0
0
Read Time:54 Second
પરશોત્તમ રૂપાલાની વિવાદિત ટિપ્પણીને લઈ જામસાહેબે લોકશાહી રીતે જવાબ આપવા રાજપૂતોને અપીલ કરી
રાજકોટ બેઠકથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાની વિવાદિત ટિપ્પણીને લઈ જામસાહેબ શત્રુશલ્યસિંહજી દ્વારા રાજપૂતોને લોકશાહી રીતે ચૂંટણીમાં જવાબ આપવા અપીલ કરાઈ છે. જામસાહેબ શત્રુશલ્યસિંહજીએ એક પત્ર જાહેર કર્યો છે, જેમાં લખ્યું કે, “અયોગ્ય વાત બોલવાનો ગુનો કરનારને સજા થવી જોઈએ.” ક્ષત્રિય સમાજની સ્ત્રીઓએ કરેલા સંકલ્પને લઈ જામસાહેબ શત્રુશલ્યસિંહજીએ ઉમેર્યું કે, આ કિસ્સામાં ‘જૌહર’નો પ્રશ્ન ઉપસ્થિત થતો જ નથી.
Average Rating