0
0
Read Time:50 Second
બનાસકાંઠાના મુમનવાસ નજીક ટાયર ફાટ્યા બાદ જીપ પલટી મારતા 2 લોકોના મોત, 10 સારવાર હેઠળ બનાસકાંઠાના દાંતા પાલનપુર હાઇવે પર મુમનવાસ નજીક ટાયર ફાટ્યા બાદ જીપ પલટી મારતા સુલતાનપુરાના રહેવાસી ભેરાભાઈ અને બંસીભાઈનું મોત થયું છે, જ્યારે 10 લોકોને ઇજા થતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. તોરણીયા અને સુલતાનપુરાના લોકો જીપમાં બેસીને પાલનપુર તરફ જતા હતા ત્યારે અંધારીયા અને મુમનવાસ વચ્ચે જીપનું ટાયર ફાટ્યું છે. અકસ્માત અંગે જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે.
Average Rating