ભાઈ અખાભાઇ ધુળાભાઇ ભાટીએ તુલસીબેનનુ અજાણ્યા ઇસમે કોઇપણ કારણોસર ગળુ દબાવી ખૂન કરેલ હોવાની રામોલ પોલીસ સ્ટેશન ખાતે તા.૦૯/૦૪/૨૦૨૩ ના રોજ ફરીયાદ આપતા રામોલ પોલીસ સ્ટેશન ખાતે ગુ.ર.નં.૧૧૧૯૧૦૨૪૨૩૦૩૪૯/૨૦૨૩ ધી ઇપીકો કલમ ૩૦૨ મુજબનો ગુનો નોંધવામાં આવેલ.આ ગુનો વણશોધાયેલ હોય અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનરશ્રી પ્રેમ વીર સિંહ સાહેબ દ્વારા આ વણશોધાયેલ ખૂનના ભેદ ઉકેલવા સારૂ સુચના તથા માર્ગદર્શન આપેલ.જે અનુંસધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એન.જી.સોલંકીની ટીમના પો.સ.ઇ.શ્રી કે.કે.ચૌહાણ અનેપો.સ.ઈ.શ્રી વી.ડી.ખાંટ ટીમ સાથે ઉપરોકત ખુનના ગુન્હાનો ભેદ ઉકેલવા સારૂ માટે પ્રયત્નશીલ હતાં. દરમ્યાન એ.એસ.આઇ હિમંતસિંહ ભુરાભાઇ અને હે.કો. કૌશીક ગોવિંદભાઇને મળેલ ચોકકસ બાતમી હકીકત આધારે આરોપી શંકરભાઈ ઉર્ફે ભૂરીયો સન/ઓફ નાનજીભાઈ અવાભાઈ ખોખરીયાવાળા (દેવીપુજક) ઉ.વ.૫૫ રહે:ઘર નં ૧૧૫,ન્યુ ગાયત્રીનગર,વિભાગ-ર, ગોપીનાથ એસ્ટેટની બાજુમાં,પન્ના એસ્ટેટની સામે,સોનીની ચાલી ચાર રસ્તા ઓઢવ અમદાવાદ શહેર મુળગામ: ધારણોજ તા.જી.પાટણ ને સોનીની ચાલી બિરજુનગરના નાકેથી ઝડપી પાડેલ છે.પકડાયેલ આરોપીને તુલસી વા/ઓ ચમનભાઇ મકવાણા રહે.મુન્શીપુરા નવી વસાહત રામદેવ મંદિરની પાસે જશોદાનગર અમદાવાદ શહેરની સાથે પાંચેક વર્ષ અગાઉ આડાસબંધ હતા અને આ તુલસીને વિરસિંહ ભદોરીયા નામના વ્યક્તિ સાથે છેલ્લા બે વર્ષથી આડાસબંધો છે. ગઇ તા.૭/૦૪/૨૦૧૩ ના રાત્રીના આશરે સાડા નવેક વાગ્યાની આસપાસ પોતે વટવા જીઆઇડીસી તરફથી એકસપ્રેસ હાઇવે ગરનાળા વાળા રસ્તે થઇ એકસપ્રેસ હાઇવેની બાજુમાં ન્યુ મણીનગર જવાના રોડ પર આવેલ ત્રિકમપુરા તરફ જતી ખારીકટ કેનાલ પાસે પાનના ગલ્લા આગળ બાંકડા ઉપર તુલસી અને વિરસિંહ બંને જણા બેસેલ હતા, ત્યારે તુલસી તથા આરોપી શંકરની નજર એક થતા તુલસીએ બુમ પાડી તેને ઉભા રહેવા માટે જણાવતા તે પેડલ રીક્ષા સાઇડમાં રાખી ઉભો રહેલ. આ વખતે તુલસીએ જણાવેલ કે તે અને વિરસિંહ અહીં બેઠા છે તેવી વાત તેના ઘરે ના કરવા માટે જણાવેલ.જેથી પોતે તુલસીને કહેલ કે તુ વિરસિંહ સાથે બોલે કે ના બોલે મારે શુ લેવા દેવા. તેમ જણાવતા તુલસીએ જણાવેલકે જો મારા ઘરે કાલે ખબર પડશે તો તારી આવી બનશે.તેમ કહી તુલસીએ તેનો કોલર ખેંચી ઝપાઝપી કરતા તેણે તુલસીને ધકકો મારતા તે લોખંડની એંગલની પાછળ પડી ગયેલ.જયાંથી તે ઉભી થઇ પાછી તેની પાસે આવેલ અને તેને લાતો મારવા લાગેલ જેથી તેણે તુલસીનું ગળું પકડી પેડલ રીક્ષા પર પાડી દેતા તે છુટવા માટે પ્રયત્ન કરતા તેનુ ગળુ દબાવી મારી નાખેલ.તુલસીને પેડલ રીક્ષામાં મૂકી તેની ઓઢણીથી તેને ઢાંકી અને પેડલ રીક્ષા ચલાવી લઇ થોડે આગળ આવેલ બીજી કેનાલ પાસે રોડની સાઇડમાં પાણીની ટાંકી પાસે આવેલ જયાં પાણી લઇ તુલસીના ચહેરા પર છાંટેલ પરતું તે જીવિત જણાયેલ નહી. તે મરી ગયેલ હોવાની ખાત્રી થતા ત્યાંથી આગળ સીટીએમ થી એકસપ્રેસ હાઇવે તરફ જવાના બ્રીજ પાસે ટ્રાવેલ્સની ઓફીસની સામે બ્રીજની નીચે તેની લાશ પેડલ રીક્ષામાંથી ઉતારીને પેડલ રીક્ષા ચલાવી લઇ તેના ઘર તરફ જતો રહેલ.જેથી આરોપીએ જણાવેલ ઉપરોકત હકીકત બાબતે તપાસ કરતા રામોલ પોલીસ સ્ટેશન ખાતે ગુ.ર.નં.૧૧૧૯૧૦૨૪૨૩૦૩૪૯/૨૦૨૩ ધી ઇપીકો કલમ ૩૦૨ મુજબનો ગુનો નોંધવામાં આવેલ હોઇ આરોપીએ તુલીને મારી નાખી તેની લાશને સગેવગે કરવામાં તેની પેડલ રીક્ષાનો ઉપયોગ કરેલ તે પેડલ રીક્ષા સાથે આરોપીને રામોલ પોલીસ સ્ટેશન ખાતે સોંપવા તજવીજ કરેલ છે

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %