Categories
Ahemdabad crime news

મંગળવાર રાત્રે સાબરમતી રિવરફ્રન્ડ ઉપરથી સબ ઈન્સ્પેક્ટરની લાશ મળી આવી

Views: 26
0 0

Read Time:2 Minute, 13 Second

મંગળવાર રાત્રે સાબરમતી રિવરફ્રન્ડ ઉપરથી સબ ઈન્સ્પેક્ટરની લાશ મળી આવી

અમદાવાદ

અમદાવાદમાં ગઈકાલે રાત્રે પોલીસ સબ ઈન્સ્પેક્ટર સાબરમતી રિવરફ્રન્ટ ખાતે લાશ મળી આવી છે. જેમનું નામ જયદિપભાઈ ચંદુભાઈ પટેલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા હતા. અમદાવાદમાં અવનવાર આત્મહત્યાના બનાવો બનતા રહે છે. ખાસ કરીને પોલીસ સ્ટાફમાંથી થોડા દિવસ પહેલા વાસણાની એક મહિલાએ પોલીસ કોન્સ્ટેબલ આત્મહત્યા કરી હતી. બસ આવો એક બનાવ ગઈકાલ રાત્રે મંગળવારની રાત્રે સબ ઈન્સ્પેક્ટર જયદિપભાઈ ચંદુભાઈ પટેલ. ઉ.29 વર્ષ, નવજીવન એપાર્ટમેન્ટ, પાલડી ખાતે રહે છે. તેમને બિમારીના લીધે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આત્મહત્યા કરી લીધી છે. ગાઈ કાલે રાત્રે જયદિપભાઈ ચંદુભાઈ પટેલ મોડી રાત્રે ઘરે પાછા ના આવતા પરિવારે ચિંતા વ્યક્ત કરી હતી. અને જ્યા નોકરી કરે છે. ત્યા તેમને તપાસ કરી હતી. પણ તે પોતાની ફરજ પર હતા નહી. તેથી પરીવાર જણા ખૂબ જ ગભરાઈ ગયા હતા. ત્યા તેમને એક મેસેજ આવ્યો હતો કે જયદિપભાઈનું બાઈક રીવરફ્રન્ટ પાસે પાર્ક છે. આ વાતની ખબર પડતા જ તેમનો પરિવાર રિવરફ્રન્ટ ખાતે દોડી ગયો હતો. જ્યારે રિવરફ્રન્ડ ખાતે બાઈક મળી આવતા પોલીસે તપાસ કરતા જયદિપભાઈની લાશ મળી હતી. તેથી પરીવાર પર આભફાટી પડ્યુ હતુ. પરિવારના કહેવા પરથી જયદિપભાઈ ઘણા સમયથી બિમાર હતા અને તે થોડા ટેન્શનમાં હતા. તેવુ પરીવાર દ્વારા કહેવામાં આવે છે. પણ પોલીસ તપાસ કરી રહી છે. કે તે હત્યા છે કે આત્મહત્યા તેના પર પોલીસ કાર્યવાહી હાથ ધરી છે.

અહેવાલ રાહુલ દેસાઈ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *