0
0
Read Time:50 Second
ગિરનાર પર્વત પરની પાંચમી ટેકરી પર ભગવાન નેમીનાથના પગલાં હોવાનો જૈન સંસ્થાઓનો દાવો, ગુજરાત હાઈકોર્ટમાં રીટ કરાઈ
ગિરનાર પર્વત પરની પાંચમી ટેકરી (શિખર) પર જૈનોના 22મા તીર્થકર ભગવાન નેમીનાથના પગલાં હોવાનો બે જૈન સંસ્થાઓએ દાવો કરીને ગુજરાત હાઈકોર્ટમાં રિટ અરજી કરી છે. આ સંસ્થાઓ તરફથી રજૂઆત કરાઈ કે, “ભગવાન નેમીનાથના પગલાં અને છાપ હોવાથી શિખર પર પ્રથમ પૂજાનો અધિકાર જૈનોને મળવો જોઈએ.” ઉલ્લેખનીય છે કે, હિન્દુઓના મતે આ સ્થાનક ભગવાન દત્તાત્રેયના પગલાંનું ધાર્મિક સ્થાન છે.
Average Rating