કેનાલ પાસે મળેલી અજાણી લાશના આરોપીને ગણતરી કલાકો પોલીસે ઝડપી પાડ્યો
મિત્રએ જ મિત્રની હત્યા કરી હતી
અમદાવાદ
દેત્રોજ કેનાલ પાસે એક અજાણી લાશ મળી હતી જે પોલીસે ગણતરી કલાકોમાં હત્યારેને પકડીને જેલના હવાલે કરી દીધો હતો. જે હત્યારો કોઈ બીજુ નહી પણ પોતાનો મિત્ર જ હતો. પોલીસે મિત્રની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસની કામગીરીમાં કોઈ બાધછોડ હોય જ નહી પોલીસે દેત્રોજ ગામની કેનાલ પરથી એક આજાણ્યા વ્યક્તિની લાશ મળી હતી. તે લાશ મળી હતી. અને લાશ ઉપર કેટલાક ઘાના નિશાન હતા. તેથી તેનું મર્ડર કરવામાં આવ્યુ હોય તેવુ લાગતુ હતુ. મરનાર વ્યક્તિનું નામ છે. વિજયસિંહ છનુભા સોલંકી ઉ. 25. દેત્રોજમાં રહે છે. તા 23.-03 રાત્રે મિત્રનો ફોન આવ્યો હતો. કે તેના બાઈકમાં પેટ્રોલ ખાલી થઈ ગયુ છે. તેથી ઘરે થઈ કહ્યુ હતુ કે દોસ્તને પેટ્રોલ આપવા જવું છું તેમ કહી ગયા હતા. પણ મોડી રાત્ર સુધી પાછા ના ફરતા પત્નીએ નજીકના પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.
પરતુ વિજયસિંહ સોલંકીનું બાઈક, પેટ્રોલ અને લોહીથી લથપથ ઈંડ મળી આવ્યુ હતુ. આ જોતા વિજયભાઈ જોડે કાઈક બન્યુ હોય તેવુ લાગતા. પોલીસે દેત્રોજ ગામની કેનાલ પાસે તપાસ કરતા ખબર પડી કે એક લાશ મળી આવી હતી. તે લાશ વિજયસિંહની હતી.અને માથાના ભાગમાં ગંભીર ઈજાના નિશાન મળી આવ્યા હતા.
પોલીસે આગળ તપાસ કરતા ખબર પડી કે વિજયસિંહને મારના બીજુ કોઈ નહી પણ તેનો મિત્ર જ હતો.તેને જ તેના મિત્રને દેત્રોજ ગામે ખાતે પેટ્રોલ લઈને બોલાવ્યો હતો. આરોપી સોલંકી શત્રુજ્ઞસિંહ ઉર્ફ લાભુસિંહ (2) સોલંકી ગુરુદીપસિંહ પ્રવીણસિંહ સોલંકી છે. જે તેમને શક હતો કે તેમની બહેનને હેરાન કરતો હતો. તે વાતનું મન પર લાગતા વિજયસિંહને પેટ્રોલ લઈને દેત્રોજ કેનાલે બોલાવ્યો હતો. અને ત્યા થોડી બોલાચાલી થઈ હતી. અને શત્રુસિંહ અને ગુરુદીપસિંહ ગુસ્સામાં આવીને વિજયસિંહને માર મારી રહ્યો હતો. અને દોરડા વડે વિજયસિંહનું ગળું દબાવી અને માથા ઉપર ઈડ મારી અને વિજયસિંહ જ્યારે મોત થયું ત્યારે તેની લાશને દેત્રોજ ગામે કેનાલમાં ફેકી દીધી હતી. અને ત્યાથી બંને આરોપી ફરાર થઈ ગયા હતા. પોલીસે ગણતરી કલાકોમાં બંનેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અહેવાલ રાહુલ દેસાઈ
Average Rating