Categories
Patan

અનુસૂચિત જાતિ સમાજ ના આગેવાનો દ્વારા શીરા મગ ની પ્રસાદ સાથે માયાદેવ ની સાતમ ની ઉજવણી કરવામા આવી.

Views: 25
0 0

Read Time:2 Minute, 4 Second

અનુસૂચિત જાતિ સમાજ ના આગેવાનો દ્વારા શીરા મગ ની પ્રસાદ સાથે માયાદેવ ની સાતમ ની ઉજવણી કરવામા આવી.

આજ તા -19-12-2023 મંગળવાર ,માગસર સુદ – સાતમ… દર મહિનાની સુદ સાતમને માયાસાતમ તરીકે વિરમાયાં મંદિર, માયાટેકરી, પાટણ ખાતે ઉજવવાનું સ્થાનિક સૌ મિત્રોએ નક્કી કર્યું છે. અને આ દિવસે વિરમાયાં દેવ ને શિરો અને મગનો મહાપ્રસાદ ધરાવવો અને શિરો – મગને વિરમાયાં દેવની સત્તાવાર પ્રસાદી= નૈવેદ્ય જાહેર અમે સૌએ કરી છે. એ મુજબ શિરો -મગ ની મહાપ્રસાદ વિરમાયાંદેવને ધરાવીને સૌ એ પ્રસાદી લઈને ધન્યતા અનુભવી. શિરો -મગની પ્રસાદીના એક વર્ષ (બાર મહિનાની સાતમ ) સુધી ના દાતા ધીરજભાઈ સોલંકી(દુઃખવાડા ),અમરતલાલ વૈષ્ણવ(મોટી સરાય ), વકીલ શ્રી ડૉ.મનોજભાઈ પરમાર (મોટીસરાય ),કમલેશભાઈ સોલંકી(બગવાડા )તથા બાબુભાઇ ઊંઝાકર (બગવાડા)એ સંયુક્ત રીતે સ્વીકારેલી છે. આજના આ કાર્યક્રમમાં પાટણ શહેરમાંથી સામાજિક આગેવાન ભરતભાઈ વાણીયા, યોગેશભાઈ સોલંકી, જયેશભાઈ સોલંકી, ગીતાબેન સોલંકી, કનુભાઈ પરમાર, તેમજ આજુબાજુ થી મોટી સંખ્યામાં સમાજના આગેવાનો અને માયાપ્રેમીઓ અને માયાવંશી ભાઈ – બહેનોએ ભાગ લીધો હતો. ધીરજભાઈ સોલંકીએ વિરમાયાં ના ઇતિહાસ સંસ્થાનો ઇતિહાસ અને હાલની વર્તમાન પરિસ્થિતિ ઉપર વિશેષ માહિતી આપી સમગ્ર ઘટના વિશે વિશેષ પ્રકાશ પાડ્યો હતો.
આ કાર્યક્રમ નું સંચાલન ઈશ્વરભાઈ પરમારે કર્યું હતું.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *