0
0
Read Time:54 Second
કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલા સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધવા સામાજિક કાર્યકરે વંથલી પોલીસને અરજી કરી કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ દલિત સમાજ વિશે કરેલી ટિપ્પણીને લઈ તેમની સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધવા સામાજિક કાર્યકર અજય વાણવીએ વંથલી પોલીસમાં અરજી કરી છે. અરજી મુજબ, “રૂપાલાએ દલિત સમાજ કાર્યક્રમમાં ક્ષત્રિયો વિશે કરેલી ટિપ્પણીની માંફી માંગતા કહ્યું, એ કાર્યક્રમ કોઈ કામનો નહોતો, આમ જ ત્યાં પહોંચી ગયા હતા. આ ટિપ્પણીથી દલિતોનું અપમાન થયું છે.”
Average Rating